Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 207
________________ અધ્યાય ૨૨ મે-આત્મપ્રીતિ ૧૫૧ શિષ્ય–આ તે આપે વિલાયતી હિતવાદને સિદ્ધાંત રજુ કર્યો. જનસમાજના મોટા ભાગનું મોટું હિત થાય એ સૂત્રનું આવા પ્રસંગે અવલંબન લેવું જોઈએ, એમજ આપ કહેવા માગો છો ને ? | ગુસ–હિતવાદને સિદ્ધાંત મશ્કરીમાં ઉડાવી મૂકવા જેવું નથી. હિતવાદીઓની એક મહાન ભૂલે છે તે આપણે સુધારી લેવી જોઇએ. તેઓ એમ કહે છે કે હિતવાદની અંદરજ સમસ્ત ધર્મોનું રહસ્ય સમાઈ જાય છે, પણ તે તેમને ભ્રમ છે. હિતવાદ તો ધર્મતત્વને એક સામાન્ય અંશમાત્ર છે. મેં હિતવાદને ઉપર જે મહત્વ આપ્યું તેને તે આપણા અનુશીલનવાદના એક ખુણામાંજ હું સ્થાન આપુ છું. હિતવાદને સિદ્ધાંત સત્ય છે, પણ તે ધર્મતત્વના સમસ્ત ક્ષેત્ર ઉપર પ્રસરી જાય એટલે બળવાન નથી. ધર્મ જોઈએ તો ભક્તિમાં અથવા સર્વભૂતમાત્રમાં સમદષ્ટિ રાખવામાં છે. એ ભક્તિ કિંવા સમદષ્ટિરૂપી મહાશિખરમાંથી જે હજારો નદીઓ તથા ઝરાઓ વહે છે તે પૈકી હિતવાદ તે એક નછવામાં ન ઝરે માત્ર છે. પરંતુ તે ઝરાનું જળ પવિત્ર છે. હિતવાદ પણ ધર્મને છેજ. હિતવાદને અધર્મ કહેવાનું સાહસ કરવું એ મૂર્ખતા છે. વિશેષ સ્પષ્ટ રીતે કહું તે અનુશીલન ધર્મમાં “જનસમાજના મોટા ભાગનું મોટું હિત થાય” તે સિવાય અન્ય કોઈ વાત કહેવાની નથી. દાખલાતરીક ભૂતમાત્રનું હિત સાધન કરવું એ જ ધર્મ હોય કે પછી એક જણનું હિત સાધન કરવું એ પણ ધર્મ જ છે. એક જણને બદલે જે દશ જણનું એક સરખું હિત થતું હોય તે તે વળી એકના હિતની અપેક્ષાએ દશ ગણે ધર્મ છે. જે એક તરફ એકજ વ્યક્તિનું હિત સધાતું હોય અને બીજી તરફ દશ જણનું તેટલું જ હિત સધાતું હોય તે એક જણના હિતના ભોગે પણ બીજા દશ જણનું હિત સાધવું એ ધર્મ-કર્તવ્ય છે. આવા સ્થળે દશ જણના હિતના ભોગે એક વ્યકિતનું હિત થવા દેવું એ અધર્મ છે* મોટા ભાગના હિતને સિદ્ધાંત આવા સ્થળે સફળ થાય છે. બીજી રીતે કહીએ તે એક તરફ એક જણનું સ્વલ્પ હિત સધાતું હોય અને બીજી તરફ એક જણનું વિશેષ હિતસધાતું હોય તો આવા સ્થળે અ૫ હિતનો પરિત્યાગ કરી વિશેષ હિતસાધન થવા દેવું એજ ધર્મ છે, અને તેથી વિરુદ્ધ વર્તવું એ અધર્મ છે. મહાન હિતને સિદ્ધાંત આવા સ્થળે સ્પષ્ટ થાય છે. શિષ્ય --આ વાતો તે બહુજ સરળ અને સ્પષ્ટ છે. ગુરુ-આ વાત અત્યારે જેટલી સ્પષ્ટ જણાય છે તેટલી કાર્ય કરતી વેળા * દશ જણના હિતાર્થે એક જણનું અનિષ્ટ કરવું, એ અર્થ મહેરબાની કરીને આ ઉપદેશમાંથી કોઈએ કહાડો નહિ; કારણ કે એવો અર્થ યથાર્થ ધર્મથી વિરુદ્ધ છે, એમ કહેવાની જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248