Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 231
________________ અધ્યાય ૨૬ મે–દયા ૧૭૫ દેશ કાળ પાત્રને વિચાર કર્યા વિના જે દાન કરવામાં આવે તેને સાત્વિક નહિ, પણ તામસ દાન કહેવામાં આવ્યું છે. આમ કહેવાનું કારણ એટલું બધું સ્પષ્ટ છે કે તે સમજવાને માટે હિંદુધર્મની કઈ વિશેષ વિધિ શોધી કાઢવાની જરૂર રહેતી નથી. દાખલાતરીકે આપણું ગુજરાત પ્રાંતમાં દુષ્કાળ પડયો હોય અને તેજ વખતે મચેસ્ટરની કાપડની મીલે પણ બંધ પડી ગઈ હોય, અર્થાત બને જગ્યાએ કારીગરે અને મજુરો દુઃખી સ્થિતિમાં આવી પડયા હેય તે પ્રસંગે આપણે કાંઈ પણ આપી શકીએ એવી અવસ્થામાં હોઇએ તે આપણી પ્રથમ ફરજ છે કે સૈ પહેલાં આપણે આપણા પ્રતિના કષ્ટનિવારણાર્થે જ હાથ લંબાવ. બની શકે છે. બને સ્થાનોમાં અમુક અમુક સહાયતા આપવી એ પણ ઉત્તમ છે, પરંતુ જે ગુજરાતના મનુષ્યોને સહાય આપવાને બદલે માંચેસ્ટર તરફ જ પક્ષપાત રાખીએ તો દેશનો વિચાર આપણે રાખ્યો છે, એમ ન કહેવાય. કારણ કે માંચેસ્ટરનાં દુ:ખી મનુષ્યોને મદદ કરે એવા અનેક પુરુષો બહાર આવે એ સંભવ છે, પણ ગુજરાતનાં મનુષ્ય તરફ કોઈની દ્રષ્ટિ પડવાનો સંભવ નથી. કાળને પણ તેજ પ્રકારે વિચાર કરવાનું છે, આજે જે વ્યક્તિને તેં તારા પ્રાણના ભેગે બચાવ્યો હોય તે જ વ્યક્તિને કદાચ આવતી કાલે સજા કરવાની ફરજ તારે શિરે આવી પડે તો તેને તું કોઈ પણ રીતે પ્રાણદાન આપી શકે નહિ. પાત્રાપાત્રનો વિચાર પણ સ્પષ્ટજ છે–પ્રાયઃ સર્વ તેને વિચાર કરી શકે છે. એક દુઃખી મનુષ્યને દાન આપવા અનેક માણસો તૈયાર થાય છે, પણ કેઇ ચાર કે જુગારીને આપવાને તત્પર થતું નથી. એટલા માટે જે વાર પગે એની સૂક્ષ્મ વ્યાખ્યામાં ખાસ કરીને ઉતરવાની જરૂર નથી. જે ઉદાર જાગતિક મહાનીતિ સર્વના હૃદયમાં રહેલી છે, તેને અનુસરીને જ દેશ કાળ પાત્રના ભેદો દર્શાવવામાં આવ્યા છે; પરંતુ વિવિધ ભાખ્યકારોએ એ સ્પષ્ટ અને સરળ વાતના પણ કેવા વિચિત્ર અર્થે કર્યા છે, તે પણ જેવા હોય તે એક નમુનો આપું. શ્રીશંકરાચાર્ય તથા શ્રીધરસ્વામી કહે છે કે દેશે એટલે કુક્ષેત્ર આદિ તીર્થસ્થાનોમાં જે દાન થાય તેજ દાન એગ્ય દેશે થયેલું ગણાય. કાળનો કે વિચિત્ર અર્થ કર્યો છે, તે જે. શંકરાચાર્ય કહે છે કે સંક્રાન્તિ આદિ પર્વને વિષે જે દાન થાય તે જ યોગ્ય દાન કહેવાય, તથા શ્રીધર સ્વામી કહે છે કે ગ્રહણ પ્રસંગે જે દાન કરવામાં આવે તેજ શ્રેષ્ઠ છે, પાત્ર એટલે શ્રી શંકરાચાર્ય કહે છે કે જે વેદમાં પારંગત હોય, છ અંગોને સારી રીતે જાણુકાર હોય, તથા આચારમાં નિષ્ઠાવાળો હોય તેને યોગ્ય પાત્ર સમજ, તેજ સંબંધે શ્રીધર સ્વામી કહે છે કે જે તપ જપ વ્રત આદિ કરતા હોય એવા બ્રાહ્મણને જ યોગ્ય પાત્ર માન જોઈએ. સર્વનાશ ! હું મારા દેશમાં રહી દીનદુ:ખી પીડિત મનુષ્યોની સેવા પહેલી તારીખથી ૩૧ મી તારીખપર્યત કર્યા કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248