Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 206
________________ ૧૫૦ ધર્મતત્વ સર્વથી પ્રથમ મારે એટલું કહી દેવું જોઈએ કે પરનું અનિષ્ટ થાય છે તે સદાય અધર્મજ છે. એટલે કે અન્યનું અનિષ્ટ કરી પિતાનું હિત સાધવાને કોઈને પણ અધિકાર નથી. હિંદુધર્મ તથા ક્રિશ્ચિયન ધર્મ તથા બીજા ધર્મો પણ આમાં સમ્મત થયા વિના રહેશે નહિ. વર્તમાન દાર્શનિક તથા નીતિવેત્તાઓ પણ તેથી જુદા પડી શકે તેમ નથી. અનુશીલન તત્ત્વ તું જે બરાબર સમજી શકો હઈશ તો તારા લક્ષમાં આટલી વાત તે ખાસ કરીને આવીજ હશે કે પરનું અનિષ્ટ ચિંતવવું એ પણ ભકિત, પ્રીતિ આદિ એક વૃત્તિઓના અનુશીલનમાં મહાન વિઘરૂ૫ છે, એટલું જ નહિ પણ સમાનભાવ કે જેને ભક્તિ તથા પ્રીતિના લક્ષણરૂપ માનવામાં આવે છે, તે સમાનભાવનો પણ એ દુષ્ટવૃત્તિ ઉછેર કરે છે. પરનું અનિષ્ટ કરવાની ભાવનાથી ભક્તિ-પ્રીતિ–દયા આદિ શ્રેષ્ઠ વૃત્તિઓ લુપ્ત થઈ જાય છે, એટલા માટે અન્યનું અહિત કરીને પણ પિતાનું હિત સાધી લેવું એ તો છેક જ અનુચિત છે. હિંદુશાસ્ત્રની તથા આપણું અનુશીલન ધર્મની પણ એજ આજ્ઞા છે. આત્મપ્રીતિને ઉપર કહ્યો તે એક મુખ્ય નિયમ છે. શિષ્ય --આ નિયમનો અમલ કેવી રીતે કરે છે, તે સમજાવો. દાખલાતરીકે એક માણસ ચોર છે, અને તેનાં સ્ત્રીપુત્રાદિ કુટુંબીઓ ભુખથી ટળવળી રહ્યાં છે. ચોરી કરનારા મનુષ્યો ઘણું કરીને એવી અવસ્થા જ ભોગવતા હોય છે, એમ કહેવાની જરૂર નથી. એવો કોઈ ચેર, ધારો કે મારે ત્યાં રાત્રે ખાતર પાડવા આવે, અને તાળા તેડવા માંડે તો તે વખતે મારે શું તેને ન પકડ? ચોરી કરવાનો તેને ઉદેશ પોતાના પરિવાર વર્ગને અન્ન-વસ્ત્ર આપવા સિવાય બીજું કાંઈજ નથી, એ વાતને હું અસ્વીકાર નથી કરતો, પરંતુ એવા ચોરને જ કરવો, અથવા તે તેને ઇનામ આપીને વિદાય કરે, એને આપ શું યોગ્ય ધારો છો? ગુરુ –નહિ, એવાઓને તે પકડી યોગ્ય સજા અપાવવી જોઈએ. શિષ્ય:--એમ કરવાથી મારી સંપત્તિની તો રક્ષા કરી શકું અને મારું પોતાનું હિત સાધી શકું, પણ પેલા ચેરનું તથા તેનાં કુટુંબીઓનું ભયંકર અનિષ્ટ થાય તેનું શું કરવું ? આપને પ્રથમ નિયમ હવે કયાં ગયો? ગુસ:--ચોરનાં નિરપરાધી સ્ત્રીપુત્રાદિ જે ભુખથી રીબાતાં હોય અને તેમને ખાવા માટે તું કાંઈ આપે તો તે કાર્ય અગ્ય નજ કહેવાય. ચોર પોતે પણ સુધા–તૃષાથી પીડાતો હોય તે તેને પણ અન્ન-પાણી આપવું જોઈએ; પરંતુ તેને તેની ચોરીના અપરાધ માટે તે અવશ્ય દંડ મળવો જ જોઈએ, કારણ કે ચોર વિગેરેને જે ઉચિત શિક્ષા ન કરવામાં આવે છે તેથી આપણું એકલાનું જ નહિ પણ સમસ્ત મનુષ્યજાતિનું અનિષ્ટ થાય છે. ચોરેને આશ્રય આપવાથી ચૌયવૃત્તિને ઉત્તેજન મળે છે અને તેથી એકંદરે સમાજનું અહિતજ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248