________________
અધ્યાય ૨૪ મ-સ્વદેશપ્રીતિ
કહેતાં નથી, તેથી તેમનું જીવન લગભગ પશુ જેવું જ હોય છે. સમાજ સિવાય
મનુષ્ય યથાયોગ્ય પ્રકારે ધાર્મિક જીવન ગાળી શકે નહિ, એટલું જ નહિ પણ સમાજ સિવાય મનુષ્ય કોઈપણ પ્રકારનું મંગળ અથવા આત્મય સાધી શકે નહિ, એમ કહું તે પણ અત્યુક્તિ નથી. હવે જો સમાજનો ધ્વંસ થાય તે મનુષ્યના ધર્મનો પણ વંસ થયા વિના રહે નહિ, અને ધર્મને વંસ થાય તે પછી સર્વ પ્રકારનાં મંગળ કાર્યોને વંસ પણ તેની સાથેજ થાય, એ સ્વાભાવિક છે. આ વિષે વધારે વિસ્તારથી તારા જેવા સમજુને સમજાવવાની જરૂર નથી.
શિષ્ય --વાચસ્પતિ મહાશય જે આ પ્રસંગે હાજર હતા તે તેઓ એ દલીલની સામે વિધેિ ઉડાવત, પણ મને તેમાં કઈ સંશય નથી. | ગુ–અસ્તુ. જો એમજ હેય, એટલે કે જે સમાજના ધ્વંસની સાથે ધર્મવંસ જોડાયેલું હોય અને ધર્મવંસની સાથે સર્વ મંગળ કાર્યોનો વંસ અનિવાર્ય હોય તે એટલું તે ચક્કસ છે કે ગમે તે પ્રકારે સમાજની રક્ષા કરવી એ આપણું ગંભીર કર્તવ્ય છે. હર્બટ સ્પેન્સર પણ કહે છે કે “આત્મરક્ષા કરતાં પણ દેશરક્ષા એ એક ધર્મ છે. અને એટલા માટે હજારો તથા લાખો મનુષ્યો પિતાના આત્માને ભોગ આપીને પણ દેશની રક્ષા કરવા પ્રયત્ન કરે છે.”
આત્મરક્ષા જે કારણે ધર્મ લેખાય છે તે જ કારણે દેશરક્ષા પણ શ્રેષ્ઠ ધર્મ લેખાય છે. સ્વજનરક્ષાને પણ ધર્મનું અંગ લેખવામાં આવ્યું છે, તેનું એજ કારણ છે,કારણ કે આપણો પરિવાર એ પણ સમાજનું એક અંગ છે; પરંતુ સમુદાયના હિતની ખાતર પારિવારિક હિતની પણ ઉપેક્ષા કરવી એ કર્તવ્ય છે.
આત્મરક્ષા અને સ્વજનરક્ષાની પેઠે સ્વદેશરક્ષા એ પણ ઈશ્વરદ્દિષ્ટ કર્મ છે; કારણ કે તેમાં સમસ્ત જગતના હિતનો સમાવેશ થઈ જાય છે. સામાજીક મનુષ્પો અથવા દેશનાં મનુષ્યો અતિરવિગ્રહથી લડી મરતાં હોય તે સમયે જે કોઈ પાપિષ્ટ જાતિને આગેવાન આવીને દેશજનોને દબાવી દે તે પૃથ્વીમાંથી ધર્મ તથા ઉન્નતિનો ઉચ્છેદ થયા વિના રહે નહિ. એટલા માટે ભૂતમાત્રના હિતની ખાતર સ્વદેશરક્ષણ કરવું એ પણ ધર્મ છે.
સ્વદેશરક્ષાને જે આત્મરક્ષા તથા સ્વજનરક્ષાની પેઠે ઇશ્વદિષ્ટ કર્મ માનવામાં આવે તે તેને પણ નિષ્કામ કર્મ બનાવી શકાય. આત્મરક્ષા તથા સ્વજનરક્ષા કરતાં સ્વદેશરક્ષાના કર્મને વિશેષ સહેલાઈથી નિષ્કામ કર્મ બનાવી શકાય, એ વાત હવે તને બહુ શ્રમપૂર્વક સમજાવવાની જરૂર હું ધારતો નથી.
શિષ્ય–આ પ્રશ્નની શરૂઆતમાંજ આપે કહ્યું હતું કે “વિચાર કરીને જ નિર્ણય કર.” તે હવે હું જાણવા ઇચ્છું છું કે આટલા વિચારના પરિણામે આપણે શું નિર્ણય ઉપર આવ્યા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com