Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 223
________________ અધ્યાય ૨૪ મો-સ્વદેશપ્રીતિ --- - - - ------ -- --- - સ્વદેશની શોભા વધારે. આવા ભયંકર સ્વદેશપ્રેમરૂપી ધર્મને લઈને અમેરિકાની અસલી જાતિઓ આજે પૃથ્વીમાંથી લગભગ લુપ્ત થઈ ગઈ છે. આ દેશવાત્સલ્યરૂપી ધર્મ ભારતવષય પ્રજાના હૃદયમાં કોઈ કાળે રથાન ન પામે, એજ મારી જગદીશ્વર પ્રત્યે પ્રાર્થના છે. બેલ, પ્રીતિતત્વને સ્થૂલ આશય હવે સમજ્યો ને? શિષ્ય –હા છે. મનુષ્યની સર્વ વૃત્તિઓ ખીલે અને તે બધાનુવતિની થાય તે અવસ્થાને ભક્તિ કહેવાય, એ વિષય હવે હું બરાબર સમજી ગયો છું. આવી અવસ્થાનું પરિણામ જાગતિક પ્રીતિરૂપે જ ફળે; કારણ કે ભૂતમાત્રમાં ઈશ્વર વ્યાપી રહ્યો છે, એ વાત પણ મારાથી સમજી શકાય છે. તેની સાથે એટલી વાત પણ નક્કી થઈ ગઈ કે જાગતિકપ્રીતિ સાથે સ્વજનપ્રીતિ અથવા સ્વદેશપ્રીતિને વિરોધ આ. વવાને ભય પણ અસ્થાને છે. જે કંઈ વિરોધ કવચિત જોવામાં આવે છે, તે તે આપણું સકામવૃત્તિને જ આભારી હોય છે. જે નિષ્કામપણે કર્તવ્ય બજાવવામાં આવે તે એ વિરોધ કદાપિ ઉત્પન થાય નહિ. તે સાથે એટલું પણ સમજી શકો છું કે આત્મરક્ષા કરતાં સ્વજનરક્ષાનું કર્તવ્ય વધારે મહત્વનું છે, અને સ્વજનરક્ષા કરતાં પણ સ્વદેશરક્ષાનું કર્તવ્ય વિશેષ મહત્ત્વનું છે. જ્યારે અંતઃકરણમાં ઇશ્વરભકિત તથા સર્વ લેપ્રીતિના સંસ્કારો દઢ થાય, ત્યારે તે દેશપ્રીતિ એ માત્ર ઈશ્વરભકિત કરતાં જ ઉતરતું અને અન્ય સર્વ કરતાં અધિક મહત્વનું કર્તવ્ય બની રહે છે. ગુર–ભારતવષય પ્રજાની સામાજીક તથા ધાર્મિક અવનતિનું કારણ હવે સ્પષ્ટ થઈ શકશે. ભારતવર્ષની આર્યપ્રજામાં ઈશ્વરપ્રીતિ તથા સર્વક પ્રત્યે સમદૃષ્ટિ હતી, પરંતુ તેઓએ દેશપ્રીતિને સાર્વલિકિક પ્રીતિની અંદરજ ડૂબાડી દીધી. આથી પ્રીતિવૃત્તિની ક્રમે ક્રમે જે ખીલવણી થવી જોઈએ તેવી થઈ શકી નહિ. દેશપ્રીતિ તથા સાર્વલૈકિક પ્રીતિ એ બને યથાસ્થાને યોગ્ય ખીલવણી થવી જોઈએ જ્યારે આ વાત આર્ય પ્રજાના હૃદયમાં ઉતરવા પામશે ત્યારે ભારતવર્ષ પુનઃ પૃથ્વીની શ્રેષ્ઠ જાતિના ઉચ્ચ સિંહાસને વિરાજશે એમાં મને જરા પણ સંશય નથી. શિષ્ય –આપે જે ધર્મતત્વની વ્યાખ્યા કરી છે, તે ધર્મતત્ત્વ જે આર્ય પ્રજા સમજી શકે અને તેને કાર્યમાં પરિણત કરી શકે તે કેટલે બધે લાભ થાય? આ વાક્યને સ્થાને આવું વાક્ય ઠીક ગણાતા કે “કાળે કરીને ભારતવર્ષની આર્ય પ્રજાનાં આચરણોમાંથી ઇશ્વરપ્રીતિ તથા સર્વ પ્રત્યેની સમદષ્ટિ નીકળી ગઈ અને દેશપ્રીતિનું સ્થાન પણ સ્વાર્થ અને વિષયલેલુપતાએ લીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248