________________
અધ્યાય ર૩ -સ્વજનપ્રીતિ
૧૫૫ '
યોગ્ય કર્મોમાં સંયોગોને અનુસરીને તથા ખૂબ વિચાર કર્યા પછી યોગ્ય લાગે ત્યારે આત્મહિતને તથા પરહિતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
ઉકત નિયમોના પાલનથી હિંદુધર્મમાં કહેલા સમભાવને કશું વિન થતું નથી. જે સ્થળે આત્મરક્ષા કરવાને એક માણસને અધિકાર હેય છે તે રથને અન્ય માણસને પણ આત્મરક્ષા કરવાને એટલે જ અધિકાર છે. જે સ્થળે પરહિતાર્થે આત્મભોગ આપવાને તું બંધાયેલો હોય છે. તે સ્થળે અન્ય પણ તારે માટે અત્મવિસર્જન કરવાને બંધાએલો છે. આ પ્રકારનું જ્ઞાન એજ સમત્વ જ્ઞાન છે. મેં અનેક વાતે બહારથી લાવી અહીં બંધબેસતી કરી છે તેથી ગીત સામ્યજ્ઞાનને કશી હાનિ થતી હોય એમ માનીશ નહિ.
શિષ્ય પરતુ પૂર્વે જે એક પ્રશ્ન કર્યો હતો તેને તે યોગ્ય ઉત્તર મળ્યો નહિ, મેં જિજ્ઞાસાપૂર્વક એમ પૂછયું હતું કે હિંદુઓની પારમાર્થિક પ્રીતિની સાથે જાતીય ઉન્નતિને કેવા પ્રકારને સંબંધ રહે છે ?
ગુસ–તે પ્રશ્નના ઉત્તરનું પ્રથમ સૂત્ર નક્કી થઈ ગયું. હવે, ધીમે ધીમે એજ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ..
अध्याय २३ मो-स्वजनप्रीति
ગુ –હવે હર્બર્ટસ્પેન્સરનું પેલું વચન પુનઃ યાદ કર. તેણે કહ્યું છે કે
પ્રત્યેક પ્રાણી જે પિતાની સંભાળ ન લે તે બીજાની સંભાળ લેવા નીકળવાનું પરિણામ પિતાના મૃત્યુમાંજ આવે; અને પ્રત્યેક પ્રાણી જો આ પ્રમાણે પિતાનું જીવન ગુમાવે તે પછી સંભાળ લઈ શકે એવાં કોઈ પ્રાણી જગતમાં રહે નહિ.”
જગદીશ્વરે જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તે સૃષ્ટિની રક્ષા કરવી, એવો ઈશ્વરને ઉદ્દેશ હોવો જોઈએ. આ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તે આત્મરક્ષા કરવી એ પણ ઇશ્વરદિષ્ટ કર્મ છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતો નથી; કારણકે તે સિવાય સુષ્ટિરક્ષા અસંભવિત છે; પરંતુ એટલા ઉપરથી એમ સમજી લેવાનું નથી કે ગમે તે પ્રકારે આત્મરક્ષા કરવી એજ કર્તવ્ય છે. જેઓ પોતાની આત્મરક્ષા કરવાને અશક્ત હેય, અને જેઓની આત્મરક્ષા કરવાની જવાબદારી આપણા ઉપર રહેલી હેય તેઓની રક્ષા પણ આત્મરક્ષા જેટલી જ પ્રયજનીય છે; કારણ કે તે સિવાય જગતરક્ષા પણ સંભવે નહિ, શિષ્યઃ આપ બલબચ્ચાં વગેરેને ઉદેશીને એ વાત કહે છે ? ગુસ –હા. હું પ્રથમ એ વિષે જ બોલવા ઇચ્છું છું. બાળકે પિતાનું રક્ષણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com