________________
૧૫૪
ધમતત્વ
પરાર્થ વચ્ચે ખેંચાખેંચી થાય તે સમયે પરપક્ષનું હિતસાધન કરવું, અને તેમાં પણ આત્મહિત થયા વિના રહેતું નથી; કારણ કે ૫રહિત કરવામાં જ્યારે માણસની પ્રીતિવૃત્તિ યોજાય છે ત્યારે તેની પિતાની પ્રીતિનું અનુશીલન
સ્કરણ તથા સાથય થયા વિના રહેતું નથી; અને એવી રીતે પરહિત કરવામાં પણ તેનું પોતાનું હિત તે સમાયેલું જ રહે છે. મતલબ કે નિરંતર પરપક્ષનું હિત કરવા ઉદ્યમશીલ રહેવું.
મેં જે ત્રણ નિયમોનું ઉલ્લેખ કર્યો તેમને પ્રથમ નિયમ બહુજ સ્પષ્ટ છે અર્થાત જ્યાં અન્યનું અનિષ્ટ થતું હોય ત્યાં પિતાના સ્વાર્થને તિલાંજલિ આપવી. આ નિયમની સીમા નક્કી કરવા હિતવાદીઓએ દ્વિતીય નિયમને સ્વીકાર કર્યો છે.
તે સિવાય એક બીજે નિયમ પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. અનેક સમયે આપણું આત્મહિત જેટલું આપણું હાથમાં હોય છે તેટલું અન્યનું હિત આપણું હાથમાં હોતું નથી. ઉદાહરણતરીકે આપણે આપણી માનસિક ઉન્નતિ જેટલી ધારીએ તેટલી સાધી શકીએ, પણ અન્ય કોઈ વ્યક્તિની માનસિક ઉન્નતિ કરવાનું કાર્ય આપણું હાથમાં તેટલે અંશે હોતું નથી. આવા પ્રસંગે સૌ પ્રથમ આપણે આપણી માનસિક ઉન્નતિ સાધી લેવી એજ આપણું પ્રથમ કર્તવ્ય છે; કારણ કે તેમાં સિદ્ધિની-સફળતાની સંભાવના વિશેષ રહેલી છે. વળી અનેક સ્થળે એવું પણ બને છે કે જો સૌ પ્રથમ આપણે આપણું હિત ન સાધી શકીએ તો પરહિતનું એક પણ કાર્ય આપણાથી થઈ શકે નહિ. એવે સ્થળે પરહિત પૂર્વ આત્મહિતજ સાધી લેવું જોઈએ. દષ્ટાંતરૂપે જે હું મારી માનસિક ઉન્નતિ પ્રાપ્ત ન કરૂં તે તારી માનસિક ઉન્નતિ કરવાને કદાપિ સશક્ત બની શકું નહિ. મતલબ કે આવા સંગમાં સૌ પ્રથમ આપણે આપણું હિત સાધવા તરફજ દષ્ટિ કરવી જોઈએ. વૈદ્ય પિતેજ માંદગીની પથારીએ પડયો હોય તો તે પોતે આરોગ્ય થવા પહેલાં અનેક દરદીઓને આરામ આપવાનું કર્તવ્ય બજાવી શકે નહિ. માટે એવા સંયોગોમાં પ્રથમ આત્મહિતજ સાધી લેવું, એ આવશ્યક કર્તવ્ય છે.
અત્યારે પૂર્વે જે કાંઈ હું તને કહી ગયે તેને સંક્ષિપ્ત સાર પુનઃ કહી સંભળાવું છું તે સારી પેઠે ધ્યાનમાં રાખજે.
પ્રથમ–આત્મ તથા પરનું અભેદ જ્ઞાન એજ પ્રીતિવૃત્તિનું યથાર્થ અનુશીલન છે.
દ્વિતીય–પરંતુ તેથી કરીને આત્મપ્રીતિનો છેક નિષેધ થાય છે, એમ સમજવાનું નથી. અમુક સીમામાં યોગ્ય પ્રકારે આત્મહિત ૫ણું કર્તવ્ય છે, કારણ કે સર્વ ભૂતમાં પિતાને પણ સમાવેશ છે.
તૃતીય–વૃત્તિઓના અનુશીલનને છેલ્લે ઉદેશ એજ હોવો જોઈએ કે ક્રમે ક્રમે સર્વવૃત્તિઓ ઈશ્વરોમુખી થઈ શકે. ઈશ્વરદિષ્ટ કર્મો જ નિરંતર કર્યા કરવાં. કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com