________________
-
ધર્મતત્વ
શકાય. આવા પ્રસંગે દંપતિપ્રીતિ પણ બહુજ બળવાન વૃત્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે; પરંતુ તેમ થવા દેવું એ યોગ્ય નથી. સર્વ વૃત્તિઓની યથાયોગ્યતા સચવાવી જોઈએ. મેં ઉપર જે નિયમોનું ઉલ્લેખ કર્યો છે, તે નિયમને અનુસરીને વૃત્તિઓ ઉપર અંકુશ રાખ એજ વિધેય છે.
શિષ્ય –મને તે એમજ લાગે છે કે કામવૃત્તિ એજ સૃષ્ટિરક્ષામાં કારણભૂત છે. દંપતિપ્રીતિ ન હોય અને એકલી કામવૃત્તિ જ હોય તો પણ તેનાથી જગતની રક્ષા થઈ શકે, અને એ વૃત્તિને પણ નિષ્કામ ધર્મમાં પરિણત કરી શકાય, એમ હું માનું છું. દંપતિપ્રીતિને નિષ્કામ ધર્મમાં પરિણત કરી શકાય એવી કઈ વિચાર પ્રણાલી મારી બુદ્ધિમાં આવતી નથી.
ગુજ–સ્મરજ (કામથી ઉત્પન્ન થયેલી) વૃત્તિ પણ નિષ્કામ ધર્મમાં પરિવૃત થઈ શકે તે સંબંધે મારો ભિન્ન અભિપ્રાય નથી, પરંતુ તારી વાતને મૂળ પાયાજ કાચો છે. દાંપત્યપ્રીતિવિના કેવળ પાશવવૃત્તિથી જગતની રક્ષા થઈ શકે એમ માનવું એજ ભૂલ છે. શિષ્ય –કેમ? પશુસૃષ્ટિ શું કેવળ પાશવવૃત્તિથીજ નથી આવતી?
ગુસ–પશુસૃષ્ટિ જીવિત અને રક્ષિત રહી શકે, પરંતુ મનુષ્યસૃષ્ટિ એવી રીતે જીવિત તથા સુરક્ષિત રહી શકે નહિ; કારણ કે પશુઓમાં સ્ત્રી જાતિને પોતાની રક્ષા તથા ભરણપોષણ કરવાની શક્તિ રહેલી હોય છે, અને મનુષ્ય-સ્ત્રી જાતિમાં તેવું કઈ હોતું નથી. માટે જે મનુષ્યજાતિમાં પુરુષ સ્ત્રી જાતિનું રક્ષણ તથા પાલન કરે નહિ તે સ્ત્રી જાતિને લોપ થવાનો સંભવ રહે છે. શિષ્ય ––મનુષ્યજાતિમાં જેઓ જંગલી અવસ્થા ભોગવે છે, તેમનું શું થતું હશે ?
ગુઢ ––જંગલી અવસ્થા ભોગવતાં મનુષ્યો તે એક રીતે પશુસમાનજ હેય છે. તેઓમાં વિવાહ પ્રથા જેવું કાંઈ હોતું નથી. તેમજ જંગલી અવસ્થામાં રહેતી સ્ત્રીઓ પોતાનું પાલનપોષણ તથા રક્ષણ કરવાને કેટલી સશક્ત હોય છે, તેવિશે વિસ્તારથી બોલવાની જરૂર નથી. જંગલી મનુષ્યના જીવનને ધર્મની સાથે કોઈપણ પ્રકારને સંબંધ હેતે નથી. જ્યાં સુધી મનુષ્ય સમાજના બંધારણુતળે નથી આવતાં ત્યાં સુધી તેમને શારીરિક ધર્મ સિવાય અન્ય કોઈ ઉન્નત ધર્મને ખ્યાલ પણ હોતો નથી. ધર્માચરણ થઇ શકે તેટલા માટે સમાજરૂપી બંધારણની જરૂર છે. સમાજ સિવાય જ્ઞાનેનતિ થઈ શકે નહિ, અને જ્ઞાનેન્નતિ સિવાય ધર્મધર્મનો વિવેક થઈ શકે નહિ. ધર્મજ્ઞાન સિવાય ઈશ્વરભક્તિ પણ અસંભવિત છે. જે સ્થળે મનુષ્યમાં પોતાનામાં જ્યાં સુધી કાઈ પણ પ્રકારના સંબંધ ન થાય અને તેઓ સમાજના છત્ર તળે ન આવે ત્યાં સુધી તે સ્થળે મનુષ્યપ્રીતિ આદિ ધર્મોની આશા રાખવી એ પણ વ્યર્થ છે. મતલબ કે જંગલી અવસ્થામાં શારીરિક ધર્મ સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com