________________
૧૬
ધર્મતત્તવ
ભક્તિની વૃદ્ધિ અર્થ થાય છે તો તેને “ઈશ્વરાર્થ કમ” કેમ ન કહેવાય ? તેનો ઉત્તર માત્ર એટલો જ છે કે સાધક પિતે પોતાની ભક્તિમાં વૃદ્ધિ કરવા સારૂ જે કર્મ કરે તે કર્મ પણ સાધકના પિતાના કલ્યાણને અર્થે થતું હોવાથી તેને ઈશ્વરદ્દિષ્ટ કર્મ કહી શકાય નહિ. ઈશ્વર જગત્મય છે, અને તેથી જગતનું જે કાર્ય, તેજ તેનું કાર્ય, એમ આપણે દઢ વિશ્વાસ પૂર્વક માનવું જોઈએ. જે કાર્ય કરવાથી જગતનું કલ્યાણ થાય તેજ કાર્યને કૃષ્ણોક્ત સત્કર્મ કહી શકાય. એવા જગતહિતના કાર્યો કરવાને તત્પર થા, અને સમસ્ત વૃત્તિઓને સુંદરરૂપે કેળવી તે દ્વારા જગતનું કલ્યાણ કરવાને ચોગ્ય થા. જગતનું કલ્યાણ કરવું તેજ ઈશ્વરને ઉદ્દેશ છે. જો આપણે પણ એવા ઉદેશપૂર્વક કર્મો કરવા લાગીએ તે સ્વાભાવિક રીતે જ આપણું મન ઈશ્વરી સ્વરૂપમાં સ્થિર થાય અને ક્રમે ક્રમે જીવન્મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકીએ.
જેઓ એમ કરવાને અશક્ત હોય તેઓ ગૌણ ઉપાસના અર્થત પૂજા–નામકી. તન તથા સંધ્યાવંદનાદિદ્વારા ભક્તિના નિકૃષ્ટ અનુશીલનમાં પ્રવૃત્ત થાય, તે પણ ઈચ્છવાયોગ્ય છે; તોપણ એટલું લક્ષમાં રાખવું જોઈએ કે જે કઈ સાધના કરવી તે અંતઃકરણપૂર્વક કરવી જોઈએ. શુદ્ધ હૃદયપૂર્વક જ્યાં સુધી કાઈ અનુષ્ઠાન થાય નહિ ત્યાંસુધી ભકિતનું લેશમાત્ર અનુશીલન થતું નથી. કેવળ બાહ્ય આડંબરોથી અનેક મનુષ્યો હિતને બદલે અહિતજ કરી બેસે છે. ઘણીવાર બાહ્ય આડંબરો ભક્તિના સાધનરૂપ બનવાને બદલે ઠગાઇના સાધનરૂપ બની જાય છે, એ વાત પણ વિસરી જવી જોઈતી નથી. આવી શકતા કરવા કરતાં તે કાંઈ કરવું નહિ એજ બહેતર છે. કેમકે જેઓ કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન અથવા ભક્તિનું સાધન કરતા નથી, તેઓ અલબત્ત ઠગભકતે કરતાં શ્રેષ્ઠ છે, પણ તેમનામાં અને પશુઓમાં કાંઈ ભેદ હોય એમ હું માનતા નથી.
શિખ્ય – તે પછી અત્યારના અનેક હિંદુઓને આપણે ઠગ, શઠ અને પશુસમાન જ લેખવા પડે. - ગુર:--હિંદુધર્મની અવનતિનું એજ એક મુખ્ય કારણ છે; પરંતુ મને આશા છે કે જ્યારે હિંદુઓમાં વિશુદ્ધભક્તિને પ્રચાર થશે ત્યારે તેઓ નવજીવન પ્રાપ્ત કરી, કોલના સમયના અંગ્રેજો જેવા તથા મહમદના સમયના આર જેવા અતિશય પ્રતાપાવિત બન્યા વિના રહેશે નહિ; અને એ દિવસ પણ હવે બહુ દૂર નથી.
શિષ્ય:-મન-વચન-કાયાથી જગદીશ્વરને પ્રાર્થના કરું છું કે આપની એ આશા શીઘ ફલીભૂત થાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com