________________
અધ્યાય ૨૦ મો-ભક્તિનું સાધન
૧૩૫
-
--
-
જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી વિષયી લેકે માટે પ્રતિમાપૂજ જરૂરી છે, કારણ કે તેથી કરીને ક્રમે ક્રમે ચિત્તની શુદ્ધિ થતી ચાલે એ સંભવ છે. પ્રતિમાપૂજાને ગૌણભક્તિમાં મૂકવી જોઈએ.
શિષ્ય-ગૌણભક્તિ કોને કહેવી તેજ હું તો બરાબર સમજતો નથી.
ગુર:–મુખ્યભક્તિમાં અનેક વિના રહેલી છે. આ વિધિનેને જેવડે નાશ થાય તેને શાંડિયસૂત્રના પ્રણેતાએ “ગૌણભકિત” એવું નામ આપ્યું છે. ઈશ્વરનું નામ કીર્તન, ફલ-પુષ્પાદિદ્વારા તેની પૂજા-અર્ચના, વંદના અને પ્રતિમાપૂજન, વિગેરેને ગૌણભક્તિનાં લક્ષણો ગણાવવામાં આવ્યાં છે. સૂત્રના ટીકાકારે પોતે પણ એટલી વાત તે સ્વીકારી છે કે ઉકત અનુછીને ભક્તિભાવ ઉત્પન્ન કરવામાં સાધનભૂત છે, અને તેટલા માટે તેને ભક્તિજનક સાધનો કહીએ તો તે અયોગ્ય નથી. ઉકત અનુષ્ઠાનનું તે સિવાય બીજું કાંઈ ફળ નથી. *
શિષ્ય–તે હું ધારું છું કે પૂજ-હોમ––નામકીર્તન તથા સંધ્યાવંદનાદિ, વિશુદ્ધ હિંદુ-ધર્મથી વિરુદ્ધ નથી, એ આપને મત છે. તેની સાથે આપને એ પણ આશય છે કે એ સર્વની માત્ર ભક્તિના સાધનોતરીકે જેટલી કિંમત આંકી શકીએ તેટલી જ આંકી શકાય.
ગુર–તે સાધન તે છે, પણ નિકૃષ્ટ સાધન છે, એમ પણ મારે કહી દેવું જોઈએ. ઉત્કૃષ્ટ સાધન કેને કહેવાય તે વાત પણ કૃષ્ણવાય ઉધૃત કરી તને જણાવી ગયો છું. જેઓ ઉત્કૃષ્ટ સાધને પ્રાપ્ત કરવાને અશક્ત હોય તેમને માટેજ પૂજાદિનું વિધાન છે. છતાં સ્તુતિ વિગેરે માટે મને થતું બોલવાનું પ્રાપ્ત થાય છે, તે ખાસ લક્ષપૂર્વક સાંભળી લે. જ્યારે ઇશ્વરસ્મરણના ઉદેશપૂર્વક પૂજા-હેમ વગેરે થાય ત્યારે તેને ગૌણભક્તિના લક્ષણરૂપે નહિ સ્વીકારતાં મુખ્ય ભક્તિનું જ લક્ષણ માનવું જોઈએ. દાખલાતરીકે જીવન્મુક્ત પ્રહાદે જે વિષ્ણસ્તુતિ કરી હતી તેને મુખ્યભકિાજ કહેવી જોઈએ; પરંતુ અમારાં પાપોને વંસ થાઓ, અમારું જીવન સુખમાં પસાર થાઓ, એવી રીતની સકામ પ્રાર્થનાઓ તથા સંધ્યા-વંદનાદિ ક્રિયાઓ ગૌણભક્તિમાંજ ગણાવાયોગ્ય છે. મારી તે તને એટલીજ ભલામણ છે કે કૃષ્ણવાક્યને હૃદયમાં ધારણ કરી, ઈશ્વરાભિમુખી વૃત્તિઓ દ્વારા બની શકે તેટલાં કર્મો કરવાને તારે પ્રયતત કરવો. શિષ્યપૂજા-હેમ-યાગ-યા વિગેરે પણ ઇશ્વરને અર્થે જ
ગુસ-એ તારી ભૂલ છે. પૂજા-હેમ વિગેરે કર્મો ઇશ્વરાર્થે નથી હોતાં. પણ સાધકના પિતાના કલ્યાણને માટે હોય છે. કેઈ એમ કહે કે એ સર્વ કર્મો કેવળ
* भक्त्या कीर्तनेन भक्त्या दानेन परा भक्ति साधयेदितिxxxx न फलान्तरार्थम् गौरवादिति ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com