________________
અધ્યાય ૨૧ મે-પ્રીતિ
૧૩
ભાવ ઉપજે એજ પ્રતિવૃત્તિની છેલ્લી સીમા છે, અને યથાર્થ ધર્મ પણ તેજ છે. જ્યાં સુધી સમસ્ત જગતપ્રત્યે આપણું પ્રીતિ સમાનભાવે ન ફરે ત્યાં સુધી એ પ્રીતિ અપૂર્ણ રહે છે, અને તેથી ધર્મ પણ અપૂજ રહી જાય છે.
અત્યારે આપણે એટલું સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે યુરોપીય પ્રજાની પ્રીતિવૃત્તિ પિતાના સ્વદેશથી એક પણ પગલું આગળ વધી શકતી નથી. જે પ્રીતિએ સમસ્ત જગત અને સમસ્ત મનુષ્યો ઉપર ફરી વળવું જોઈએ, તે પ્રીતિ તેમનામાં માત્ર સ્વદેશની સંકુચિત સીમામાં જ અટકી ગઈ છે. પોતાના દેશનાં મનુષ્ય ઉપર પ્રેમ રાખો અને અન્ય દેશનાં મનુષ્યને તિરસ્કાર કરે, એ પાશ્ચાત્ય પ્રજાને સામાન્ય સ્વભાવ બંધાઈ ગયું છે. તે સિવાય બીજી કેટલીએક પ્રજાઓ એવી પણ છે કે જે પિતાના સ્વધર્મીઓને પ્રેમપૂર્વક ચાહે છે, પરંતુ વિધમીએ પ્રત્યે સ્નેહભરી નજરથી જોઇ શકતી નથી, દાખલાતરીકે મુસલમાન પ્રજા. એક મનુષ્ય જે મુસલમાન ધર્મ પાળતા હોય તે પછી તે ક્યા દેશને છે, તે જાણવાની પરવા નહિ રાખતાં મુસલમાને તેને પ્રેમપૂર્વક ચાહવા લાગશે. મતલબ કે ધર્મની એકતા જોયા પછી તેઓ જાતિને માટે દેષભાવ રાખતા નથી. મુસલમાન દષ્ટિ સર્વે મુસલમાન પ્રજાને એકસમાન લેખે છે, પરંતુ અંગ્રેજ-ક્રિશ્ચીયને અને ક્રિશ્ચીયનમાં ભારે વિરોધભાવ જોવામાં આવે છે.
શિષ્ય –આપે કહ્યું તે રીતે તે જેમ મુસલમાન પ્રજાની પ્રીતિ * જાગતિક નથી તેમ યુરોપીયન પ્રજાની પ્રીતિ પણ જાગાતક નથી. .
ગુર–મુસલમાનના પ્રીતિ-વિસ્તારમાં પણ અંતરાય કરનાર તેમની અમુક માન્યતા છે ખરી; પરંતુ જે સમસ્ત જગત મુસલમાન ધર્મ અંગીકાર કરે તે મુસલમાન પ્રજા પણ સમસ્ત જગતને પ્રેમથી ચાહવા લાગે.... પરંતુ ક્રિશ્ચિયનેથી
*સમસ્ત જગત અથવા સમસ્ત મનુષ્યો પ્રત્યેની પ્રીતિને જાગતિક પ્રીતિ કહેવામાં આવે છે.
અનુવાદક. *દિલગીરી સાથે જણાવવું પડે છે કે છેલ્લા મહાયુદ્ધમાં સ્વાથી ખ્રિસ્તી પ્રજાએની હલકી અસર મુસલમાનો ઉપર પણ પહોંચી ગઈ; અને લાખો મુસલમાનોએ સામા પક્ષમાંના પિતાના ધર્મબંધુઓ ઉપર હથીઆર ચલાવ્યાં. હિંદુઓની તે આ વિષયમાં અવદશા સેંકડો વર્ષથી જ ચાલુ થઈ ચૂકેલી છે. પરદેશીઓનાં ઘર ભરવા સારૂ ભારતવર્ષની અબજની સંપત્તિ લૂંટી આપવા માટેના કાપડ વગેરેના ધંધા કરીને પિતાનાં પાપી પેટ ભરવાનું અધમ કાર્ય કરવાવાળા, મોટાં મોટાં ટીલાવાળા અને ધર્માત્મામાં ગણાયે જતા લાખો હિંદુઓ મુંબઈ અને બીજાં શહેરો તેમજ ગામોમાં, આજે પણ પડેલાજ છેને! કડો લૂંટી આપી તેમાંથી લાખની મળતર મેળવવી અને તેમાંથી છેડા સો કે ચેડા હજારનું દાન કરી પોતાને ધર્માત્મા માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com