Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 197
________________ અધ્યાય ૨૧ મો-પ્રીતિ ૧૪૧ બત્ત આપણા દેશ અથવા પ્રાંતથી ભિન્ન હોય છે. પરંતુ તેઓ જે પૃથ્વી ઉપર વસે છે તે પૃથ્વી કાંઈ આપણી પૃથ્વીથી ભિન્ન હોતી નથીપરંતુ તે છતાં પણ આપણે પૃથ્વીને આપણી પોતાની માની શક્તા નથી, અને તેથી પૃથ્વી પરનાં મનુષ્યોને આપણે ચાહી શકતા નથી. શિષ્ય –એવી માનિનતા બંધાઈ જવાનું શું કારણ હશે? તેને ઉત્તર શું હજી કોઈએ નહિ આપ્યો હોય? ગુસ-યુરોપમાં એ પ્રશ્નના અનેક પ્રકારે ઉત્તરે આપવામાં આવે છે. યુરોપમાં હિતવાદની બહુજ પ્રબળતા છે. તેઓને મુખ્ય સિદ્ધાંત જનસમાજના મોટા ભાગનું અધિક કલ્યાણ થવા દેવું, એવા પ્રકાર છે. તે ઉપરાંત ઇસુ ખ્રિસ્તને જાગતિક પ્રીતિવાદ પણ એવું કહે છે કે સર્વ મનુષ્યમાત્ર ઈશ્વરના પુત્ર સ્વરૂપ છે, તેથી પ્રત્યેકે મનુષ્ય પ્રતિ ભાઈ સમાન આચરણ રાખવું જોઈએ. શિષ્ય –આવા સંતોષકારક ઉત્તર વર્તમાન હોવા છતાં, અને તે ઉપરાંત ક્રાઈસ્ટ ધર્મને ઉન્નત નીતિવાદ પ્રચલિત હોવા છતાં, યુરોપીયન પ્રજાની પ્રીતિ પિતાના દેશની બહાર કેમ વિસ્તાર નહિ પામી શકતી હોય ? ગુર–તેનાં કારણોની તપાસ કરવા આપણે પ્રાચીન કાળના ગ્રીસ તથા રેમ તરફ જવું પડશે. પ્રાચીન ગ્રીસ તથા રમમાં પ્રથમ કેક પ્રકારને ઉન્નત ધર્મ નહોતે. જે કાંઈ સુંદર અને શક્તિમાન હોય તેની મૃતિપૂજા સિવાય તેઓ કાંઈ વિશેષ જાણતા નહતા, અને તેથી તેઓ ઉચ્ચ ધર્મના સિદ્ધતિથી છેક વિમુખ હતા. જગતનાં મનુષ્યો પ્રતિ શામાટે પ્રેમ રાખે તે પ્રશ્નને તેઓની પાસે એક કે ઉત્તર નહોતો. એટલા માટે તેમને પ્રીતિભાવ દેશની સીમાને ઓળંગી બહાર જઈ શકે નહ; પરંતુ મેં જે બે જાતિઓને ઉલ્લેખ કર્યો તે બને જાતિએ ઉન્નતસ્વભાવવાળી આર્યવંશમાંથી ઉદ્દભવેલી હતી, તેથી તેમનામાં સ્વાભાવિક રીતે જ મહત્વના ગુણો રહેલા હતા. આ મહત્તાને લઈને તેમની પ્રીતિ સ્વદેશની સીમા પર્યત વિસ્તારવા પામી હતી, અને એ દેશપ્રીતિએ બહુજ મનોહર તથા આકર્ષક સ્વરૂપ પકડયું હતું. દેશવાત્સલ્યના ગુણમાં ઉક્ત બને જાતિઓ પૃથ્વીમાં અમર કીર્તિ પ્રાપ્ત કરી ગઈ છે. આધુનિક યુરોપમાં વર્તમાન કાળે, એક મનુષ્ય પોતે ક્રિશ્ચિયન હોય કે ગમે તે હોય તો પણ તેને મુખ્યત્વે પ્રાચીન ગ્રીસ અને રોમમાંથી ઉતરી આવેલું શિક્ષણ આપવામાં આવે છે. ટૂંકમાં, પ્રાચીન ગ્રીસ અને રેમ અત્યારના યૂરોપને માટે આદર્શ સ્વરૂપ મનાઈ ગયા છે. આ આદર્શોએ આધુનિક યુરોપમાં એટલું બધું આધિપત્ય મેળવ્યું છે કે તેની પાસે મહાત્મા ક્રાઈસ્ટની નીતિ પણ ઝાંખી પડી ગઈ છે. તે સિવાય આધુનિક યુરેપ ઉપર એક બીજી જાતિની પણ સજજડ અસર જોઇ શકાય છે. હું યહુદીજાતિ વિષે બેલવા માગું છું તે તું સમજી ગયો હઇશ. યાહુદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248