________________
૧૪૪
ધર્મતત્ત્વ
અને અચ્છેદ્ય છે—ભકિત વિના પ્રીતિ રહીજ ન શકે, તેમ પ્રીતિ વિના ભકિત પણ રહીશકે નહિ, ભકિતતત્ત્વનું સ્પષ્ટીકરણ કરતી વેળા આ વાત હું તને કહી ગયા . ભગવદ્દગીતા તેમજ વિષ્ણુપુરાણવાળા પ્રહાદરિત્રમાંથી મેં જે વાયા તારી પાસે ઉષ્કૃત કર્યા હતાં, તે ઉપરથી પણ તું જોઇ શકયા હેઈશ કે ભકિત અને મનુષ્ય પ્રીતિને બહુજ નિકટના સબંધ છે,
જ્યારે હિરણ્યકશિપુએ પ્રહ્વાદને પ્રશ્ન કર્યાં કે:-“ ત્રુની સાથે રાજાએ કેવી રીતે વર્તવુ જોઇએ ?” ત્યારે પ્રહાદે ઉત્તરમાં કહ્યું કેઃ- શત્રુ હેઇજ કેમ શકે ? પ્રાણીમાત્ર વિષ્ણુમય—-શ્વરમય છે. શત્રુ અને મિત્ર એવા ભેદો કેવી રીતે પાડવા તેજ હુ' તા સમજતા નથી. ” પ્રીતિતત્ત્વ સબંધે આપણે જે વિચાર કરવાના હતા, તેના થોડા અંશ તેા અહિંજ સમાપ્ત થાય છે. વસ્તુતઃ પ્રહાદના છેલ્લા શબ્દો એવા મહત્ત્વના છે કે એટલા શબ્દો ઉપરથીજ હિંદુધર્મોની શ્રેષ્ઠતા તથા મહત્તાનું સંપૂર્ણ માપ કાઢી શકાય છે. પ્રહાદના સફળ ઉત્તરા તથા ભગવદ્દગીતામાંથી ચુટી કહાડેલાં વાકયાનું આ સ્થળે એકવાર પુન: સ્મરણુ કરી લે. જો તે વાકયા તારા સ્મરણમાં ન રહ્યાં દાય તે તેનું ઉકત ગ્રન્થામાંથી પુન: અધ્યયન કરી લે. જ્યાં સુધી એ વાકયાનું મહત્ત્વ તારા હૃદયમાં અંકિત નહિ થાયત્યાસુધી હિંદુધનું પ્રીતિતત્ત્વ તું સંપૂ રીતે સમજી શકશે નિહ. આ પ્રીતિવડેજ જગત્ ટકી રહ્યુ છે. જો આવી પ્રીતિ આપણામાં સ્વાભાવિક રીતેજ ન હાત તે જગત્ કયારનુ ંયે અવ્યથિત અને છિન્નભિન્ન થઈ ગયું. હાત. પ્રીતિ વિના આ જગત્ કેવળ જપિંડ જેવુ જ ખની ગયું હાત. મનુષ્યેામાં પ્રીતિતત્ત્વના છેક અભાવ હાત તા બે વિદ્વેષી મનુષ્યા આ જગત્ ઉપર એક ક્ષણ માત્ર પણ છવી રાકત નહિ. પ્રીતિના અભાવે આ સ ંસાર કયારનેા મનુષ્યશૂન્ય બની ગયા હોત, અને કદાચ તેમ ન બન્યું હોત તે। આ મનુષ્યલાકે અસહ્ય નરકનું ભયંકર રૂપ ધારણ કર્યું. દાત. ભકિત પછી પ્રીતિની આગળ ખીજી એકે ઉચ્ચવ્રુત્તિ નથી. જેવી રીતે ઇશ્વરને વિષે આ જગત્ ગુથાયેલું છે, તેવીજ રીતે પ્રીતિવર્ડ આ જગત્ ગતિમાન થઇ રહ્યું છે. શ્ર્વર પાતેજ પ્રીતિ અને ઇશ્વર પોતેજ ભક્તિ રવરૂપે જગા એક માત્ર આધાર છે. પ્રાણીમાત્રના હૃદયમાં જે પ્રીતિ તથા ભકિત રહેલી છે તે ઇશ્વરરૂપજ છે. અજ્ઞાનને લીધે આપણે ધ્રુવરને ઓળખી શકતા નથી, તેમજ અજ્ઞાનને લીધે આપણે પ્રીતિ તથા ભકિતનું સંપૂર્ણ માહાત્મ્ય સમજી શકતા નથી. એટલાજ માટે મેં કહ્યું છે કે ભકિત તથા પ્રીતિના યેાગ્ય અનુશીલન અર્થે મનુષ્ય માત્ર પેાતાની જ્ઞાનાની વૃત્તિઓને યથાયોગ્ય પ્રમાણમાં કેળવવી જોઇએ. જ્ઞાનાની વૃત્તિ જો કેળવાય નહિ તે ભક્ત પ્રીતિ આદિ વૃત્તિ પણ વિકસિત થઇ શકે નહિ. પ્રત્યેક વૃત્તિનું ચાય પ્રમાણમાં અનુશીલન અથવા ખીલવણી કરવી એ મનુષ્ય માત્રની પવિત્ર ફરજ છે, એમ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com