________________
અા ર૦ મે-ભક્તિનું સાધન
૧૩૩
અર્થાત–જે અભ્યાસ કરવા જેટલું તારામાં સામર્થ્ય ન હોય તે મારે વાતેજ સર્વ કર્મ કરવા લાગ–અર્થાત મપરાયણ થઈને કર્મો કરવા લાગ. મારે વાતે કર્મ કરતે થકે પણ તું સિદ્ધિને પામશે.
શિષ્યઃ–પરંતુ કેટલાએકથી તે કર્મ પણ થઈ શકતાં નથી અને છેક અકમય બેસી રહે છે, તેમને માટે કોઈ ઉપાય ખરો ?
ગુર:–એવા પ્રશ્નની આશંકા કરી ભગવાન પોતેજ કહે છે કે – ___अथैतदप्यशक्तोऽसि कर्तु मद्योगमाश्रितः।
सर्वकर्मफलत्याग ततः कुरु यतात्मवान् ॥ અર્થાત-જે એ પ્રકારે મને ઉદ્દેશીને કર્મ કરવાનું તારામાં સામર્થ્ય ન હોય તે નિયત ચિત્તવાળો થઈ સર્વ કર્મના ફળને ત્યાગ કર.
શિષ્ય:-એમ કેવી રીતે બની શકે ?જે કર્મ કરવાને અશકત છે, તેમજ જેને માટે કઈ કર્મ નથી, તે પોતે કર્મના ફળનો ત્યાગ કેવી રીતે કરી શકે ?
ગુર–કઈ પણ જીવ તદ્દન કર્મશન્ય હોઇ શકે નહિ. જે સ્વત:પ્રવૃત્ત થઈને કર્મ ન કરે, તેને પણ કંઈક ને કંઈક તો કરવું જ પડે. આ સંબંધી ભગવદ્વવચન હું તને પૂર્વ કહી ચૂક્યો છું. એક મનુષ્ય પોતે જે કામ કરે, તે કર્મના ફળની આકાંક્ષા ન રાખે તો તેથી અન્ય કામનાના અભાવે ઈશ્વર પિતેજ તેને એકમાત્ર કામ્ય પદાર્થ બની રહે, અને જે એમ બને તો અનાયાસેજ ચિત્ત ઇવરમાં સ્થિર થઈ જાય..
શિષ્યા–એ ચતુર્વિધ સાધનો તે બહુ કઠિન હોય તેમ મને લાગે છે. એટલુંજ નહિ પણ તેથી ઉપાસનાને કોઈ હેતુ સિદ્ધ થતું હોય એમ પણ મને લાગતું નથી.
ગુર–એ ચતુર્વિધ સાધનજ શ્રેષ્ઠ પ્રકારની ઉપાસના છે. જે સાધકે એવી સાધના અથવા ઉપાસના કરી શકે તેમને માટે અન્ય પ્રકારની સાધનાની કે ઉપાસનાની કશી જરૂર નથી.
શિષ્ય:–પરંતુ અજ્ઞાની, દુરાચારી, તથા બાળકો માટે આપે કહી તે સાધના કઈ ઉપાયોગી થઈ પડે એમ હું ધારતો નથી. શું તેઓને ભક્તિ કરવાને અધિકાર નથી ?
ગુર:– કહ્યું તેવાં મનુષ્યોને માટે ઉપાસનાત્મક ગણુભકિત ઉપયોગી થઈ શકે. ગીતામાં કહ્યું પણ છે કે –
ये यथा मां प्रपद्यन्ते तारतथैव भजाम्यहम् । અર્થાત- જે પ્રકારે જે મારે આશ્રય લે છે, તેને હું તેજ પ્રકારે પ્રાપ્ત થઉં છું. વળી, બીજે રથળે તેઓ કહે છે કે –
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com