________________
૧૨૨
ધમતત્ત્વ
-
-
-
-
શરીરને કાંઈ ક્ષતિ ન થઈ ત્યારે હિરણ્યકશિપુએ અલ્હાદને કહ્યું કે-“અરે દુર્બદ્ધિ! હજી પણ શત્રુની સ્તુતિ કરવી ત્યજી દે. મૂર્ખાઈની પણ હદ હોય છે. જે મારા શત્રુ નાં ગુણગાન કરવાં ત્યજી દે તે હું તારા સર્વ અપરાધોની ક્ષમા આપવા તૈયાર છું.”
ક્ષમાની વાર્તા સાંભળી પ્રહાદ બોલી ઉઠે કે –“ જેઓ સર્વના ભયને હરવાને સમર્થ છે, જેઓનું સ્મરણમાત્ર કરવાથી જન્મ-જરા-મૃત્યુના ભયો નાશ પામે છે, તે અનંત ઈશ્વરને હદયમાં સ્થાન આપ્યા પછી મને કોઈ જાતનો ભવ્ય લાગતો નથી– નિર્ભય-નિડર છું.” | ગીતાની “મણે :” વાળી વાણી યાદ કર. ત્યાર પછી હિરણ્ડશિપુએ તેના ઉપર સર્પે છેડી મૂકાવ્યા પરંતુ સર્પદંશથી પ્રહાદ મૃત્યુ પામે નહિ. આ વાત ઉપર તને શ્રદ્ધા ઉપજતી ન હોય તે મને તેથી કશી હાનિ નથી, પરંતુ પુરાણકારને આ સર્પદંશવાની વિગત શામાટે લખવી પડી તેને આપણે વિચાર કરવા જોઈએ:
सत्त्वासक्तमतिः कृष्णे दश्यमानो महोरगैः।
न विवेदात्मनो गात्रं तत् स्मृत्याल्हादसंस्थितः॥ તે સમયે પ્રહાદનું મન કૃષ્ણમાં એટલું બધું આસક્ત હતું કે અનેક મહા ભયંકર સર્પોએ તેને ડંસ માર્યા તથાપિ કૃષ્ણ-સ્મરણના આનંદમાં તેને તેની કશી. વ્યથા જણાઈ નહિ. આ ભક્તિપૂર્ણ આનંદ, નિર્મળ આહંદ, હૃદયમાં જાગૃત થાય છે ત્યારે સુખ-દુઃખમાં કાંઈ ભેદ જણાતો નથી. પેલું ભગવદ્દવાય પુનઃ મૃતિમાં લાવઃ-“રમાણ ક્ષમી.” ક્ષમી એટલે શું એ વાત હું હવે પછી કહીશ. હાલ તુર્તા તો “ સમવસુવ: ” એ કથનનું રહસ્ય સમજી લે,
શિષ્ય:-સમજ્યો. ભક્તાત્માના મનમાં રાત્રિદિન એક એવું મહાન સુખ રહ્યા કરે છે કે જેથી અન્ય પ્રકારનાં સુખ-દુઃખને તે ગણતરીમાં લેખ નથી. | ગુસ-હા. સર્પદંશથી પણ જ્યારે પ્રહાદનું મૃત્યુ ન થયું, ત્યારે હિરણ્યકશિપુએ તેના પર મદોન્મત્ત હરિતઓને છોડી મૂકાવ્યા. હસ્તિઓના દાંત ભાંગી ગયા, પણ પ્રહાદને કશી હાનિ થઈ નહિ. તે પ્રસંગે પ્રલ્હાદ પોતાના પિતાને શું કહે છે તે એક વખત સાંભળી લે
दन्ता गजानां कुलिशाग्रनिष्ठुराः शीर्णायदेते न बलं ममैतत् । महाविपत् पापविनाशनोऽयम् जनार्दनानुस्मरणानुभावः ॥ અર્થાત –વજના અગ્રભાગ જેવા કઠિન ગજદ ભાંગીને તૂટી પડયા એ કાંઈ મારા બળથી થયું નથી. જેઓ મહા વિપદ્ અને મહાપાપથી રક્ષણ કરવાને સમર્થ છે તે એક જનાર્દન પ્રભુના સ્મરણનાજ પ્રતાપે તેમ બન્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com