________________
અધ્યાય ૧૯ મે-ઈશ્વરભક્તિ-વિષ્ણુપુરાણુ
બની શકે એમ હું માની શકતા નથી. એક મનુષ્ય ગમે તેટલે ઈશ્વરભકત હોય તેપણ કુદરતી નિયમો તેની પાસે નિષ્ફળ હોય એમ માનવું યોગ્ય નથી. પરમ ભકત પુરજને પણ જે એક તલવારને ઘા લાગે તે રુધિર નીકળવું જોઈએ.
ગુરુ:–અર્થાત તું “મીરેકલને” (અદભૂત વ્યાપારને) માનતા નથી, એજ વાત તારે કહેવાની છેને? વિષ્ણુપુરાણુવાળી ઘટના બહુ પુરાતન છે. ઈશ્વરની શક્તિને તું જેવી સીમાબહં માને છે તેવી હું માની શકતો નથી. વિષ્ણુપુરાણમાં પ્રહાદની જેવી રીતે રક્ષા થયાનું જણાવવામાં આવ્યું છે, તેવી રીતની રક્ષા આજકાલ આપણું દષ્ટિ સન્મુખ કોઇની થતી નથી, એટલું જ નહિ પણ એવી રક્ષા એકમાત્ર નવલકથામાં જ શોભા પામે એ વાતનો હું સ્વીકાર કરું છું, પરંતુ ઈશ્વરકૃપાના પ્રતાપે કોઈ એક ખાસ કુદરતી નિયમઠારા બીજા કુદરતી નિયમોમાં ફેરફાર ન જ થઈ શકે એમ તે તારાથી કહી શકાય નહિ. એકાદ અસ્ત્રના આઘાતથી પરમ ભક્તના શરીરમાંથી ધિર વહેવા લાગે એ ખરું, પણ ભક્તપુરુષ ઈશ્વરકૃપાપ્રતાપે પિતાની શક્તિ તથા બુદ્ધિને એ સરસ ઉપયોગ કરે કે અસ્ત્રના આઘાત પણ નિષ્ફળ થાય, તે તે શું બનવાગ્ય નથી ? ભક્તાત્મા ખાસ કરીને “ દક્ષ ” પુરુષ હોવો જોઈએ એ વાત હું તને સૌ પ્રથમ જ કહી ગયો છું. જે પુરુષ દક્ષ હોય તેની સર્વ પ્રકારની વૃત્તિઓ સંપૂર્ણ અનુશીલિત થઈ હોય છે, અને તેથી તે અતિશય કાર્યક્ષમ હોય છે. તે ઉપરાંત તેના ઉપર ઈશ્વરને પણ સંપૂર્ણ અનુગ્રહ હોય છે. ઈશ્વરાનુગ્રહ હોય તો ગમે તેવા દુઃખના પ્રસંગોમાં પણ મનુષ્ય કુદરતી ઉપાયો વડેજ પિતાની આત્મરક્ષા કરી શકે એમાં તને અસંભવિતતા જેવું શું જણાય છે ? પણ તે વાતને હમણું જવા દે. અત્યારે એ વાતને ચર્ચવાની કોઈ જરૂર નથી; કારણ કે હું અત્યારે ભક્તિનું સ્વરૂપ સમજાવવા માગું છું. ભક્ત ઈશ્વરાનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે કે નહિ તેવિશે અત્રે બેલવા માગતા નથી. ભક્તાત્માએ કાઈ પણ પ્રકારના ફળની કામના રાખવી ન જોઈએ, કારણ કે કામનાયુક્ત ભક્તિને નિકામ ભક્તિ કહેવાય નહિ. શિખ્ય–પરંતુ પ્રહાદે તો તે સમયે પિતાની રક્ષા થાય એવી કામના રાખેલી
ગુરુ નહિ. તેણે એવી લેશમાત્ર ઇચછા રાખી નહતી. માત્ર એ દઢ સંકહિપ તેણે કર્યો હતો કે જે મારા આરાધ્ય વિષ્ણુભગવાન મારા પોતાનામાં વાસ કરી રહ્યા છે તો પછી તેઓ આ અસ્ત્રમાં પણ હોવા જ જોઈએ. એથી કરીને આ અસ્ત્ર વિગેરે મને કશી હાનિ કરવાને સમર્થ નથી. તેનો આ પ્રકારનો દઢ નિશ્ચય ધીમે ધીમે અધિક સ્પષ્ટ અને બળવત્તર થતો ગયો છે, એજ એક વાત મારે ભાર મૂકીને કહેવાની છે.
હવે મૂળ કથા ઉપર આવીએ. અસ્ત્ર-શસ્ત્રના આઘાતથી પણ જ્યારે પ્રહાદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com