________________
ધમતવ
+ +
+ मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । ત્તિ વૈરયાસ્તથા રાસ્તાવિ જાતિ વ ગતિમ ! (૯-૩૨).
અર્થાત યદ્યપિ હુ સર્વ પ્રાણીઓમાં સમાન રહ્યો છું, ને મારે કઈ પ્રિય કે અપ્રિય નથી; તોપણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં અને હું તેનામાં વિશેષ ભાવે રહેલા છીએ. x x x x જેઓ પાપકર્મથી નીચ યોનિમાં જન્મેલા હોય, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો કે ડો હોય પણ તેઓ મારે આશ્રય કરવાથી પરમ ગતિ (મોક્ષ) ને પામે છે.
શિષ્ય:–ઘણું કરીને આ આશય તો બૌદ્ધ ધર્મમાંથીજ ગ્રહણ કરવામાં આવ્યો હશે.
ગુર:--અત્યારના ભણેલા ગણુતા વર્ગમાં એજ એક મોટામાં મોટી બેવકુફી પ્રચલિત છે. યુરોપીયન પંડિત તમને શીખવે છે કે ઈ. સ. પૂર્વે ૫૪૩ વર્ષે શાયસિંહ મૃત્યુ પામ્યો હતો. એટલા ઉપરથી તમે આંખો મીંચીને એ સિદ્ધાંત કરી બેઠા છો કે ભારતવર્ષમાં જે કાંઇ સારૂં તત્ત્વ જોવામાં આવે તે સર્વ બુદ્ધધર્મનું જ હોવું જોઈએ. તમને એવો દઢ નિશ્ચય થઈ ગયા છે કે હિંદુધર્મ એ નિકૃષ્ટ છે કે તેમાંથી કોઈ સારી વસ્તુ કઈ કાળે ઉત્પન્ન જ થઈ શકે નહિ; પરંતુ બૌદ્ધધર્મ પિતેજ હિંદુધર્મને એક ફાટે છે, એ વાત અત્યારને ભણેલે વર્ગ ભૂલી જાય છે. હિંદુધર્મમાંથી બુદ્ધધર્મ જે એક પ્રબળ ધર્મ ઉત્પન્ન થવા પામ્યો તો પછી તેજ હિદુધર્મમાં બીજા કેટલાયે મહત્ત્વના સિદ્ધાંત ભર્યા હશે તેનો કોઈ વિચાર કરી શકે છે ?
શિષ્ય --આપનું કહેવું યોગ્ય છે. જે આપને ઠીક લાગે તો હવે રાજગુહ્યયોગની વ્યાખ્યા સંભળાવવા કૃપા કરો.
ગુર–રાજગુહ્યગને સર્વપ્રધાન સાધન માનવામાં આવ્યું છે. તેને પૂલ આશય એ છે કે – જે કે ઇશ્વરની પ્રાપ્તિ સર્વને માટે સંભવિત છે, તથાપિ જે મનુષ્ય જે ભાવે તેનું ધ્યાન કરે તેને તેવાજ રૂપે તે પ્રાપ્ત થાય, એ પણ એક સામાન્ય નિયમ છે. જેઓ દેવ-દેવીઓની સકામ ઉપાસના કરે છે, અને તેને દ્વારા ઈશ્વરાનુગ્રહ પ્રાપ્ત કરે છે તેઓ સ્વર્ગે જઈ શકે છે, પરંતુ તેમને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. જેઓ નિષ્કામપણે દેવ-દેવીઓની ઉપાસના કરે છે, તેઓની ઉપાસના નિષ્કામ હેવાથી એક રીતે તેઓ ઈશ્વરની જ ઉપાસના કરે છે, એમ કહી શકાય, કારણ કે ઈશ્વર સિવાય બીજો દેવજ કર્યા છે ? અને તેથી તેઓ નિષ્કામ ઉપાસનાના ફળરૂપે સાક્ષાત ઈશ્વરત્વને પ્રાપ્ત કરે છે. અહીં એવી શંકા થવી સંભવિત છે કે જે દેવ-દેવીઓમાં પણ ઇશ્વર વ્યાપ્ત છે, તો પછી સકામ ઉપાસનાદ્વારા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com