________________
અધ્યાય ૧૬ -ભગવદ્ગીતાને સંન્યાસ ૧૭ ગુર–કુરુક્ષેત્રના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ અર્જુનના રથ ઉપર ચડી આવે ઉપદેશ કર્યો હતો, એમ જે કહેવાય છે તે ઉપર મને વિશ્વાસ નથી; કારણ કે વિશ્વાસ નહિ રાખવાના અનેક સબળ હેતુઓ મળી આવે છે. ગીતા એ મહાભારતમાં પ્રક્ષિપ્ત અંશ છે, એમ મારું માનવું છે, પણ ગીતક્તધર્મના કર્તા કૃષ્ણજ છે એ સંબધે મને લેશમાત્ર શંકા નથી. તેના અનેક સબળ કારણો પણ છે. અત્યારે તું જઈ શકશે કે એ પવિત્ર-પુણ્યમય ઉપદેશના પ્રતાપે નિષ્કામ ધર્મને જગતમાં વિશાળ, પ્રચાર થતો જાય છે. માનવ-જીવન નિષ્કામધર્મની આરાધનાવડે સફળ કરવાની પવિત્ર ભાવનાઓ પ્રસરતી જાય છે, એટલું જ નહિ પણ નીતિ અને ધર્મમાં પણ એજ નિષ્કામ ધર્મના પવિત્ર અંશે પ્રવેશ કરી ચૂકયા છે. વસ્તુતઃ કામ્ય કર્મને ત્યાગ એજ સંન્યાસ અથવા તે નિષ્કામ કર્મ કરવાં તેનું જ બીજું નામ સંન્યાસ. નિષ્કામ કર્મને પણ ત્યાગ કરે એને સંન્યાસ કહી શકાય નહિ.
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । 'सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः॥ અર્થાત વિદ્વાને સકામ કર્મોના ત્યાગને સંન્યાસ જાણે છે; અને વિચક્ષણ પુરુષે. સર્વ કર્મના ફળના ત્યાગને સંન્યાસ કહે છે. - જે દિવસે યૂરોપીય વિજ્ઞાન અને શિલ્પ, તથા ભારતવર્ષને આ નિષ્કામધર્મ એ બનને એકત્ર થશે ત્યારે આ સંસાર સ્વર્ગ સમાન બનશે, અને મનુષ્યો દેવ સમાન બનશે. ત્યાર પછી વિજ્ઞાન અને શિલ્પના નિષ્કામ પ્રયોગો થવા લાગશે, અને વિજ્ઞાનાદિ વિવાઓને સકામ વ્યવહાર કેવી રીતે કરે તેની કેાઇને કલ્પના પણ આવશે નહિ. શિષ્ય:–મનુષ્યોના ભાગ્યમાં એક દિવસ કોઈ કાળે આવશે ખરો?
ગુરુ-તમે લેકે આર્યપુત્રો છે, તે કેમ ભૂલી જાઓ છો? તમારાથી શું અસાધ્ય છે ? તમે જે કઈ ધારો તે કરી શકે તેમ છે. તમે દઢ ધારણ કરી તે સમસ્ત પૃથિવીના દેરનાર બની શકે. જે તમારા હૃદયમાં આવી મહત્ત્વાકાંક્ષા તથા આત્મબળ ન હોય તે મારે આ સર્વ બકવાદ નિષ્ફળ છે. અસ્તુ. હવે, ગીત સંન્યાસવાદનું યથાર્થ તાત્પર્ય તું શું સમજ્યો ? કર્મ રહિત સંન્યાસ એ હલકી કેટીને, સંન્યાસ છે, એજ આજની આપણી ધર્મવ્યાખ્યાને નિષ્કર્ષ છે. ભક્તિયુક્ત કિંવા. ભકયાત્મક કર્મો આપણે કરવાં જોઇએ એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. એટલા. માટે ગીતાક્ત સંન્યાસનું પણ અંતિમ તાત્પર્યો તે એજ નીકળી શકે કે કયાત્મક કર્મયુક્ત સંન્યાસ એજ યથાથ સંન્યાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com