________________
ધર્મતત્વ
---
-
-
-
શિષ્યઃ–પરંતુ મારા ધારવા પ્રમાણે ધર્મ સમસ્ત જનસમાજને ઉપયોગી થઈ શકે એ હેય તેજ તે ઉચિત લેખાય.
ગુર--મારાથી કે તારાથી ધર્મ ઉત્પન્ન કરી શકાતે હેત તે આપણે જનસમાજને ઉપયોગી બની શકે એવી રીતને ધર્મ તૈયાર કરી આપત–લાનો
ડરમળત તે પ્રમાણે ધર્મને તૈયાર કરી મેલી આપી શકત; પરંતુ ધર્મ એ વસ્તુ કંઇ એવી નથી કે આપણું ઈછામાં આવે તે પ્રમાણે તેને બદલી નાખી શકીએ. ધર્મ તો ઈશ્વરી નિયમને આધીન છે. ધર્મના પ્રણેતાઓએ જે રીતે તેનું બંધારણ કર્યું છે તે જ રીતે આપણે તેને સમજવો જોઈએ. છતાં ધર્મ જનસમાજને માટે નિરુપયોગી કિંવા અનુપયોગી છે એમ તે કહી શકાય નહિ. પ્રયત્ન કરવાથી અનુશીલનદ્વારા સર્વે કોઈ ધર્મને માટે અધિકારી થઈ શકે છે. એક વખતે સમસ્ત મનુષ્યજાતિ ધર્મને માટે યોગ્ય બની શકશે, એમ પણ હું દૃઢ વિશ્વાસપૂર્વક કહી શકું છું. જ્યાં સુધી તમે પરમ ધામિક બની શકે નહિ ત્યાં સુધી તમારે તમારા આદર્શનું અનુકરણ કરવામાં કઈ જાતને પ્રમાદ કરે ઘટે નહિ. આદર્શ સંબંધે મેં જે કાંઈ કહ્યું છે તે એકવાર પુનઃ યાદ કરી લે. આદર્શ પુરુષો કેવા હોય તેનું બરાબર સ્મરણ કરી શકશે તો તારી શંકાનું સમાધાન તું પોતેજ કરી શકશે. - શિષ્ય --પરંતુ જે હું એમ કહું કે મને તમારા એ તત્ત્વજ્ઞાનવાળા કે દુપ્રાપ્ય સુખની જરૂર નથી; મને તે ઇન્દ્રિયની પરિતૃપ્તિનું સુખ મળે એજ ઈચ્છા છે તે આપ શું કહેશે? | ગુડ–બીજું શું કહું ? માત્ર એટલુંજ કહીશ કે તેં જે સુખ કહ્યું તે સુખ પ્રાપ્ત કરવાને માટે ધર્મની જરૂર નથી, અધર્મ એજ એક માત્ર એવા–ઇકિયસુખને ઉપાય છે.
શિષ્ય:–ઈદ્રિયોની પરિતૃપ્તિમાં શું સુખ નથી ? ત્યાં પણ ઈ દિયવૃત્તિનું રણ તથા સાર્થકય તો છેજ. તે પછી ઈદ્રિયના વિષયોને નિર્બળ કરી નાખી દયાપ્રીતિ–ભકિત આદિ વૃત્તિઓને વિશેષ બળવાન શામાટે બનાવવી તેનું કારણ સમજાતું નથી. ઈદ્રિયના વિષયોને વધારે પ્રમાણમાં પિષણ આપીએ તે દયા-દાક્ષિણ્ય આદિ વૃત્તિઓને વંસ થઈ જાય એ ભય રહે છે, એમ આપે અગાઉ કહ્યું છે. હું તેના ઉત્તરમાં કહું છું કે વંસ થતો હોય તો ભલે થાય, મારે ઈયિસુખેથી શામાટે દૂર રહેવું ? | ગુજ–તારી એ કલ્પના બહુ ભૂલભરેલી છે. તો પણ હું તેને ઉત્તર આપવા યત્ન કરીશ. તને ઈન્દ્રિય-વિષયની પરિતૃપ્તિમાં સુખ લાગતું હોય તે ભલે. હું ઇન્દ્રિય-વિષય ભેગવવાની સંપૂર્ણ છૂટ આપું છું, એટલું જ નહિ પણ એક દસ્તાવેજ સુદ્ધાં લખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com