________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
પ્રકારનું સુખ શું બને કાળમાં પ્રાપ્ત કરી શકાય?
ગુસ-પરકાળનો સ્વીકાર કર્યા વિના એ વિષય કેવી રીતે ચર્ચ તેની મને સમજણ પડતી નથી, પરંતુ ખેર-તારા પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં મારે બે બાબતો જાણી લેવી જોઈએ; કારણ કે જન્માંતરને માટે જેના હૃદયમાં શ્રદ્ધા હોય તેને સમજાવવાનો માર્ગ જૂદ છે, અને જન્માંતરને માટે જેને શ્રદ્ધા ન હોય તેને સમજાવવાનો માર્ગ જૂદ છે. બેલ, તું જન્માંતર માને છે ? શિષ્ય:- ના.
ગુરુ:–ભલે. પરકાળને જે તે સ્વીકાર કરે છે અને જન્મતરને માનતા નથી તે તારે બે વાતને સ્વીકાર કરે પડશે. પહેલી વાત તે એજ કે આ શરીર આપણી સાથે કાયમ રહેવાનું નથી, અને તેને લીધે શારીરિક વૃત્તિઓ દ્વારા પ્રાપ્ત કરેલું સુખ–દુઃખ એ કાંઈ પરકાળે આપણી સાથે આવી શકે નહિ. બીજી વાત એ કે શારીરિક સુખો કદાચ આપણી સાથે પરકાળમાં ન આવે તો પણ ત્રણ પ્રકારની માનસિક વૃત્તિઓ તે કાયમને માટે સાથે ને સાથે જ રહેવાની અને તેને લીધે માનસિક વૃત્તિઓ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય સુખ-દુઃખ તો પરકાળે પણ રહેવાનું જ. આ પ્રકારનાં માનસિક સુખો જ્યાં અધિક પ્રમાણમાં અનુભવાય તેને સ્વર્ગ કહી શકાય; અને જ્યાં માનસિક દુઃખે અધિક પ્રમાણમાં અનુભવાય તેને નરક કહી શકાય.
શિષ્ય:-પરકાળ જે હોય તો ધર્મવ્યાખ્યામાં તેને એક અગત્યનું સ્થાન આપણે આપવું જોઈએ. બીજી અનેક ધર્મ વ્યાખ્યાઓમાં પરકાળ ઉપર ઘણું ખરું વજન કરવામાં આવ્યું છે. આપ પણ પોતે પરકાળને માનવા છતાં ધર્મવ્યાખ્યામાંથી તેને બહિષ્કાર કરશો તો આપની વ્યાખ્યા અસંપૂર્ણ તેમજ ભૂલભરેલી થઈ પડશે એમ મને લાગે છે.
ગુર:–અસંપૂર્ણ થઈ પડે એમાં તે કશો સંદેહ નથી. પરંતુ ભૂલભરેલી થઈ પડે એમ માનવાને કશું કારણ નથી; કારણ કે સુખનો ઉપાય જે એક માત્ર ધર્મ હોય અને આ કાળનું સુખ પરકાળે પણ ટકી શકે એમ હોય તે પછી આ કાળને ધર્મ તેજ ધર્મ પરકાળે માટે પણ હોવા ગ્ય છે, એમ માનવું અસંગત નહિ લેખાય. પરકાળને ન માનતા હોય તે મનુષ્ય પણ આ કાળને જ સર્વસ્વ માની અસંપૂર્ણરૂપે ધાર્મિક બની શકે. ધર્મ નિત્ય છે, એટલું જ નહિ પણ ધર્મ આ કાળે જેમ સુખપ્રદ છે તે જ રીતે પરકાળે પણ સુખપ્રદ છે. તું પરકાળને માન યા ન માન તપણે ધર્મને માન આપી ધર્માચરણ કરવામાં પ્રમાદ કરીશ નહિ, એજ મારી તને પુનઃ પુનઃ ભલામણ છે. ધર્માચરણથી મનુષ્ય આ કાળે પણ સુખી થઈ શકે છે અને પરકાળ હોય તે પરકાળે પણ સુખી થઈ શકે છે.
શિષ્યઃ-આપ પોતે પરકાળ માને છે તે કોઈ પ્રમાણને આધારે કે પરકાળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com