________________
ધમતવ
-
તેમને ખબર ન હોવાથી બિચારાઓ ટોપરાને બદલે કાચલી અને રસને બદલે ગોટલી ખાઈને હેરાન થાય છે. અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરે તેની સૂચના ન મળે તે એવું જ્ઞાન પણ દુઃખદાયક થઈ પડે છે.
શિષ્ય –ત્યારે શુંજ્ઞાનાર્જની વૃત્તિઓના અનુશીલન માટે જ્ઞાનની કશી જરૂરજ નથી?
ગુસ–બેવકુફ! એક અસ્ત્ર સજાવવું હોય તે શું ખાલી જગ્યામાં ફેરવવાથીજ તે હેતુ સિદ્ધ થઈ જાય ?સેય વસ્તુ સિવાય જ્ઞાનની ખીલવણી થઈજ કેવી રીતે શકે? છતાં એટલું લક્ષમાં રાખવું જોઈએ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે આપણી જ્ઞાનેચ્છા પણ વિકાસ પામવી જ જોઈએ. અત્યારે જે શિક્ષણ પદ્ધતિ આપણુમાં પ્રચલિત છે તે તે આપણું પેટમાં ઠાંસી ઠાંસીને બરાકજ ભર્યા કરે છે! આપણે તે ખોરાકને પચાવી શકીએ છીએ કે નહિ, અને પછી સુધા જાગૃત થાય છે કે નહિ, પેટમાં વધારે અન્ન રહી શકે તેમ છે કે નહિ, તેનો કોઈ પણ વિચાર નહિ કરતાં, બસ, હાંસી ઠાંસીને ખેરાકજ ભર્યા કરે છે ! કેટલીક મૂખ માતાઓ બાળકને ખૂબ ખવરાવી ખવરાવીને બાળકના શરીરનું સત્યાનાશ વાળે છેતેવી જ રીતે અત્યારના પિતાએ તથા શિક્ષકે પણ પુત્રોની તથા વિદ્યાર્થીઓની ઉન્નતિને બદલે અવનતિજ કરે છે ! - જ્ઞાન પ્રાપ્ત કરવું તે ધર્મને એક પ્રધાન અંશ છે, પરંતુ એને બદલે અત્યારે તો જ્યાં જોઈએ ત્યાં ઉક્ત ત્રણ દેજો પ્રવર્તી રહ્યા છે ! ધર્મને યથાર્થ મર્મ જ્યારે લોકે સમજવા લાગશે ત્યારેજ આ કુશિક્ષારૂપી પાપ પણ સમાજમાંથી દૂર થઈ શકશે.
अध्याय १० मो-मनुष्यभक्ति
શિષ્ય–વૃત્તિઓનું યોગ્ય સ્કરણ, સામંજસ્ય તથા સાર્થક્ય એજ સુખ અને એજ મનુષ્યત્વ એ વાત બરાબર સમજાઈ. વૃત્તિઓ ત્રણ પ્રકારની તે પણ સમજાયું; જેમકે (૧) શારીરિક, (૨) જ્ઞાનાર્જની અને (૩) કાર્યકારિણી અથવા ચિત્તરંજની. તેમાં શારીરિકી વૃત્તિ તથા જ્ઞાનાર્જની વૃત્તિના અનુશીલનસંબંધે આપે જે ઉપદેશ કર્યો તે મેં બરાબર સાંભળ્યો છે. નિકૃષ્ટ કાર્યકારિણી વૃત્તિઓના અનુશીલનની શું જરૂર છે, તે વાત પણ આપે સામંજસ્યને વિષય સમજાવતી વખતે, ભય-ક્રોધ-લેભ ઈત્યાદિના દષ્ટાંતપૂર્વક કહી સંભળાવી. હવે નિકૃષ્ટ કાર્યકારિણી વૃત્તિ સંબધે આપને વિશેષ બલવાનું હોય એમ હું ધારતો નથી. ઉત્કૃષ્ટ વૃત્તિઓના અનુશીલનસંબંધે આપને કાંઈ કહેવાનું હોય તે કહે.
ગુરુ --હવે કાર્યકારિણી વૃત્તિઓમાં જેને સર્વત્ર ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com