________________
ધર્મતત્વ
રીતે શ્રેષ્ઠ છે, એટલા માટે સ્વામી પણ ભક્તિને પાત્ર છે. હિંદુધર્મ એમ પણ કહે છે કે સ્ત્રીઓએ પણ સ્વામીની ભક્તિને પાત્ર બનવું જોઈએ; કારણ કે હિંદુધર્મ સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે સ્ત્રીને સાક્ષાત લક્ષ્મીસ્વરૂપ માનવી જોઈએ. ઘરનાં મનુષ્યો, જે ભકિતને યોગ્ય એવાં વડીલોની ભકિત ન કરે, અર્થાત પુત્ર કન્યા અથવા, વધુ જે પિતાના માતા-પિતાની ભકિત ન કરે, જે સ્ત્રી પિોતાના સ્વામી પ્રત્યે ભક્તિભાવ ન રાખે, જે સ્ત્રી પોતાના સ્વામીનો તિરસ્કાર કર્યા કરે, વિદ્યાથીઓ જે ગુરુનું અપમાન કર્યા કરે તો તે ગૃહ કાઈ કાળે ઉન્નતિ પ્રાપ્ત કરી શકે નહિ; એવા ગૃહને ગૃહ કહેવા કરતાં નરકજ કહેવું એ વધારે યોગ્ય છે. આ વાત એવી તો સ્વતસિદ્ધ છે કે કષ્ટપૂર્વક સમજાવવાની જરૂર પડે તેમ નથી. આવી રીતે ભકિતને પાત્ર એવાં વડીલો પ્રત્યે એગ્ય ભકિતભાવ વહેવા દેવો એ પણ અનુશીલનવાદનો એક મુખ્ય સિદ્ધાંત છે. હિંદુધર્મને પણ તેજ ઉદ્દેશ છે, એટલું જ નહિ પણ અન્યાન્ય ધર્મો કરતાં. હિંદુધર્મ એ વિષયને ઘણુંજ અગત્યનું સ્થાન આપે છે. હિંદુધર્મ જગતને સર્વશ્રેષ્ઠ ધર્મ લેખાય છે તેનું એ પણ એક કારણ છે.
(૨) ગૃહના જેવું જ સમાજનું પણ બંધારણ સમજી લેવું. ગૃહના સ્વામીની માફક અથવા પિતામાતાની માફક રાજ આપણા સમાજને અધિપતિ છે. તેના ગુણના પ્રતાપે કિંવા તેના દંડના પ્રતાપે સમાજ સર્વદ પોતાનું રક્ષણ કરી શકે છે. સંતાન વડે પિતા જેવી રીતે ભક્તિપાત્ર છે તેવી જ રીતે રાજા પણ પ્રજા તરફની ભક્તિને પાત્ર છે. ખરી રીતે તે પ્રજાની ભક્તિ જ રાજાને બળવાન તથા શક્તિમાન બનાવે છે. નહિ તર એક રાજાના બે બાહુમાં તે કેટલુંક બળ રહી શકે ?
શિષ્ય –તે પછી બીજા ફિલીપ જેવા તથા ઔરંગજેબ જેવા રાજાઓની વિરુદ્ધમાં લડત ચલાવવી એ પાપરૂપ લેખાય કે નહિ ?
ગુર–કદાપિ નહિ. રાજા જયાં સુધી પ્રજાપાલક હોય ત્યાં સુધી જ તે રાજા છે. જ્યારે તે પ્રજાપડિક બને ત્યારે તે રાજા નથી, અને તેથી, તે આપણી ભક્તિને પાત્ર નથી. આવા રાજાની ભક્તિ કરવાને બદલે તેને પિતાને સારી રીતે રાજ્ય ચલાવવાની , ફરજ પડે તેવી રીતનું વર્તન ચલાવવું એજ દેશવાસીઓનું કર્તવ્ય છે; કારણ કે રાજા સ્વચ્છંદી હોય છે તેથી પ્રજાનું કોઈ કાળે કલ્યાણ થાય નહિ; પરંતુ આ સર્વ વાતે ભક્તિના વિષય સાથે સંબંધ ધરાવતી નથી, તેથી તે વિષે અહીં સમયનો વ્યય કરે અનુચિત છે. પ્રીતિને વિષય નીકળશે ત્યારે તે વિષે વિસ્તારપૂર્વક હું બેલીશ. અત્યારે તે માત્ર એક જ વાતને ઉલ્લેખ કરી રાજભક્તિને વિષય સમાપ્ત કરીશ. રાજા જેવી રીતે આપણી ભક્તિને પાત્ર છે તેવી જ રીતે રાજાના પ્રતિનિધિરૂપ રાજ. પુરુષો પણ યથાયે ગ્ય સન્માનને પાત્ર છે, પરંતુ જ્યાં સુધી તેઓ રાજકાર્યમાં નિયુકત હોય અને ધર્મપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય ત્યાંસુધી જ તેઓ સન્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com