________________
૮૪
ધર્મ તત્ત્વ
જાતનું વિઘ્ર નડે નહિ. ધિરજ જો વૃત્તિના ઉદ્દેશ હાય, અર્થાત્ અનંત મગળ, અનંત જ્ઞાન, અનંત ધર્મ, અન ંતસાં, અને અનંત શક્તિ જે વૃત્તિને ઉદ્દેશ હાય, તેને આગળ વધતી કણ અટકાવી શકે ? માટે ભક્તિવૃત્તિને આધીન રહેવુ એજ સ વૃત્તિઓનુ યથાર્થ સામજસ્ય છે.
શિષ્યઃ—આપે જે મનુષ્યતત્ત્વ અને અનુશીલન ધમ' સમજાવ્યા તેનું સ્થૂળ તાત્પર્યાં, મારા સમજવા પ્રમાણે, એવું નીકળે કે ઈશ્વરભક્તિ, એજ સંપૂર્ણ મનુ ધ્યત્વ, એટલુંજ નહિ પણ ભક્તિ એજ અનુશીલનના એક માત્ર ઉદ્દેશ હાવાયાગ્ય છે. ગુરુ:---અનુશીલન ધર્મના એવા આશય છે, એ વાત ખરી. વસ્તુતઃ જ્યાં સુધી સઘળી વૃત્તિઓ ઘરમાં સષિત ન થાય ત્યાંસુધી સંપૂર્ણ મનુ બ્યવજ પ્રાસ ન થઇ શકે. વૃત્તિઓનું ઈશ્વરને અર્પણ કરવું તેજ સાચુ કૃષ્ણાણું ! એજ સાચા નિષ્કામ ધ' ! અને એજ સાચુ સુખ ! પ્રકારાંતરે કહીએ તે! ચિત્તશુદ્ધિ પણ એનુજ નામ ! ધર્માં પણ એજ ! અને ભક્તિ, પ્રીતિ, શાંતિ વિગેરે જે લક્ષણા કહ્યાં છે તે પણ તેજ ધર્માંનાં ! મે ઉપર કહ્યો તે સિવાય ખીન્ને કાઇ યથા ધર્મ નથી. મારે જે કાંઇ કહેવાનું છે તેનુ મૂળ હું તનેજ સમજાવી ગયા; પશુ એટલા ઉપરથી તું એમ માની લઈશ નહિ કે એટલી વાત સમજવા માત્રથીજ અનુશીક્ષનધનું સંપૂર્ણ રહસ્ય તું સમજી ગયા !
શિષ્યઃ—-વસ્તુતઃ હું કંઇજ સમજ્યા નથી. એ વાતને હું પોતેજ સ્વીકાર કરેં હ્યુ. અનુશીલન ધર્મમાં ભકિતનું થાન કયાં છે તેવિષે હું હજી તદ્દન અજ્ઞાન છું. શારીરિક અનુશીલનની વ્યાખ્યા આપે કહી સંભળાવી ત્યારે મારી ખાત્રી થઇ હતી
શારીરિક બળમાં વૃદ્ધિ કરવી અથવા તા શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવી એ કવ્યુ છે. હવે, ધારા કે કાષ્ઠ મનુષ્ય રાગ, દારિદ્ર કે એવાજ બીજા કાઇ કારણથી પેાતાની શારીરિક વૃત્તિને સંપૂર્ણ પ્રમાણમાં કેળવી ન શકે તે શું તેનાથી શ્વરભક્તિ ન થઇ શકે?
ગુરુઃ--મારે કહેવાનું માત્ર એટલુંજ છે કે જે અવસ્થામાં મનુષ્યની સધળી વૃત્તિએ ઈશ્વરાભિમુખી થાય તે અવસ્થાને ભકિત કહેવાય. અમુક વ્યક્તિનું શારીરિક ખળ અધિક ન્યૂન અથવા ગમે તેટલું šાય પણ જો તે વ્યકિત ઈશ્વરાભિમુખ રહે, અર્થાત્ પેાતાના શારીરિક બળના ઉપયાગ ઈશ્વરાનુમત કાર્યોંમાં કરે, તેમજ તેની સાથે પેાતાની બીજી વૃત્તિઓને પણ સંયુક્ત કરે તેા તેનામાં શ્વિરભકિત છે, એમ કહી શકાય. જે મનુષ્યમાં જેટલું બળ ન્યૂન હ્રાય તેટલે અંશે તેની કન્યપાલનતામાં ખામી આવે એ વાત તેા ખુલ્લીજ છે. અનુશીલનની જરૂર એટલીજ છે કે શરીરને કિવા મનને ખરાખર કેળવી તેને ઈશ્વરાનુમત ( ઈશ્વરે ઉપદેશેલા ) કાર્યોંમાં અંતઃકરણપૂર્વક ઉપયાગ કરવા. દાખલાતરીકે એક લૂટારા એક ભલા-નિર્દોષ માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com