________________
અધ્યાય ૧૪ મ-ભગવદ્દગીતા કાગ
s
કરવામાં આવે તેનેજ કર્મ એવું નામ આપવામાં આવતું. મતલબ કે કર્મ એટલે કામ-કર્મ. પ્રાચીન વેદક્ત કર્મની સાથે કૃષ્ણકત ધર્મની ભિન્નતા તથા ઉત્કૃષ્ટતા અહિંયાંથી જ શરૂ થાય છે. વેદકત કાયકર્મના અનુષ્ઠાનની નિંદા કરતાં શ્રીકૃષ્ણ કહે છે કે -
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः। वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुला भोगैश्वर्यगति प्रति॥ भोगैश्वर्यप्रसक्तानां भयापहृतचेतसाम्।।
व्यवसायात्मका बुद्धिः समाधौ न विधीयते (२-४२-४४) ભાવાર્થ-ડે પાર્થ ! વેદના વાદમાં જ મગ્ન રહેનારા અને ભોગ તથા ઐશ્વર્ય વિના બીજું કાંઈ મેળવવાનું જ નથી એવું બોલનારા અજ્ઞાનીઓ માત્ર પુના જેવી સુશોભિત વાણીને બોલે છે, અને વિષયોની જ કામનાવાળા તથા સ્વર્ગને જ સર્વથી શ્રેષ્ઠ માનનારા તે મનુષ્યો ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ કરવાને માટે જન્મ તથા કર્મના ફળને આપનારી એવી અનેક પ્રકારની બહોળી ક્રિયાઓ કરવાનું કહે છે. એવી વાણી સાંભળીને જેઓનું ચિત્ત તે તરફ ખેંચાઈ ગયું હોય એવા ભોગ અને એશ્વર્યમાં અતિ આસકિતવાળા મનુષ્યો એવી ક્રિયાઓ કરે તે પણ કાર્યની સિદ્ધિ-સિદ્ધિ પ્રત્યે રાખ જોઇતો સમભાવ તેઓની વ્યવસાયવાળી બુદ્ધિમાં ઉપજ નથી.
અર્થાત વૈદિક કર્મ અથવા કામ્યકર્મનું અનુષ્ઠાન એ કાંઈ ધર્મ નથી. છતાં કર્મ તો કરવાં જ જોઈએ. તે પછી કેવા કર્મો કરવાં એ સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉદ્દભવે છે. તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે કર્મ કામનારહિત હોય તેને નિષ્કામ કર્મ કહેવાય, અને એવાં નિષ્કામ કર્મ કરવાં તેજ સત્ય ધર્મ માર્ગ છે, તેજ સત્ય કર્મનું અનુષ્ઠાન છે. શિષ્ય --નિષ્કામ કર્મ કોને કહેવાય? ગુરુ ભગવાન પોતેજ નિષ્કામ કર્મનું આ પ્રમાણે લક્ષણ બોધે છે :
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । ।
ના કર્મભૂ તે નોકરાર નિ (૨-૪૭) અર્થાત-કર્મમાંજ તારો અધિકાર છે, કર્મના ફળમાં નહિ. કર્મના ફળની આશા તજી દે. કર્મનો ત્યાગ કરી દઈશ નહિ.
સારાંશ કે કર્મ કરવાને આપણે બંધાયેલાજ છીએ, પરંતુ કર્મના ફળસંબંધી લેશ પણ આકાંક્ષા ન રાખવી જોઈએ. શિષ્ય --ફળની આકાંક્ષા ન રહે તે પછી કર્મ કરવાની પ્રવૃત્તિજ કોણ કરે? ગુ––એ પ્રમાણે શંકા થવી સ્વાભાવિક છે એમ ધારીને ભગવાન પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com