________________
અધ્યાય ૧૧ મે-ઈશ્વરભક્તિ
શિષ્ય ––બરાબર સમજાયું નહિ.
ગુસ –અર્થાત જ્યારે આપણી જ્ઞાનાની વૃત્તિઓ ઈશ્વરસંબંધી અધ્યયન કરવામાં જ પ્રવૃત્ત રહ્યા કરે, કાર્યકારિણી વૃત્તિઓ જ્યારે ઈશ્વરનેજ સમર્પિત થાય, ચિત્તરંજની વૃત્તિઓ જ્યારે ઈશ્વરના સૌંદર્યને જ ઉપભોગ કરે, અને શારીરિકી વૃત્તિઓ જ્યારે ઇશ્વરનાં કાર્યો બજાવવામાં જ તલ્લીન રહ્યા કરે, અથવા ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરવા લાગે, ત્યારે તે અવસ્થાને ભકિત કહેવામાં આવે છે. જેનું જ્ઞાન પણ ઈશ્વરમાંજ સમાઈ જાય, જેનું કર્મ પણ ઈશ્વરમાંજ સમાઈ જાય, આનંદ પણ ઈશ્વરમાંજ સમાઈ જાય અને જેનો દેહ પણ ઈશ્વરને જ આધીન રહે તેનામાં ઈશ્વરભકિત છે, એમ સમજવું. ઈશ્વરભક્તિનું ગ્ય સ્કૂરણ તથા ખીલવણી પણ ત્યારેજ થયાં ગણાય
શિષ્ય –આપના આ કથન સામે મારે પ્રથમ વાંધો તે એજ છે કે આપે અત્યારસુધી ભકિતને અન્ય અન્ય વૃત્તિઓ પૈકીની એક વૃત્તિમાત્રજ જણાવી હતી, અને હવે સઘળી વૃત્તિની સમષ્ટિને–એકત્રતાને ભક્તિ કહે છે. એને અર્થ શું સમજવો? જ ગુસ--ભકિત નામની એકજ વૃત્તિ છે. મારે કહેવાને આશય એવો હતો કે
જ્યારે મનુષ્યની સઘળી વૃત્તિઓ એક માત્ર ભક્તિવૃત્તિને જ અનુસરે ત્યારેજ ભક્તિનું યેય સ્કુરણ થયું ગણાય. અનેક પ્રકારની વૃત્તિઓમાં ભકિત વૃત્તિની મેં શ્રેષ્ઠતા તને જણાવી તેનું કારણ પણ એજ છે. ભક્તિ જ્યારે ઈશ્વરમાં સમર્પિત થાય ત્યારે બીજી વૃત્તિઓએ તેને આધીન થવું જ જોઈએ. ઇરાપિત ભક્તિ જે માર્ગ દર્શાવે તે માગે અન્યાન્ય વૃત્તિઓએ જવું જ જોઈએ, એજ મારે કહેવાનો આશય છે ભક્તિ એટલે સઘળી વૃત્તિઓની સમષ્ટિયુકત એક શક્તિ; એ અર્થ કરે તદ્દન અયોગ્ય છે.
શિષ્ય –-તે પછી સામંજસ્ય ક્યાં રહ્યું? આપ અગાઉ કહી ગયા છે કે સઘળી વૃત્તિઓની યથાયોગ્ય સ્મૃતિ તેનું જ નામ મનુષ્યત્વ. યથાયોગ્ય રકૃતિનો તે સ્થળે આપે એવો અર્થ કર્યો હતો કે કોઈપણ વૃત્તિને એટલી બધી આગળ વધવા ન દેવી કે જેથી કરીને બીજી વૃત્તિઓની સ્મૃતિને હાનિ પહોંચે. હવે જે સઘળી વૃત્તિઓ એક માત્ર ભકિતવૃત્તિને જ આધીન રહે તે પછી બીજી વૃત્તિઓને આજ્ઞાધીન રહેવું જ પડે, એ સ્વાભાવિક છે, અને જો એમ થાય તે વૃત્તિઓનું પરસ્પરનું સામંજસ્ય ક્યાં રહ્યું ?
ગસ--ભકિતને અનુસરવાથી કોઈપણ વૃત્તિની ઉત્કૃષ્ટ ઋતિને વિદી નડતું નથી. મનુષ્યની વૃત્તિને એક ચોક્કસ પ્રકારને ઉદ્દેશ હોજ જોઈએ. તેમાં ઈશ્વર સંબંધી ઉદ્દેશ સર્વથી મહાન છે, એમ કહેવાની જરૂર નથી. જે વૃત્તિ પોતે આગળ વધવાની - શકિત ધરાવતી હોય તે વૃત્તિ જો ઈશ્વરાનુવર્ત થાય તો તેના આગળ વધવામાં કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com