________________
૯૪
ધર્મતત્ત્વ
શિષ્ય –અત્યારસુધીમાં આપની પાસેથી મેં જે કાંઈ સાંભળ્યું તે ઉપરથી શું મારે એમ સમજી લેવું કે પ્રાચીન મહર્ષિ શાંડિલ્ય એજ ભકિતમાર્ગના પ્રથમ પ્રવર્તક છે?
ગુસ–છાંદોગ્ય ઉપનિષદ્દમાં જેવી રીતે શાંડિલ્યનું નામ છે તેવી જ રીતે દેવકીનંદન કૃષ્ણનું પણ નામ છે. હવે આ બેમાં પ્રથમ કે તે પ્રશ્નને સંતોષકારક નિર્ણય થઈ શકયો નથી, અને એટલા માટે ભકિતમાર્ગના પ્રથમ પ્રવર્તકતરીકે શ્રીકૃષ્ણને માનવા કે શાંડિલ્યને માનવા એ મારાથી નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
अध्याय १३ मो--भगवद्गीतानो स्थूल उद्देश
શિષ્ય –હવે ગીતકત ભકિતતત્ત્વવિષે ઉપદેશ આપે તે સાંભળવાની ઇચ્છા છે.
ગુર:--ગીતાના બાર અધ્યાયોને ભકિતયોગના નામથી ઓળખાવવામાં આવે છે; પરંતુ બારમા અધ્યાયમાં ભકતતવની વ્યાખ્યા બહુજ અલ્પ પ્રમાણમાં છે. બીજાથી બારમાપર્યતના સર્વ અધ્યાયોની સૂક્ષ્મ આલોચના કર્યા વિના ગીત યથાર્થ ભકિતતત્વ સમજી શકાય નહિ. ગીતાનો ભકતવાદ સમજો હોય તે પ્રથમના અગીઆર અધ્યાયનું સહજ મનન કરી લેવું જરૂરનું છે. આ અગીઆર અધ્યાયોમાં જ્ઞાન, કર્મ અને ભકિત એ ત્રણે વિષયો આવી જાય છે–ત્રણેની પ્રશંસા આવી જાય છે. અન્ય કોઇ ગ્રંથમાં આવી પ્રશંસા પણ નથી તેમજ આવું સામજસ્ય પણ નથી. ગીતાને ધર્મને સર્વોત્તમ ગ્રંથ માનવામાં આવે છે તેનું એજ કારણ છે કે તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. અન્ય કે ગ્રંથમાં આવું સામંજસ્ય નથી. છતાં મેં તે એવોજ નિર્ણય કર્યો છે કે આ ત્રણે તાની જે અંતિમ અવસ્થા તે ભાંક્તતવમાંજ પરિસમાપ્ત થાય છે. અને એટલા માટે વસ્તુત: ગીતા એ ભક્તિશાસ્ત્રજ છે, ' મ કહીએ તો તે અયોગ્ય નથી.
શિષ્ય:--આપ શું કહેવા માગો છો તે હું બરાબર સમજી શક્યો નથી. પોતાના બંધુ અને વડીલોનો વધ કરી રાજ્ય પ્રાપ્તિ કરવી એ યોગ્ય નથી એવો વિચાર કરી અર્જુન યુદ્ધથી નિવૃત્ત થવા માગે છે તેને ઉપદેશ આપી શ્રીકૃષ્ણ યુદ્ધમાં જોડે છે. એ જ ગીતાને મુખ્ય વિષય છે. જે આ વાત સત્ય હોય તે ગીતાને ભકિતશાસ્ત્ર કહેવાને બદલે “ઘાતક શાસ્ત્ર” કહીએ તો શું ખોટું છે?
ગુસ-ગ્રંથનાં માત્ર એકાદ બે પાનાં વાંચવાથી સમસ્ત ગ્રંથનો આશય પોતે સમજી ગયા, એ ખોટો ડોળ કરવાની અને કોને ટેવ હોય છે. આવા ઉપરચેટીઆ વાંચનારાઓ ગીતાને ઘાતકશાસ્ત્ર કહેતા હોય તો ભલે કહે. ટુંકામાં, અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરે એજ કાંઈ ગીતાને મળ-મૂખ્ય ઉદ્દેશ નથી, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com