Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 116
________________ * ધર્મતત્વ પાશ્ચાત્ય પ્રદેશમાં પણ એ પ્રમાણે બનતું આપણે જોઈએ છીએ. આજે કાન્સ જર્મની ઉપર હુમલો કરે છે તો કાલે જર્મની ફ્રાન્સને જમીન દસ્ત કરવા આગળ વધે છે. આજે તુક ગ્રીસ ઉપર ચડાઈ લઈ જાય છે તો કાલે રશીઆ તુકીને ગળી જવાની હીલચાલ કરે છે. એવી જ રીતે આજે પલાંડને વારે તો કાલે બલગેરીઆને વારે, એ પ્રમાણે યૂરેપની સભ્યજાતિઓ પણ કૂતરાની માફક પરસ્પર ડોકીઓ કરી રહી છે. શેરીને કૂતરો જે મળે તે મેંમાં નાખીને નાસી જાય છે તેજ પ્રમાણે સભ્ય જાતિ અથવા અસભ્યજાતિ પણ બીજી જાતિ પાસેથી પડાવી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. મતલબ કે દુર્બળ સમાજને પગતળે કચડી નાખવા બળવાન સમાજ હમેશાં તૈયાર જ હોય છે. એટલાજ માટે કહેવું પડે છે કે દેશરક્ષા સિવાય આત્મરક્ષા કોઈ કાળે થઈ શકે નહિ. આત્મરક્ષા અને સ્વજનરક્ષા એ જે ધર્મ હોય તો દેશરક્ષા એ પણ ધર્મ છે, એટલું જ નહિ પણ સૌથી અગત્યનો અને સૌથી વધારે મહત્તવને ધર્મ છે. કારણ કે જે દેશરક્ષા થઈ શકે તેજ સ્વપરનું બરાબર રક્ષણ બની શકે, અને તો જ ધર્મોન્નતિનો માર્ગ નિષ્કટક બની શકે. પુનરુક્તિના ભયથી એ વિષે વધારે બોલતા નથી. - કેટલીક સામાજીક અવસ્થાઓ ધર્મને માટે ઉપયોગી છે તો કેટલીક નિરુપયોગી હોય છે. કેટલીક અવસ્થાએ આપણી સમસ્ત વૃત્તિઓના અનુશીલનને માટે અનુકૂળ હોય છે તે કોઈ કોઈ સામાજીક અવસ્થા પ્રતિકૂળ પણ હોય છે. અનેક સમયે એવી પ્રતિકૂળતાઓ રાજા અથવા રાજપુરુષને જ આભારી હોય છે. યૂરોપમાં એક સમયે ટેસ્ટંટ મતવાળાઓને ક્રૂરતાથી જીવતા બાળી દેવામાં આવતા હતા. આર. ગજેબના વખતમાં હિંદુઓ ઉપર જે જુલમ થતા તે પણ તેના ઉદાહરણરૂપે ઉમેરી શકાય. ધર્મને માટે જે સામાજીક અવસ્થા અનુકૂળતાવાળી હોય તેને સ્વાધીનતા કહેવામાં આવે છે. “સ્વાધીનતા” એ દેશી વસ્તુ નથી.વિલાયતમાંથીજ એ ચીજ આપણું દેશમાં આવવા પામી છે. મૂળ શબ્દ “લીબટી ” નો એ અનુવાદ માત્ર છે. એ સ્વાધીનતાને અર્થ એવો નથી કે રાજા પોતે સ્વદેશીજ હવે જોઈએ. સ્વદેશી રાજા પણ અનેક સમયે સ્વાધીનતાને શત્રુ હોય છે, અને વિદેશી રાજા અનેક પ્રસંગે સ્વાધીનતાનો મિત્ર હોય છે. એને માટે હું ધારું છું કે ઉદાહરણ આપવાની જરૂર નથી. ધર્મોન્નતિને માટે સ્વાધીનતા અત્યંત જરૂરની વસ્તુ છે. એટલાજ માટે પ્રત્યેક મનુષ્ય આત્મરક્ષા–સ્વજનરક્ષા તથા સ્વદેશરક્ષાને માટે પિતાની સમસ્ત શારીરિક વૃત્તિઓનું સંપૂર્ણ અનુશીલન કરવું જ જોઈએ. શિષ્ય –ત્યારે એમજ કહી ઘો ને કે દરેકે દ્ધા બનવું જોઈએ ! ગુરુ-નહિ, સઘળાઓએ યુદ્ધને ધંધો કરે એવો મારો આશય નથી. હા, એટલું છે કે પ્રસંગ પ્રાપ્ત થયે યુદ્ધમાં કામ આપી શકાય તેટલા માટે આગમચથીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248