________________
* ધર્મતત્વ
પાશ્ચાત્ય પ્રદેશમાં પણ એ પ્રમાણે બનતું આપણે જોઈએ છીએ. આજે કાન્સ જર્મની ઉપર હુમલો કરે છે તો કાલે જર્મની ફ્રાન્સને જમીન દસ્ત કરવા આગળ વધે છે. આજે તુક ગ્રીસ ઉપર ચડાઈ લઈ જાય છે તો કાલે રશીઆ તુકીને ગળી જવાની હીલચાલ કરે છે. એવી જ રીતે આજે પલાંડને વારે તો કાલે બલગેરીઆને વારે, એ પ્રમાણે યૂરેપની સભ્યજાતિઓ પણ કૂતરાની માફક પરસ્પર ડોકીઓ કરી રહી છે. શેરીને કૂતરો જે મળે તે મેંમાં નાખીને નાસી જાય છે તેજ પ્રમાણે સભ્ય જાતિ અથવા અસભ્યજાતિ પણ બીજી જાતિ પાસેથી પડાવી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. મતલબ કે દુર્બળ સમાજને પગતળે કચડી નાખવા બળવાન સમાજ હમેશાં તૈયાર જ હોય છે. એટલાજ માટે કહેવું પડે છે કે દેશરક્ષા સિવાય આત્મરક્ષા કોઈ કાળે થઈ શકે નહિ. આત્મરક્ષા અને સ્વજનરક્ષા એ જે ધર્મ હોય તો દેશરક્ષા એ પણ ધર્મ છે, એટલું જ નહિ પણ સૌથી અગત્યનો અને સૌથી વધારે મહત્તવને ધર્મ છે. કારણ કે જે દેશરક્ષા થઈ શકે તેજ સ્વપરનું બરાબર રક્ષણ બની શકે, અને તો જ ધર્મોન્નતિનો માર્ગ નિષ્કટક બની શકે. પુનરુક્તિના ભયથી એ વિષે વધારે બોલતા નથી. - કેટલીક સામાજીક અવસ્થાઓ ધર્મને માટે ઉપયોગી છે તો કેટલીક નિરુપયોગી હોય છે. કેટલીક અવસ્થાએ આપણી સમસ્ત વૃત્તિઓના અનુશીલનને માટે અનુકૂળ હોય છે તે કોઈ કોઈ સામાજીક અવસ્થા પ્રતિકૂળ પણ હોય છે. અનેક સમયે એવી પ્રતિકૂળતાઓ રાજા અથવા રાજપુરુષને જ આભારી હોય છે. યૂરોપમાં એક સમયે ટેસ્ટંટ મતવાળાઓને ક્રૂરતાથી જીવતા બાળી દેવામાં આવતા હતા. આર. ગજેબના વખતમાં હિંદુઓ ઉપર જે જુલમ થતા તે પણ તેના ઉદાહરણરૂપે ઉમેરી શકાય. ધર્મને માટે જે સામાજીક અવસ્થા અનુકૂળતાવાળી હોય તેને સ્વાધીનતા કહેવામાં આવે છે. “સ્વાધીનતા” એ દેશી વસ્તુ નથી.વિલાયતમાંથીજ એ ચીજ આપણું દેશમાં આવવા પામી છે. મૂળ શબ્દ “લીબટી ” નો એ અનુવાદ માત્ર છે. એ સ્વાધીનતાને અર્થ એવો નથી કે રાજા પોતે સ્વદેશીજ હવે જોઈએ. સ્વદેશી રાજા પણ અનેક સમયે સ્વાધીનતાને શત્રુ હોય છે, અને વિદેશી રાજા અનેક પ્રસંગે સ્વાધીનતાનો મિત્ર હોય છે. એને માટે હું ધારું છું કે ઉદાહરણ આપવાની જરૂર નથી.
ધર્મોન્નતિને માટે સ્વાધીનતા અત્યંત જરૂરની વસ્તુ છે. એટલાજ માટે પ્રત્યેક મનુષ્ય આત્મરક્ષા–સ્વજનરક્ષા તથા સ્વદેશરક્ષાને માટે પિતાની સમસ્ત શારીરિક વૃત્તિઓનું સંપૂર્ણ અનુશીલન કરવું જ જોઈએ.
શિષ્ય –ત્યારે એમજ કહી ઘો ને કે દરેકે દ્ધા બનવું જોઈએ !
ગુરુ-નહિ, સઘળાઓએ યુદ્ધને ધંધો કરે એવો મારો આશય નથી. હા, એટલું છે કે પ્રસંગ પ્રાપ્ત થયે યુદ્ધમાં કામ આપી શકાય તેટલા માટે આગમચથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com