________________
અધ્યાય ૮ મા-શારીરિક વૃત્તિ
૫
તેમ બનતું જણાતું નથી, જો તેનાથી તેમ થઈ શક્તું. હાત તા આજકાલ ાજ જે ક્લેશા--મારામારીઓ–૩ટકાટા-ચારીએ અને ખુનેા થાય છે તે થવા પામત નહિ. પોલીસના રીપેર્ટા વાંચવાથી જણાય છે કે જે પેાતાની આત્મરક્ષા કરવાને અસમ હાય છે તેના ઉપરજ સર્વત્ર જુલમ ગુજારવામાં આવ્યા હૈાય છે. બળવાન મનુષ્ય ઉપર કાષ્ઠ હુમલા કરી શકતુ નથી, પરંતુ મારી આ વાતને ખાટા અ ન થાય તેટલા માટે મારે એ પણ સ્પષ્ટ કહી દેવુ જોઇએ કે આત્મરક્ષાને અ એવો નથી કે પ્રત્યેક મનુષ્યે પેાતાનાજ શરીરની અને પેાતાનાજ ધનની રક્ષા કરીને બેસી રહેવું. હું જ્યારે તને પ્રીતિવૃત્તના અનુશીલનવિષે કહીશ. ત્યારે તું જોઈ શકશે કે આત્મરક્ષા એ જેમ આપણું મહત્ત્વનું બ્ય છે, તેમ આપણાં સ્ત્રી–પુત્રો, પરિવાર, સ્વજન, કુટુંબ, પાડેાશી વિગેરેની રક્ષા કરવી એ પણ આપણું પ્રધાન કર્તવ્ય છે. પેાતાની આત્મરક્ષા સાથે જે ખીજાં મનુષ્યાની રક્ષી ન કરે તેને પરમ અધાર્મિક સમજવા; અને એટલાજ માટે મે કહ્યું છે કે તેવી રક્ષાને માટે જે ખળ અથવા શારીરિક શિક્ષણ જરૂરનુ છે તે ખળ અને શિક્ષણુ જેનામાં ન હેાય તેને પણ અધાર્મિક સમજવા.
આત્મરક્ષા અને સ્વજનરક્ષા કરતાં પણ બીજી એક વાત અધિક મહત્ત્વની છે, એટલુંજ નહિ પણ ધર્માંના એક પ્રધાન અંશરૂપ છે. અનેક મહાત્માઓએ આ ધર્મનુ પાલન કરવા જતાં પાતાના પ્રાણને ભાગ આપ્યા છે અને અનેક પવિત્ર પુરુષોએ સર્વસુખના પરિત્યાગ કરી આપત્તિમાંજ જીવન ગાળવાનું પસંદ કર્યુ છે. હું અહી હવે સ્વદેશરક્ષાવિષે મેલવા ઇચ્છુ છું.
આત્મરક્ષા અને વજ્રનરક્ષા એ જો ધર્મ હાય તા પછી સ્વદેશરક્ષા પણ ધમાંજ સમાઈ જાય છે એમ કહેવાની જરૂર નથી. એક મનુષ્ય જેમ બીજા મનુષ્ય ઉપર હુમલેશ કરી તેનું સર્વસ્વ પડાવી લેવાને પ્રયત્ન કરે છે તેમ એક સમાજ અથવા દેશ પણુ ખીજા સમાજ અથવા દેશ ઉપર હુમલા કરી તેનુ સસ્વ લુટી જવાના યત્ન કરે છે. જ્યાંસુધી મનુષ્યાતે રાજાના હુકમથી કિવા ધર્મની આજ્ઞાથી અંકુશમાં રાખવામાં ન આવે ત્યાંસુધી મનુષ્યા પરસ્પર–એક બીજા ઉપર હુમલા કર્યા વિના રહેતાં નથી. જે સમાજમાં રાજાની આજ્ઞાનું પાલન થતું નથી તે સમાજનાં મનુષ્યા પાતાની મરજીમાં આવે તેને હેરાન કરી શકે છે, અને મરજી મુજમ ત્રાસ વર્તાવી શકે છે. મનુષ્યેાના સંબંધમાં જેમ આ વાત ખરી છે તેમ સમાજોના સબંધમાં પણ તેટલીજ ખરી છે. જો વિવિધ મનુષ્યસમાજો ઉપર એક રાજા અથવા એક શાસનકર્તા ન હોય તેા એક બળવાન સમાજ ખીજા નિ`ળ સમાજને હેરાન કરી તેનું સ`સ્વ લૂંટી જાય, એ સ્વાભાવિક છે. હું અહીમાં જંગલી—અસભ્ય સમાજોના વિષયમાં ખેલતા નથી, સુધરેલા ગણાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com