________________
અધ્યાય ૮ મે-શારીરિક વૃત્તિ
બળવાન બનવું જોઇએ. નાનાં રાજ્યોએ પણ પિતાના રાજ્યમાં યુવાન પુરુષોને યુદ્ધનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જે તેઓ તેમ ન કરે તે બીજું મોટું રાજ્ય અનાયાસે નાનાં રાજ્યોને ચગદી નાખ્યા વિના રહે નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાના પ્રાયઃ સઘળા મનુષ્યો યુદ્ધને માટે સર્વદા તૈયાર રહેતા. મહાન રાજ્યોમાં અથવા મહાન સમાજમાં યુદ્ધને ધંધે અમુક માણસો કરતા આવ્યા છે. પ્રાચીન ભારતવર્ષમાં પ્રજાની વતી ક્ષત્રિયો યુદ્ધ કરતા, અને મધ્યકાલીન ભારતવર્ષમાં પણ રાજપુત દેશના પ્રતિનિધિરૂપે લડતા એ વાત સર્વ કેઈન જાણવામાં છે, પરંતુ એ રિવાજનું પરિણામ એવું આવતું કે જે પ્રજાને એ એકજ ભાગ શત્રુની સાથે લડત પરાભવ પામત, તો સમસ્ત દેશને શત્રુના પંજામાં સપડાવું પડતું. ભારતવર્ષના રાજપૂત જેવા પરાજિત થયા કે તુરતજ મુસલમાનેએ ભારતવર્ષને કબજામાં લીધે. હવે રાજપુત સિવાયની ભારતવર્ષની અન્ય અન્ય પ્રજાઓ પણ જે યુદ્ધને માટે તૈયાર હેત તે ભારતવર્ષની એવી દુર્દશા કેાઈ કાળે થવા પામત નહિ. ઈ. સ. ના અઢારમા સૈકાના અંતભાગમાં કાન્સના સમગ્ર યુવકોએ નેપલિયન બોનાપાર્ટની આગેવાની નીચે અસ્ત્ર ધારણ કરીને એકસંપીથી ચૂપને ધ્રુજાવ્યું હતું. શિષ્ય–શરીરને કેવી રીતે કેળવ્યું હોય તે આપે કહ્યો તે ધર્મ બરાબર પાળી શકે?
ગુર:–-કેવળ બળની જ જરૂર નથી. જંગલી માણસ સાથે લડવામાં શારીરિકબળ ઉપયોગી થાય તેટલું જ. બાકી આ વીસમી સદીમાં તે શારીરિક બળ કરતાં શારીરિક કવાયતજ બહુ જરૂરની છે. અત્યારના સમયમાં સૈ પ્રથમ શારીરિક બળની અને અસ્થિ તથા માંસપેશીની પરિપુષ્ટિને માટે વ્યાયામ જોઈએ. આ દેશમાં પહેલાં દંડ-કુસ્તી તથા મગદળ વિગેરે અનેક પ્રકારની કસરતો પ્રચલિત હતી, પરંતુ અંગ્રેજી) સુધારાએ એ સર્વ આપણા હાથમાંથી લઇ લીધું છે. આપણે આપણી પૂર્વની કસરતો અને રમતને શામાટે તિલાંજલિ આપી દેવી તેનું એક કે યથેષ્ટ કારણ મારા જાણુવામાં નથી. આપણી અનુકરણપ્રિયતા અથવા તે બુદ્ધિબ્રમનું જ એ એક ઉદાહરણ છે.
બીજું-અસ્ત્રશલાને પ્રધાનપદ આપવું જોઈએ. આપણામાંના પ્રત્યેકે અસ્ત્ર-શઅના પ્રયોગોમાં પકવ બનવું જોઈએ.
શિષ્ય–પરંતુ અત્યારને કાયદે અસ્ત્ર ધારણ કરવાની આપણને મનાઈ કરે છે, તેનું કેમ કરવું ?
ગુ–એ તે કાયદા બાંધનારાઓની ભૂલ છે. કાયદાની એ ભૂલ વખત જતાં સુધરી શકશે.
ત્રીજુ-અસ્ત્રશિક્ષા ઉપરાંત કેટલીક શારીરિક કવાયતે પણ શીખવી જોઈએ, કારણ કે શારીરિક ધર્મનું સંપૂર્ણ પાલન કરવા માટે કેટલીક કવાયત બહુજ જરે રની છે. દાખલાતરીકે અશ્વારોહણ યુરોપમાં જે મનુષ્ય અશ્વારોહણ કરી શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com