________________
૫૪
ધર્મતત્વ
-
-
-
(૩) ક્ષણિક, પરંતુ પરિણામે દુઃખના કારણભૂત સુખ.
એમાંના છેલ્લા પ્રકારના સુખને તો “સુખ” કહેવું ઘટિતજ નથી. માટે આપણે બે પ્રકારનું જ સુખ માનીશું. એક તે સ્થાયી સુખ અને બીજું અસ્થાયી સુખ. અસ્થાયી સુખને અર્થ અહીં “ દુઃખશન્ય સુખ ” એ કરવાનું છે. સુખને ઉપાય ધર્મ છે એમ મેં જે તને આગળ કહ્યું હતું ત્યાં આ પ્રકારનું જ સુખ સમજવું. જે સુખનું પરિણામ દુઃખમય હોય તેને સુખ કહેવું એ તો શબ્દને દુરુપ
ગજ કરવા જેવું છે, કારણ કે દુ:ખના પરિણામવાળું સુખ એ વસ્તુતઃ સુખ નથી, પરંતુ દુઃખની પ્રામાવસ્થાજ છે. દુ:ખના પરિણામવાળા સુખને તે મૂખ મનુષ્ય કિવા પશુઓજ સુખ માની લે છે. જે પ્રાણ પાણીમાં ડૂબી મરે તેને પાણીની શીતળતા થોડો વખત તે આનંદ યા સુખ આપી શકે, પણ પરિણામે જે પ્રાણ જાય તો તે સુખને “સુખ” એવું નામ જ શી રીતે ઘટી શકે ? પાણીમાં ડૂબતા મનુષ્યને પાણીની શીતળતાથી જે સુખ થાય તે યથાર્ય સુખ નથી; પણ ડૂબી મરવાના દુઃખની પ્રથમ અવસ્થામાત્ર છે, તેવી જ રીતે દુઃખના પરિણામવાળું ગમે તે સુખ તેને સુખનું નામ આપી શકાય નહિ.
હવે તારા પ્રશ્નનો ઉત્તર આપું તે સાંભળ. તેં પૂછ્યું હતું કે “ અમુક વૃત્તિને જ વધવા દેવી અને અમુક વૃત્તિને તે સંયમમાં જ રાખવી એને નિર્ણય કેવી રીતે કરે? અર્થાત એવું કાંઈ લક્ષણ હશે કે જે લક્ષણને લઈને તેને નિર્ણય થઈ શકે?” હવે એ પ્રશ્નને ઉત્તર તું બરાબર સમજી શકશે. જે વૃત્તિના અનુશીલનથી સ્થાયી સુખની પ્રાપ્તિ થાય તેને જ યથાશક્તિ આગળ વધવા દેવી એ આપણું કર્તવ્ય છે. દાખલાતરીકે ભક્તિ-પ્રીતિ–દયા વિગેરે. અને જે વૃત્તિના અનુશીલથી ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય તેને સંયમમાં રાખી આગળ વધવા ન દેવી એજ આપણે માટે ઈષ્ટ છે; કારણ કે ક્ષણિક સુખ આપનારી વૃત્તિઓનું પરિણામ દુઃખમય હોય છે, એ વાત હું તને આગળ જણાવી ગયો છું. જ્યાં સુધી તેનું અનુશીલન અમુક પરિમિત હદમાં રહીને થાય ત્યાં સુધી તે કાંઈ વિન્ન નથી, કારણ કે યોગ્ય પ્રમાણમાં કેળવાયેલી વૃત્તિ દુઃખના પરિણામવાળી હોઈ શકતી નથી. હવે એ સંબંધે મારે કઇ વિશેષ બેલવા જેવું રહેતું નથી. અનુશીલનને ઉદ્દેશ માત્ર સુખની પ્રાપ્તિ સિવાય બીજો કશો જ સંભવ નથી. એટલા માટે જે અનુશીલનના પરિણામે સુખ પ્રાપ્ત થાય અને જે સુખમાં દુ:ખનો લેશ પણું ન હોય તેજ અનુશીલન કર્તવ્ય છે, તે જ અનુ.
શીલન વિહિત છે. મતલબ કે સુખ એજ લક્ષણ અને સુખ એજ કસોટી. સુખની કસોટી ઉપર દરેક વૃત્તિને કસી જેવી, અને પરિણામે સ્થાયી કિંવા દુ:ખશુન્ય સુખ પ્રાપ્ત થાય એ સંભવ લાગે તો તે વૃત્તિને આગળ વધવા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com