________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
૪૯
શિષ્ય –આપે કહ્યું હતું કે આ કાળ અને પરકાળ–ઉભય કાળવ્યાપી જે સુખ તેજ યથાર્થ સુખ છે. જે લેકે જન્માંતર માનતા નથી તેમને માટે આપે એક જાતનું સુખ ઉભય કાળમાં હોઈ શકે એ વાત સિદ્ધ કરી; પરંતુ જે લે જન્માંતર માનતા હોય તેમને માટે આપ શું કહી શકશે ?
ગુર:-મારા પ્રથમના શબ્દો યાદ કર. મે કહ્યું છે કે અનુશીલનની સંપૂર્ણતા એજ મેક્ષ. અનુશીલન પૂરેપૂરું થાય તો પછી પુનર્જન્મ લેવું પડતું નથી. ભક્તિતત્વને વિષય જ્યારે તને સમજાવીશ ત્યારે મારા આ કથનનું રહસ્ય વધારે સ્પષ્ટતાથી તેને જણાવીશ.
શિષ્ય:–જગતમાં પ્રત્યેક મનુષ્ય અનુશીલનની સંપૂર્ણતા પ્રાપ્ત કરે એ સહજ નથી અને જેઓ સંપૂર્ણ અનુશીલન કરી ન શકે તેઓને પુનઃ જન્મ લે પડે એ તો સ્વાભાવિક જ છે. હવે પ્રશ્ન એ છે કે જેઓએ આ ભવમાં થોડું ઘણું અનુશીલન કર્યું હોય તેઓને તે ગત જન્મના અનુશીલનનું સુખરૂપી ફળ પરજન્મ મળી શકે ખરું? | ગુસ–આ જન્મના કર્મનું ફળ પરજન્મમાં મળવું જ જોઈએ, એ જન્માંતરવાદને મુખ્ય સિદ્ધાંત છે. સમસ્ત કર્મોને સમવાય-એકીકરણ એજ અનુશીલનઅમારા સિદ્ધાંત પ્રમાણે આ જન્મના અનુશીલનનું શુભ ફળ પરજન્મમાં અવશ્યમેવ મળવું જોઈએ. શ્રી કૃષ્ણ પોતેજ અર્જુનને એ વાત કહી છે:-“તત્ર તે बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ॥
શિષ્યઃ-મૂળ વાતથી આપણે બહુ દૂર નીકળી ગયા છીએ. “સ્થાયી સુખ” કેને કહેવાય એ વાત તે રહી જ ગઈ. આપે કહ્યું હતું કે જે સુખ આ કાળે અને પરકાળે પણ થાયી રહી શકે તેજ યથાર્થ-સ્થાયી સુખ કહેવાય. તે સિવાય બીજે પણ એક ઉત્તર છે એમ આપે કહ્યું હતું. એ બીજો ઉત્તર શું છે, તે કૃપા કરીને જણાવશો ? | ગુસ–મારો બીજે ઉત્તર પરકાળ ન માનનારાઓને માટે છે. આ જીવન એજ સર્વસ્વ છે, મૃત્યુ પામ્યા પછી જીવન જેવું કાંઈજ રહેતું નથી.” એમ જેઓ માની બેઠા છે તેમને માટે તો આ જીવનમાં જે સુખ અંતકાળ સુધી ટકી રહી શકે એજ સ્થાયી સુખ કહેવાય; કારણ કે જેઓ પરકાળ ન માનતા હોય તેમને તો આખી જંદગી સુધી જે સુખ ચાલે તેજ થાયી સુખ એમ કહેવા સિવાય બીજો શું ઉપાય છે? તેં કહ્યું હતું કે અનેક મનુષ્યો પાંચ-પાંચ અને દશ-દશ વર્ષ સુધી ઇન્દ્રિયસુખોમાં નિમગ્ન રહે છે; પરંતુ પાંચ-સાત કે દશ વર્ષ એ કાંઈ બહુ લાંબુ જીવન ન કહેવાય. ઘણું કરીને અનેક મનુષ્યનું ઇન્દ્રિયસુખ જીવનના અંત સુધી ટકી શકતું નથી; કારણ કે ઇન્દ્રિય-પરાયણ મનુષ્યનું સુખસ્વમ ત્રણ પ્રકારે ઉડી જાય છે. પ્રથમ તે અતિભોગોપભોગ ભોગવવાને લીધે જે ગ્લાનિ અટવા વિરાગ ઉપજે તેને ધ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com