________________
અધ્યાય ૭ મે-સામંજસ્ય અને સુખ
જ
કે તે પોતે પોતાને સંકલ્પ સિદ્ધ કરી શકતું નહિ. છેવટે તે વિચારે અકાળે મરણને શરણ થયો ! તું જ કહે કે એને શું “સુખ” કહેવું ઉચિત છે ?
શિષ્ય:-આપની સુખસંબંધી વ્યાખ્યા હવે સમજાય છે. જે સુખ ક્ષણિક હેય તેને સુખ કહી શકાય નહિ એજ આપના કથનને આશય છે ને ?
ગુ –ક્ષણિક સુખ હોય તો પણ તેને સુખ શામાટે ન કહેવાય ? ધાર કે મને એક સુંદર ગુલાબનું ફૂલ મળે છે, અને તેની સુગંધને આનંદ લઉં છું. આ પુષ્પ તથા તેની સુગંધ ક્ષણિક છે તે પણ તેનાથી સુખપ્રાપ્તિ નથી થતી એમ કેમ કહેવાય ? એક ઉસ્તાદ ગવૈયો આપણને એક સુંદર ગાયન સંભળાવીને ચાલ્યો જાય ત્યારે ગાયનથી મળતો આનંદ પણ બંધ થઈ જાય, એ સ્વાભાવિક છે; પરંતુ એ ક્ષણિક સુખને સુખ નથી એમ કેવી રીતે કહી શકાય ? મતલબ કે ગમે તે સુખગમે તેટલું ક્ષણિક હોય તો પણ તેને સુખ તે કહેવુંજ જેએ, - શિષ્ય:-હવે સમયે. જે સુખ ક્ષણિક હોય અને જેના પરિણામે ઘણું લાંબા વખત સુધી દુ:ખ ભોગવવું પડે તેને સુખ ન કહેવાય. એવા પ્રકારનું સુખ તે દુ:ખની પ્રથમાવસ્થા જ છે, એમ કહીએ તોપણ ખોટું નથી. કેમ ? એમજ ને ? - ગુરુ-હવે માર્ગ ઉપર આવ્યો. પરંતુ એ વ્યાખ્યા ન્યાયની દૃષ્ટિએ દૂષિત છે. એટલા માટે સુખના બે ભેદ પાડીએ તે ઠીક. (૧) સ્થાયી અને (૨) ક્ષણિક, તેમાં–
શિષ્ય:–રસ્થાયી સુખ કોને કહેવું ? ધારો કે એક વિષયાસક્ત વ્યક્તિ પાંચ વર્ષ સુધી ઈદ્રિયસુખ ભોગવે છે. પાંચ વર્ષ સુધી સુખ ભોગવવાનો પ્રસંગ મળવો એ આ જગતમાં અસ્વાભાવિક પણ નથી. હવે એટલી મુદતના સુખને ક્ષણિક સુખ કહેવાય કે નહિ ? | ગુસ–પહેલી વાત તો એ કે સમસ્ત જીવનની સરખામણીમાં પાંચ વર્ષ એ એક મુહૂર્ત જેટલાં પણ નથી. તું પરકાળ માનતે હે યા ન માનતે હે પણ તો માનું છું; અને એટલા માટે કહું છું કે અનંતકાળની સાથે સરખામણી કરતાં પાંચ વર્ષ કશીજ બીસાતમાં લેખાય નહિ. અત્રે પ્રસંગોપાત મારે કહી દેવું જોઈએ કે પરભવને ભય બતાવી હું તને ધાર્મિક બનાવવા માગતા નથી, કારણ કે અનેક મનુષ્યો પરભવને માનતા નથી–વાણીમાત્રથી ભલે માનતા હોય પણ હંદયથી પરભવને માનનારાની સંખ્યા બહુ અપ છે. ઘણા મનુષ્યો તે એમજ માની બેઠા છે કે પરભવને ભય એ બીજું કશું જ નથી, પણ લધુ વયના બાળકને ડરાવવા માટે જેમ વાઘને ભય બતાવવામાં આવે છે, તેના જેવો જ એક પ્રકારને મિથ્યા ભયમાત્ર છે. ઘણા ખરા મનુષ્ય આજકાલ પરભવને માનતા નથી તેનું પણ એજ કારણ છે. જે ધર્મને પાયો “પરભવના ય” ઉપર ચણવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com