________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
છે. તેમના વિરુદ્ધને મુકદમો ઉઠાવી લેશે તે મારા ઉપર તમારે આભાર થશે.”
કાલી બાબુ બંકિમબાબુનો બેલ પાછો ન વાળી શકયા. તેમણે તરતજ મુકદો પાછો ખેંચી લીધે. અનુકુલ બાબુએ પિતાના પત્રમાં માફી માગી લીધી. - બંકિમ બાબુ પિતાની દીકરી શ્રીમતી શરત કુમારીને બહુ ચાહતા હતા. એટલે સ્નેહ કદાચ તેમને દુનિયામાં બીજા કોઈ ઉપર નહિ હેય. ઉદાહરણરૂપે એ વિષેની છેડી વિગત નીચે આપવામાં આવે છે- બંકિમ બાબુને બે રસોઇઆ હતા, પણ તેઓ થાળી પીરસીને લાવતા ન હતા. આ કામ પિતાની ઈચ્છાથી શરત કુમારી કરતી હતી. તેને પિતાની સેવા કરવામાં આનંદ આવતો હતો અને પિતાને પણ તે સેવા ગ્રહણ કરવામાં આનંદ થતો. એક દિવસ રાત્રે કન્યાએ પિતાનું ભાણું પીરસીને બૂમ પાડી કે “પિતાજી ! થાળી પીરસી છે, જમવા ચાલે.” પિતાએ કંઈ જવાબ ન આપ્યો. તેઓ તે વખતે ઓરડામાં આંખ બંધ કરીને ખુરશી પર બેઠા હતા અને કન્યા ઓસરીમાં ઉભી હતી. પિતાને જવાબ ન મળતાં કન્યાએ ફરી બૂમ મારી:–“પિતાજી ચાલો.” પિતા શાંતજ રહ્યા. અને બંકિમની ભાભીએ પાસે જઈને કહ્યું –ઉંઘી ગયા કે શું ? ”બંકિમે કોમળ સ્વરે કહ્યું –જરા ચૂપ રહે-શરત બૂમ પાડે છે, મને સાંભળવા દો.” એક નવલકથા લખીને જે ભાવ ન સમજાવી શકાય તે ભાવ બંકિમે આ પ્રમાણે બે ચાર શબ્દમાં પ્રગટ કરી દીધું !
બંકિમચંદ્રના પાછલા જીવનમાં એક દિવસ તેમનો કોઈ અંતરને મિત્ર ક્લકત્તાના પાટલડાંગાવાળે ઘેર આવ્યા હતા. મુલાકાત ધણું વખતે થઈ હતી. મિત્રે આવતાંજ “ગુડ મોર્નિગ” (સલામ) કરી અને શેકહેન્ડ (હસ્તધૂનન કરવાના ઇરાદાથી હાથ લંબાવ્ય. બંકિમચંદ્ર તેના હાથને પોતાના હાથમાં ન લેતાં કહ્યું “ભાઈ ! એ સમય હવે જ રહ્યો છે. મિત્ર મહાશયે કહ્યું–“ના, વખત બદલાયો હેય એમ લાગે છે.” બંકિમચંદ્ર હસીને કહ્યું:–“તમે કાયસ્થ છો, હું બ્રાહ્મણ છું. તમે પ્રણામ કરે, હું આશીર્વાદ આપું. એવીજ નિયમ છે. શેકહેડની શી જરૂર છે ?” - બંકિમચંદ્ર જે રીતે ઉપદેશ આપતા હતા તેમાં પણ એક વિશેષતા હતી. ચટજી વંશમાં કોઈ માણસ બહારના કોઈ માણસ પાસેથી મંત્ર નહોતા લેતા. બંકિમચંદ્રના કુળની પુરાણી પરિપાટી છે કે પોતાનાજ વંશના કોઈ વૃદ્ધ અને યોગ્ય પુરુષ પાસેથી મંત્ર મેળવે. આ પ્રથા અનુસાર બંકિમના વંશના કોઈ પુરુષ બંકિમ પાસેથી મંત્ર લીધે હતે. બંકિમે મંત્ર આપી નવદીક્ષિત શિષ્યને કેવળ એજ ઉપદેશ આપ્યો હતે કે “હમેશાં એટલું યાદ રાખજે કે હું બ્રાહ્મણ છું.” ઉપદેશ ટુંકે હેવા છતાં કે મહાન છે ! કેટલા પૈડા શબ્દોમાં કે મહાન ઉપદેશ !
બ કિમચંદ્ર જ્યારે બહેરામપુરમાં હતા, ત્યારે કોઈ વર્તમાનપત્રના સંપાદક મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com