________________
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું?
સર્વાગીન પરિણતિ કોને કહેવાય ?
ગુરુ –એક નાનકડા અંકુરનું પરિણામ અથવા વિકાસ કે ઉકર્ષ, તેજ મહાન સરૂપે દષ્ટિગોચર થાય છે; પરંતુ એ જ અંકુરને જો તું તેની પ્રાથમિક દશામાં ઉપરથી માટી ખસેડીને જુએ તો તને તે લગભગ અદશ્ય જે કિવા અત્યંત શુદ્ર જેવો લાગ્યા વિના નહિ રહે. વખત જતાં એ શુદ્ધ અંકુરજ મહાન ઘટાદાર ગંભીર વૃક્ષમાં પરિણત થાય છે. બેશક, તેને માટે ખેતી-પાણી-ખાતર વિગેરે તો જોઈએ જ. સરસ માટી, યોગ્ય પ્રમાણમાં પાણી અને નિયમિત સૂર્યને તાપ, વિગેરે જે એ અંકુરને ન મળે તો અંકુર કોઈ કાળે પરિણત–ઉજત અવસ્થાએ પહોંચી શકે નહિ; એટલું જ નહિ પણ જે તોથી વનસ્પતિને પોષણ મળે એવાં તવાળું ખાતર પણ આપણે તેને પૂરું પાડવું જોઈએ, અને પશુ કે માણસો નુકશાન ન કરે તેને માટે આસપાસ વાડ પણ બાંધી લેવી જોઈએ. આ પ્રકારની જે સરસંભાળ લેવામાં આવે તે જ તે નાનકડો અંકુર વખત જતાં મહાન વૃક્ષરૂપે પરિણમે; એવી જ રીતે મનુષ્યોના સંબંધમાં પણ સમજી લેવું. જે બાળકના સંબંધમાં આગળ વાત કરી, તે પણ એક પ્રકારનો અંકુરજ છે. યથાયોગ્ય કર્ષણથી અથવા અનુશીલનથી તે બાળક યથાર્થ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકે, એટલું જ નહિ પણ તે બાળક અનુ. શીલનના પ્રતાપે એક વખત સર્વ ગુણોયુક્ત અને સર્વ સુખસંપન્ન મનુષ્ય પણ બની શકે. મનુષ્યની જે પરિણતિ હું કહેવા માગું છું તે એજ પ્રકારની
શિષ્ય:–બરાબર કાંઈ સમજાયું નહિ. સર્વ પ્રકારે સુખી અને સર્વ પ્રકારે ગુણયુક્ત શું પ્રત્યેક મનુષ્ય બની શકે ? | ગુસ–સર્વ મનુષ્યો સર્વ ગુણયુક્ત બની શકે કે નહિ અને બને તે ક્યારે બની શકે એ વિષયની ચર્ચા કરવા જતાં બહુ સમય નીકળી જાય તેમ છે, કારણ કે તેમાં બહુ વિસ્તારથી બોલવાની જરૂર છે. તથાપિ હું એટલે સ્વીકાર કરું છું કે હમણાં હમણુ કાઇ એ મનુષ્ય થઈ ગયો હોય એમ મારા જાણવામાં નથી, તેમજ નજીકના ભવિષ્યમાં કોઈ એ પુરુષ સહસા નીકળી આવે એવો પણ સંભવ નથી, છતાં ધર્મની હું જે વ્યાખ્યા કરવા માગું છું તેના યથાયોગ્ય અવલંબનથી સમસ્ત મનુષ્યો સર્વ ગુણયુક્ત બનવાના પ્રયત્ન કરે તો કાળક્રમે તેઓ બહુ ગુણ| યુક્ત તે બની શકેજ એમાં મને જરા પણ શંકા નથી. મનુષ્યો જે સર્વ પ્રકા. રનાં સુખ પ્રાપ્ત કરવાને તન-મનથી પ્રયત્ન કરે તે અનેક પ્રકારનાં સુખો તેઓ મેળવી શકે એ વાત નિઃસંશય છે.
શિષ્ય:-અવિનય થતો હોય તે ક્ષમા કરશો, પણ મનુષ્યોની સર્વાગીને પરિ. કૃતિ કોને કહેવાય તે તે હજી હું સમજી શકયો નથી.
ગુ–જે. ધ્યાન આપ. મનુષ્યને મુખ્ય બે અંગ છે. એક શરીર અને બીજું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com