________________
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું ?
જે “ક” અક્ષર પણ લખી શકે નહિ. તારે જ્યારે અમુક વાત કાગળમાં લખવાની હોય છે ત્યારે વિચાર કર્યા વિના કે યત્ન કર્યા વિના રમતાં રમતાં જે સ્થાને જે આકારવાળા અક્ષરે જોઈએ તે તું લખી નાખી શકે છે, પણ માળીને તે બહુજ નવાઈ જેવું લાગે છે. તે બિચારો તો આ બધું કેવી રીતે બનતું હશે તે કલ્પી પણ શકતું નથી. જગતમાં અનેક માણસે અત્યારે લેખનકળા જાણે છે . તેથી જ તેમને તેમાં આશ્ચર્ય જેવું લાગતું નથી. બાકી વસ્તુતઃ તે એ લિપિવિદ્યા એક જાદુઈ કળા કરતાં પણ અધિક આશ્ચર્યકારક છે; કારણ કે તેમાં બહુજ અનુશીલનની જરૂર પડે છે. દાખલાતરીકે તું એક શબ્દ લખવાનો પ્રયત્ન કરે છે. ધાર કે આ “અનુશીલન” શબ્દજ તારે લખવાનો છે. પ્રથમ તે તારે એ શબ્દનું પૃથક્કરણ કરી તેમાં કયા કયા વર્ણો રહેલા છે તેને નિર્ણય કરવો જોઈએ. “અનુશીલન”નું પૃથક્કરણ કરવાથી “અ, ન, ઉ, શું, ઈ, લ, અ, ન અ” આ પ્રમાણે એક ચિત્ર તારા માનસપટ ઉપર અંકિત થાય, પછી એ પ્રત્યેક વર્ણને આકાર કે છે તેનું તારે સ્મરણ કરવું પડે અને તેમાં કયા સ્વર મળે તે ઠીક એ વાતને પણ નિર્ણય કરવો જોઈએ. આટલું નક્કી થયા પછી જ્યારે એક એક વર્ણને યાદ કરી કરીને કાગળમાં લખે ત્યારેજ માંડ માંડ “અનુશીલન” એ એક શબ્દ લખાય; છતાં તું જ્યારે એ શબ્દ લખવા બેસે છે ત્યારે એટલી બધી ઝડપથી લખી નાખે છે કે તારે તેમાં કોઈ પણ પ્રકારની માનસિક ક્રિયા કરવી પડતી હોય તેમ જણાતું નથી. એક માત્ર અનુશીલનના ગુણને લઈને જ આવી અસાધારણ કુશળતા અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
અનુશીલનને એક બીજો ભેદ પણ સમજવાયોગ્ય છે. તે આ માળીના બાહુ સાથે તારા બાહની સરખામણી કરી છે. જેવી રીતે પાંચ મીનીટમાં એક-બે લાંબા કાગળો તું પોતે લખી નાખી શકે છે, તેવી રીતે આ માળી પાંચ મીનીટમાં બે-ત્રણ ફુટ માટી ખોદી કાઢવી હોય તે ખુશીથી ભેદી શકે. તું બે કલાક સુધી તે શું પણ બે પહેરી સુધી મહેનત કર્યા કરે તે પણ તારાથી એ કામ પાર પડે નહિ; કારણ કે તેં તારા બાહુઓને એ વિષયમાં બરાબર કેળવ્યા કે અનુશાલિત કર્યા નથી અને તેથી બાહુની જે યથાયોગ્ય પરિણતિ થવી જોઈએ તે થઈ શકી નથી. એટલા માટે એમ કહેવામાં હવે કોઈ જાતની હરકત નથી કે તારા પિતાના અને આ માળીના ઉભયના હાથે કેટલેક અંશે અપરિણતજ રહી ગયા છે તમારે બનેએ હાથની જે સર્વાગીન પરિણુતિ કરવી જોઈએ તે તમે કરી શક્યા નથી. એક બીજો દાખલે આપું. એક શિક્ષિત ગવૈયાની સાથે તારી પોતાની તુલના કરી જે. બાલ્યાવરયામાં તારા કંઠમાં ને ગવૈયાના કંઠમાં ઘણું કરીને ઘણો તફાવત નહિ હોય, પરંતુ ગર્વ અનુશીલનના પ્રતાપે પિતાના કંઠને મધુર તથા આકર્ષક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com