________________
અધ્યાય ૫ મે–અનુશીલન
થાય છે. આ પ્રમાણે બે પ્રકારની શિક્ષણ પદ્ધતિનો પ્રચાર કરવામાં હિંદુધર્મશાસ્ત્ર જે મહાન ફાળો આપ્યો છે, તે જગતના સાહિત્યમાં અપૂર્વ છે, એમ કહેવાની જરૂર નથી. હું પણ તેજ આર્યઋષિઓનાં ચરણકમળમાં વંદન કરી તેમણે પ્રદર્શિત કરેલી પદ્ધતિને તને કાંઈક ખ્યાલ આપવા માગું છું. તેની સાથે એક વાત લક્ષમાં રાખવી જોઈએ અને તે એજ કે આજથી ત્રણ-ચાર હજાર વર્ષો પૂર્વે ભારતવર્ષને માટે જે વિધિ–નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે જ નિયમે અક્ષરે અક્ષર અત્યારના કાળમાં બંધબેસતા થઈ શકે નહિ; અને હું તે એટલે સુધી કહેવાની હિમ્મત કરું છું કે જે તે ઋષિમહાત્માઓ અત્યારે જીવતા હોત તો તેઓ પણ સ્પષ્ટ રીતે કહી દેત કે –“ના, અમારા તે સમયના નિયમે આ સમયે ચાલી શકે તેમ નથી. જે તે નિયમને અત્યારે પણ અક્ષરે અક્ષર વળગી રહેશે તે અમારા દર્શાવેલા ધર્મનો તમે બે અર્થ કરો છો એમ અમને લાગ્યા વિના રહેશે નહિ.” હિંદુધર્મના બાહ્ય નિયમો અને વિધિઓમાં ગમે તેટલા ફેરફાર થાય તો પણ તેને મર્મ ભાગ તે સર્વદા અમર જ રહેવા યોગ્ય છે. તે મર્મભાગ સદા-સર્વદા જીવંત રહી મનુષ્યોનું હિત સાધવાને સર્વથા સમર્થ છે; કારણ કે તે નિયમનો મૂળ પાયજ માનવ-પ્રકૃતિ ઉપર સ્થપાયેલ છે. કોઈ કોઈ વિધિ દેશ-કાળભેદે રૂપાંતર પામે છે તેથી ગભરાવાનું નથી. જેમ બીજી વસ્તુઓના સંબંધમાં બને છે તેમ નિયમે પણ સમય જતાં ચોકક્સ ફેરફાર પામ્યા વિના રહેતા નથી. હિંદુધર્મમાં પ્રસંગોપાત જે સુધારા-વધારાઓ થતા રહ્યા છે, તેનો એ સંક્ષિપ્ત ઇતિહાસ છે.
શિષ્ય –આપ ઘણું કરીને વિલાયતી પદ્ધતિને અનુસરતા હોય એ મને સદેહ રહે છે, કારણ કે શક્ષિણ એ ધર્મને અંશ છે એ વાત કાસ્ટના સિદ્ધાંત સિવાય બીજે કયાંઈ સાંભળી નથી.
ગુર–હિંદુધર્મના કોઈ એકાદ અંશની સાથે કેટનો સિદ્ધાંત મળતો આવે તેથી શું આપણે આપણે આર્યમત તજી દેવો ? ક્રિશ્ચિયન ધર્મમાં ઈશ્વરની ઉપાસના કરવાનું કહ્યું છે તેથી શું આપણે હિંદુઓએ ઈશ્વરોપાસનાને તિલાંજલિ આપી દેવી જોઈએ ? એક પ્રસંગે “નાઈટીન્થ સેંટ્યુરી ” પત્રમાં હટસ્પેન્સરે કોસ્ટના સિદ્ધાંતેની સામે વાંધો ઉઠાવતાં ઈશ્વર-સંબંધે પિતાના જે વિચારે જણાવ્યા હતા તે ઘણાખરા આપણું વેદાન્તના અદ્વૈતવાદ તથા માયાવાદ સાથે મળતા આવે છે. સ્પિનોઝાના વિચારો સાથે પણ વેદાન્તમતનું સાદશ્ય જોવામાં આવે છે. હવે વેદાન્તની સાથે હર્બટસ્પેન્સર અને સ્પિન ઝાને મત મળતો થયો એટલાજ માટે આપણે આપણું વેદાન્ત તજી દેવું એ ક્યાંને ન્યાય કહેવાય ? મારે પિતાનો અભિપ્રાય જાણવા માગતા હોય, તે હું તો વેદાન્ત મતને ત્યાગ કરવાને બદલે સ્પિનઝા અથવા સ્પેન્સરનેજ યુરોપીયન હિન્દુ તરીકે ગણું લઉં. હિંદુધર્મના રસ્થૂલ અને યુરેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com