________________
અધ્યાય ૬ ઠે-સામંજસ્ય.
૩૩
તેજ બગીચાની શોભામાં મનોહરતા આવે. એક તાડ અથવા નારીયેળીના વૃક્ષને ખૂબ ઉંચે ચડતું જેમાં ગુલાબ અથવા મહિલાના રેપને પણ તેની પેઠે ઉંચે ને ઉંચે ચડાવતા જઈએ તે બગીચામાં અવ્યવસ્થા કિંવા બેડેળપણું જણાયા વિના રહે નહિ; કારણ કે ત્યાં સામંજસ્યનો નિયમ સચવાતો નથી. મતલબ કે જે વૃક્ષની જેવી સંપ્રસારણ શક્તિ હોય તેટલા પ્રમાણમાં તેને ખીલવા દેવું એજ સુગ્ય માળીનું કર્તવ્ય છે. જે એક વૃક્ષની વૃદ્ધિથી બીજા વૃક્ષને બીલકુલ પોષણ મળી શકતું ન હોય, અથવા બીજા શબ્દોમાં કહું તે આંબલી કિંવા નારીયેળીની વૃદ્ધિથી ગુલાબને પે સુકાઈ જતા હોય તે ત્યાં સામંજસ્યને નિયમ સચવાતો નથી એ આપણે નિશ્ચય કરવો જોઇએ. વૃક્ષોના સંબંધમાં આ નિયમ જેમ ઉપયોગી છે તેવી જ રીતે મનુષ્યોના સંબંધમાં પણ સમજી લેવું. હું કહી ગયો છું કે ભક્તિ, પ્રીતિ તથા દયા વિગેરે વૃત્તિઓ એવા પ્રકારની છે કે તેને ખૂબ વૃદ્ધિ પામવાને આપણે અવકાશ આપજ જોઈએ, અને જો એમ થાય; એટલે કે બીજી વૃત્તિઓ કરતાં તેને અધિક સ્મૃતિ તથા વિસ્તાર મળી શકે તોજ બાકીની સર્વ વૃત્તિઓનું સામંજરય સુરક્ષિત રહે. કેટલીક શારીરિક વૃત્તિઓ એવા પ્રકારની છે કે તેની વિસ્તાર પામવાની શક્તિ મૂળથીજ અધિક હોય છે. હવે જો તે શારીરિક વૃત્તિઓને બને તેટલી છુટથી આગળ વધવા દઈએ તે તેથી બીજી વૃત્તિઓની યોગ્ય સ્કૃતિને ઘણી હાનિ પહેચે એ તદ્દન સંભવિત છે, અને એટલા માટે શારીરિક વૃત્તિઓને સ્વચ્છંદતા પૂર્વક ઉછેરવી એ અયોગ્ય છે. આંબલીના વૃક્ષ પાસે ગુલા બના રોપાઓ વાવ્યા હોય તે ગુલાબનો રસ આંબલી ચૂસી લે એ એક નિયમ છે; પરંતુ એટલા ઉપરથી એમ સમજી લેવાનું નથી કે એવાં વૃક્ષોને બગીચામાંથી છેક ઉચ્છેદજ કરી નાખવો જોઈએ, કારણ કે જીવનમાં અનેકવાર ખટાઈની પણ જરૂર તે પડે છે. તેવી રીતે નિકૃષ્ટ વૃત્તિઓને સર્વથા ઉચ્છેદ કરી નાખવો એ પણ અયોગ્ય છે; કારણ કે જીવનમાં તેની પણ જરૂર પડે છે, પરંતુ એ વિષે બીજે કોઈ પ્રસંગે વિસ્તારથી બેલીશ. આંબલીના વૃક્ષને ઉચ્છેદ તે નજ કરે, પણ બગીચાના એક ખૂણામાં તેને ઉછરવાને અવકાશ આપવો જોઈએ. ત્યાં રહીને પણ તે બહુ જોર કરી ન જાય અને બીજા રોપાઓને નુકશાન ન કરે તેની સાવચેતી રાખવી જોઇએ. તેમજ સમગ્ર ઉદ્યાનમાં એવાં વૃક્ષે બે–ત્રણથી વધુ ન ઉગે તે માટે પણ લક્ષ રાખવું જોઈએકારણ કે એક બગીચામાં આંબલીનાં બે ત્રણ વૃક્ષો બસ લેખાય. તેજ રીતે નિકૃષ્ટ-વૃત્તિઓ દ્વારા સાંસારિક જરૂરિયાત પૂરી પડે તેટલે. જ અંશે તેની ઉપયોગિતા સ્વીકારવી; અને તેને તેટલેજ અંશે ખીલવા દેવી જોઈએ. જરૂર કરતાં વિશેષ શેર કરી જાય એમ બનવા દેવું નહિ, યોગ્ય વૃદ્ધિ અને યોગ્ય સામંજસ્ય એમ જે મેં કહ્યું તે એનું જ નામ.
ધ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com