________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
32
શીલનને માટે હું વધારે વખત આપીશ નહિ; અને જે વૃત્તિને અનુશીલનની જરૂર છે, અર્થાત પ્રયત્ન કરવાથી જ જે વૃત્તિ ખીલી શકે તેમ છે તેની પાછળ જ હું બાકીના સમયને ઉપયોગ કરીશ.” એ નિયમ જે ન કરવામાં આવે અને સ્વતઃકુર્ત વૃત્તિના નિરર્થક અનુશીલન પાછળજ સઘળે સમય વિતાવી દેવામાં આવે તે સમયના સંકેચને લઈને અન્ય વૃત્તિઓનું આવશ્યક તથા યેય અનુશીલન ન થાય એ તદ્દન સ્વાભાવિક છે; અને એમ થાય તો બાકીની વૃત્તિઓ અપકવ અવસ્થામાં જ પડી રહે એમ કહેવાની જરૂર નથી. સમયના સંબંધમાં જેમ ઉપલી વાત સત્ય ઠરે છે તેવી જ રીતે શક્તિના સંબંધમાં પણ એજ વાત લાગુ પાડી શકાય. આપણામાં કાર્ય કરવાની જે શકિત રહેલી છે તે મોટે ભાગે પરિમિત છે, અને આજીવિકા ચલાવવા માટે તેને ઘણો ખરો ભેગ આપવા પડે છે. આથી કરીને સ્વતઃસ્ફર્ત વૃત્તિએને કેળવવા માટે જે શક્તિ ખર્ચવી જોઈએ તે આપણાથી બચી શકાતી નથી. તેમાં પણ પાશવૃત્તિઓને અધિક પિષણ આપવાથી શક્તિને ઘણો ક્ષય થાય છે એ વાત પણ લક્ષમાં રાખવી જોઈએ. ત્રીજી વાત એ પણ સમજવાયોગ્ય છે કે સ્વતઃકુર્ત પાશવકૃત્તિના અનુશીલનના ઉપાદાનમાં ૪ અને માનસિક વૃત્તિના અનુશીલનના ઉપાદાનમાં પરસ્પર ભારે વિરોધ રહ્યા કરે છે. વધારે સ્પષ્ટ રીતે કહે છે જ્યાં પાશવવૃત્તિ બળવાન હોય ત્યાં માનસિક વૃત્તિ સંપૂર્ણ બળથી ખીલી શકતી નથી. જે મનુષ્ય વેશ્યાઓના મંડળમાં રાતદિવસ વસતો હોય તેના હૃદયમાં ઈશ્વરસંબંધી વિચારો આવવા પ્રાયઃ અસંભવિત જ છે. કેઈ ભયંકર ગુસ્સાવાળા લશ્કરી માણસ પાસે જેમ દીન ભિક્ષક જતાં થરથરે છે તેમ વિલાસની પાસે જતાં વિશદ્ધિ પણ કમકમે છે ! ટુંકામાં કહેવાનો આશય એટલેજ છે કે પાશવવૃત્તિઓ શરીરની રક્ષાને માટે અથવા જતિની રક્ષાને માટે ઉપયોગી છે તેને લઈને હો, કે વંશપરંપરાથી તેની ખીલવણી થતી આવે છે તેને લઈને હો કે પછી આહાર, વિહાર, રીતરીવાજના દોષોને લીધે માણસો નબળા બનતા ચાલીને પાશવવૃત્તિઓના દુરુપયોગને રેકી શકતા નથી તેને લઇને હોગમે તેમ હો પણ એ વૃત્તિઓ એટલી બધી બળવાન હોય છે કે તેની ખીલવણી કરતી વખતે સમસ્ત હૃદય ઉપર તેની સત્તા વર્તવા લાગે છે, અને બીજી કોઈ વૃત્તિને ખીલવાને અવકાશ મળતો નથી. - હવે જે વૃત્તિઓ સ્વતઃફત નથી તેને મેળવવાને માટે આપણે આપણા અવકાશના અવસરને ઉપયોગ કરીએ અથવા આજીવિકાના નિહર્તામાંથી બાકી રહે તેટલી શક્તિને ઉપયોગ કરીએ તે તેથી સ્વતઃ સ્કુર્ત વૃત્તિને કોઈ પણ પ્રકારનું
x ઉપાદાન એટલે વસ્તુની ઉત્પત્તિમાં અનિવાર્ય સાધન. જેમકે માટી વિના ઘડે થઈ જ શકે નહિ. માટે માટી એ ઘડાનું ઉપાદાન કારણ કહેવાય, ઉપાદાનને અંગ્રેજીમાં “મટિરીયલ કોઝ” કહેવામાં આવે છે.
અનુવાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com