________________
૩ર.
ધર્મતત્ત્વ
સહેજસાજ સ્પર્શી શકો તે ઉપરથી હિંદુધર્મ કેટલે વ્યાપક તથા એક હેવો જોઈએ, તેને તું કાંઈ વિચાર કરી શકે છે?
શિષ્ય –આપના કહેવા અનુસાર તે એકકે વાત ધર્મની બહાર હોય એમ લાગતું નથી. ધર્મ એજ જે યથાર્થ સુખને એક માત્ર ઉપાય હોય તે સમસ્ત મનુષ્યજીવન ઉપર કેવળ ધર્મનાજ અધિકાર પ્રવર્ત જોઈએ. હિન્દુધર્મનો પણ એજ ઉંડામાં ઉડે આશય છે. અન્ય ધર્મો એટલા બધા ભારપૂર્વક એ વિષયને ઉપદેશ કરી શકતા નથી, એમ પણ હું જોઈ શકું છું; અને એટલા માટે બીજા ધર્મો અપૂર્ણ છે એમ માનવાને કારણો મળી આવે છે. હિન્દુઓની પાસે આ ભવ કે પરભવ, મનુષ્ય કે ઈશ્વર, સમસ્ત જીવ કે સમસ્ત જગત એ સર્વ ધર્મમયજ બની રહે છે. એ સર્વવ્યાપી-સર્વસુખમય અને પવિત્ર ધર્મ બીજે કયો હોઈ શકે ?
अध्याय ६ टो-सामंजस्य
શિષ્ય –વૃત્તિનું અનુશીલન શું એ તો કાંઈક સમજો. હવે કે સ્થળે કમી વૃત્તિને ખીલવવી અને કયે સ્થળે કયી વૃત્તિનું દમન કરવું તે સમજા; અર્થાત વૃત્તિઓનું સામંજસ્ય કેવી રીતે જળવાવું જોઈએ તે વિષે આપના મુખેથી સાંભળવાની ઇચ્છા છે. હું જાણવા માગું છું કે જે શારીરિક વૃત્તિઓ વિગેરેનું આપે વર્ણન કર્યું તે સર્વ વૃત્તિઓ શું એક સરખી રીતે ખીલવી હોય તે મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય ? કામ-ક્રોધ-લોભ આદિ વૃત્તિઓનું જે રીતે અનુશીલન થાય છે, તેજ પ્રકારે શું ભક્તિ-પ્રીતિ–દયા વિગેરેનું પણ અનુશીલન કરવું ? પૂર્વ પુરુષોએ પ્રાચીન ધર્મવેત્તાઓએ કામક્રોધાદિનું દમન કરવાને અને ભક્તિ-પ્રીતિ–દયાને ખીલવવાને ઉપદેશ કર્યો છે, તેનો અર્થ શું ? જે એ બન્ને પ્રકારની વૃત્તિઓનું એકસરખું અનુશીલન થાય તો પછી સામંજસ્ય કયાં રહ્યું ? .
ગુર–ધર્મવેત્તા મહાપુરુષો જે કાંઇ કહી ગયા છે તે જ તેને માટે પૂરતું છે; કારણ કે વિચાર કરવાથી તેનું મહત્ત્વ અને ઉપયોગિતા સમજી શકાય તેમ છે. ભક્તિ-પ્રીતિ વિગેરે શ્રેષ્ઠ વૃત્તિઓ જેની સંપ્રસારણ શક્તિ-અર્થાત વિસ્તાર પામવાની–ખીલવાની શક્તિ ઔ કરતાં અધિક છે તે વૃત્તિઓને અધિક પ્રમાણમાં ખીલવા દેવી, તેને અધિક વિસ્તાર થવા દે એજ એગ્ય છે, અને એમ થાય તોજ વૃત્તિઓનું સામંજસ્ય સચવાઈ રહે છે. મેં સઘળી વૃત્તિઓની કૃર્તિ તથા સામંજસ્ય માટે જે ઉપદેશ કર્યો છે તેનો અર્થ એવો નથી કે પ્રત્યેક વૃત્તિને સ્વછંદતાપૂર્વક આગળ ને આગળજ વધાર્યા કરવી. તું જાણે છે કે બગીચામાં જે જે વૃક્ષો અને રોપાઓ હોય તેને પિતપોતાની શક્તિ પ્રમાણે ખીલવા દઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com