________________
-
-
-
- -
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું? ઇતિહાસમાં-(રીલીજીયસ હીસ્ટરી) માં યથાર્થ ધાર્મિક પુરુષોનાં જીવનચરિત્રો આપવામાં આવે છે. અનંતપ્રકૃતિમય ઇશ્વર, ઉપાસકની પ્રાથમિક અવસ્થામાં આદર્શરૂપ ન બની શકે એ તારી વાત સત્ય છે, પરંતુ ઇશ્વરને અનુસરનારા મહાત્માઓ અર્થાત જે મહાપુરુષોના ગુણો જોઈને તેમને ઈશ્વરીઅંશ માનવાનું આપણને મન થઈ આવે તેજ પ્રાથમિક અવસ્થામાં આપણું આદર્શરૂપ બનવાને યોગ્ય છે. એટલાજ માટે ઈસુખ્રિસ્ત એક વખત ક્રિશ્ચિયના આદર્શ સ્થાને બિરાજ્યા હતા, એટલાજ માટે ૌદ્ધોએ શાકયસિંહને આદર્શ પુરુષનું એક કાળે પવિત્ર સ્થાન અર્પણ કર્યું હતું. એટલું છતાં હિંદુ શાસ્ત્રમાં ધર્મપ્રચારક આદર્શ પુરુષોને જેવું બહુ માન મળ્યું છે તેવું પૃથ્વીના બીજા કેઇ ધર્મપુસ્તકમાં બીજા કોઈ પુરુષને મળ્યું નથી. જનકાદિ રાજર્ષિ, નારદાદિ દેવર્ષિ, અને વસિષ્ઠાદિ બ્રહ્મષિઓ એક કાળે આર્યપ્રજામાં અનુશીલનના જશવંત આદર્શરૂપે પ્રકાશી રહ્યા હતા. તે ઉપરાંત શ્રી રામચંદ્રજી, યુધિષ્ઠિર, અર્જુન, લક્ષ્મણ અને દૈવી વ્રત ધારણ કરનાર ભીષ્મ વિગેરે ક્ષત્રિયપુત્રો પણ આદર્શ પુરુષનું સુંદર સ્થાન શોભાવી ગયા છે. ઇસુખ્રિસ્ત તથા શાયસિંહ વિગેરે તે માત્ર ઉદાસીન, પીનધારી, સરળ ધર્મવેત્તાઓ હતા એટલું જ. આપણું હિંદુધર્મના આદર્શ પુરુષો તેથી જૂદા જ પ્રકારના હતા. તેનામાં કેવળ એક-બે ગુણોજ નહોતા, પણ એકી સાથે ઘણા ગુણે પ્રકટી નીકળ્યા હતા, અને તેમણે પિતાની સર્વ વૃત્તિઓને સવગીન પરિણત તથા સ્મૃતિવાળી બનાવી હતી. વધારે સ્પષ્ટ રીતે કહું તે હિંદુ
ના આદર્શ પુરુષો સિંહાસન ઉપર વિરાજવા છતાં પણ અંતરમાં ઉદાસીન (તટસ્થરાગદ્વેષરહિત) હતા, હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરવા છતાં પણ હદયથી અહિંસા ધર્મના મર્મને જાણનારા હતા, રાજા હોવા છતાં પંડિત પણ હતા, અને શકિતમાન હોવા છતાં સર્વ ભૂતમાં પ્રેમભાવ રાખનારા હતા. તથાપિ ઉકત સર્વે આદર્શોના શિખરે વિરાછ અગ્રસ્થાન લઈ શકે એવો એક બીજો આદર્શ પણ હિંદુએને માટે છે. એ આદર્શ એ છે કે જેની પાસે બીજા આદર્શો ફીકકા પડી જાય. યુધિષ્ઠિરે જેમની પાસેથી ધર્મનું શિક્ષણ લીધું હતું, સ્વયં અર્જુન જેમને શિષ્ય હતો, રામ અને લક્ષ્મણ જેમના અંશમાત્ર હતા, અને જેમના જીવનચરિત્ર સમાન બીજું મહામહિમામય જીવનચરિત્ર કેઈ કાળે મનુષ્યભાષામાં લખાયું નથી, ચાલ આજે તને તેની ઉપાસનાથી દીક્ષિત કરૂં. શિષ્ય –તે કોણ? કૃષ્ણ?
ગુરુતમે લેકે માત્ર જયદેવના કૃષ્ણને અથવા વૃંદાવનવાળા કૃષ્ણને જ ઓળખે. છે અને તેથીજ કૃષ્ણનું નામ સાંભળતાંની સાથે આમ ચમકી ઉઠો છે. કૃષ્ણનું
*જયદેવે ગીત-ગેવિંદ નામને એક અતિ ઉત્કૃષ્ટ સંસ્કૃત કાવ્ય ગ્રંથ લખે. છે. તેમાં મુખ્યત્વે ગંગારિક કાવ્યો છે.
અનુવાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com