________________
અધ્યાય ૪ -અનુષ્યત્વ એટલે શું?
કોઈ જંગલી માણસ તું જોઈ શકશે નહિ. ઘણું જાના વખતમાં પણ મનુષ્યની અમુક શક્તિઓ વિકાસ પામ્યા વિના રહેતી નહિ. જે તેમ ન હોય તો તેઓ પથ્થરની છરીઓ વિગેરે કેવી રીતે બનાવી શકે ? હવે પ્રશ્ન એ છે કે તેમને મનુષ્ય કહી શકાય કે નહિ ? આ પ્રશ્નને યથાર્થ ઉત્તર મેળવતા પહેલાં વૃક્ષત્વ એટલે શું એ વાત બરાબર સમજી લે. અહીં તું એક ઘાસનું તૃણ જુએ છે અને સામે એક વડવૃક્ષ જુએ છે તે બન્નેને તું એકજાતીય કહી શકશે કે નહિ ?
શિષ્ય –હા, એક રીતે તેઓ બંને એકજાતીય તે ખરજ; કારણ કે બને વનસ્પતિની જાતનાં છે.
ગુસઃ–પણ બન્નેને વૃક્ષ કહી શકાય ? શિષ્ય:–ના. વૃક્ષ તો વડને જ કહી શકાય. આ તે તૃણમાત્ર છે. ગુસ-એ ભેદ શામાટે ? શિષ્ય-ફળ-ફૂલ–શાખા–પાન–વગેરેને લઈને વડ “વૃક્ષના નામને યોગ્ય છે. તૃણમાં એ સર્વ વિભાગો નથી એટલે તેને વૃક્ષ કહી–શકાય નહિ,
ગુસ–ઘાસમાં પણ એ સર્વ છે. અલબત્ત, તે બહુ ક્ષક છે તેથી તેની શાખા –ગાંઠ કે ફળ-ફૂલ તને દૃષ્ટિગોચર થતાં નથી. મતલબ કે તે અપરિણત એટલે સૂક્ષ્મ અવસ્થામાં છે. તારાજ કહેવા પ્રમાણે જે ઘાસને વૃક્ષ ન કહેવાય તો પછી જે મનુષ્યની સઘળી વૃત્તિઓ અનુશીલિત ન થઈ હોય અને જે ખીલ્યા વિનાની અવસ્થામાં પડી રહી હોય, તેને મનુષ્ય કેમ કહેવાય ? ઘાસ જેમ વનસ્પતિ તરીકે એકજાતીય છે, તેવી જ રીતે જંગલી મનુષ્યને પણ એકજાતીય કહી શકાય ખરાં; પણ દરેક વનસ્પતિમાંથી જેમ વૃક્ષત્વ હેઈ શકતું નથી તેવીજ રીતે મનુષ્યને ધમ જે મનુષ્યત્વ તે જેનામાં ન હોય તેને મનુષ્ય કહી શકાય નહિ. શિષ્ય:–વંશ અથવા બીજને કારણભૂત લેખીએ તો?
ગુરુ:–તે વિષય હમણાં એક બાજુએ રહેવા દે. જે વાત સરળ અને ગોટાળા વગરની છે તે જ પ્રથમ સમજી લે. ત્યારપછી વંશ અને બીજ વિગેરેની કડાકૂટમાં પડવું હોય તે પડજે. વૃક્ષત્વનું ઉદાહરણ ભૂલીશ નહિ; કારણ કે સમજવાને માટે તે બહુ ઉપયોગી છે. અહીં જે વાંસ જુએ છે તેને વૃક્ષ કહીશ કે નહિ ?
શિષ્ય –મારા ધારવા પ્રમાણે તેને પણ વૃક્ષ તો કહી શકાય નહિ. અલબત્ત, તેને ગાંઠે, શાખા અને પલવ વિગેરે તો છે, પણ ફળફૂલ કયાં? તેનામાં સંપૂર્ણ ખીલવણી (પરિણતિ) થઈ નથી, માટે તેને વૃક્ષ કહી શકાય નહિ.
ગુરુ –તને ખબર નથી. પચાસ-સાઠ વર્ષ પછી તેને પણ એક વખત ફળ-ફૂલ આવે છે. તેને જે ફળ આવે છે તે કેટલેક અંશે ચોખાને મળતાં આવે છે.
શિષ્ય:-તે પછી વાસને પણ વૃક્ષ કહેવામાં હરકત નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com