________________
ધમતત્ત્વ
“મનુષ્ય” નામને માટે અયોગ્ય લેખાય, તેનું જ નામ મનુષ્યનો ધર્મ. સંમત હોય તે ધર્મ. ” જેમ વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે
यमार्याः क्रियमाणं हि शंसंत्यागमवेदिनः ।
स धर्मो यं विगर्हन्ति तमधर्म प्रचक्षते ॥ વેદવેત્તા આર્યપુરુષો જે કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ અને જેની નિંદા કરે તે અધર્મ કહેવાય છે.
પરંતુ હિંદુશાસ્ત્રમાં પણ ભિન્ન ભિન્ન મત નથી એમ નથી. "द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद्ब्रह्मविदो वदन्ति परा चैवापरा च ॥"
અર્થાત પ્રસિદ્ધ બ્રહ્મવેત્તા પુરુષો પરા અને અપરા એમ બે વિદ્યા જાણવા યોગ્ય છે એમ કહે છે. આ અને આવા અર્થવાળી બીજી કૃતિઓપરથી સચિત થાય છે કે વૈદિક જ્ઞાન અને તેને અનુસરતા યાગાદિક નિકૃષ્ટ ધર્મ છે, અને બ્રહ્મજ્ઞાનજ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. ભગવદ્દગીતાનું સ્થૂલ તાત્પર્ય કર્માત્મક વૈદિકાદિ અનુષ્ઠાનની નિકૃષ્ટતા કહેવામાં છે, અને ગીતામાં કહેલ સક્ષમ ધર્મની ઉત્કૃષ્ટતા કહેવામાં સૂક્ષ્મ તાત્પર્ય છે, હિંદુધર્મમાં વિશેષે કરીને એક એ પરમ રમણીય ધર્મ પ્રાપ્ત થાય છે કે જે સાધારણ રીતે પૂર્વોક્ત મીમાંસા અને તેમાં કહેલ હિંદુધર્મવાદ વિરોધી છે. આ ધર્મ ગીતા મહાભારત અને ભાગવતમાં સર્વત્ર જોવામાં આવે છે. તેના વક્તા શ્રીકૃષ્ણ છે, એટલા માટેજ હિંદુશાસ્ત્રમાં કહેલા ઉત્કૃષ્ટતર ધર્મને આપણે શ્રીકૃષ્ણક્ત ધર્મ કહીએ છીએ. મહાભારતના કર્ણ પર્વમાંથી એક વાક્ય લઇને એનું ઉદાહરણ આપવામાં આવે છે.
કેટલાક શ્રતિઓને ધર્મની બાબતમાં પ્રમાણુરૂપે કહે છે, તેમાં હું દેશને આરોપ કરતા નથી, પરંતુ કૃતિમાં પણ સમસ્ત ધર્મતત્ત્વ કહેલું નથી, અને એટલા માટે કેટલેક સ્થળે અનુમાનદ્વારાજ ધર્મને નિર્દેશ કરે પડે છે. પ્રાણીઓની ઉત્પત્તિને નિમિત્તેજ ધર્મને નિર્દેશ કરવામાં આ છે. ' “અહિંસાયુક્ત કાર્ય કરવામાં આવે એટલે ધર્માચરણ કર્યું કહેવાય છે.” “હિંસા કરનારાઓની હિંસાના નિવારણ માટે જ ધર્મની રચના થયેલી છે. ” “ ધર્મ પ્રાણીઓને ધારણ કરે છે માટે જ તેનું નામ ધર્મ છે. ” “ જેવડે પ્રાણીઓની રક્ષા થાય તેનું નામ ધર્મ છે. ” એમ શ્રીકૃષ્ણનાં વચન છે. આ પછી વનપર્વમાંથી ધર્મવ્યાધે કહેલી ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે છે. “જેનાથી સર્વ ભૂતેનું હિત થાય તે જ સત્ય: સત્યજ શ્રેયપ્રાપ્તિ માટે અદ્વિતીય ઉપાયરૂપ છે. સત્યના પ્રભાવવડેજ યથાર્થ જ્ઞાન થાય છે, અને તેથીજ યથાર્થ હિત સધાય છે. ” અહિં સત્ય શબ્દને ધર્મના અર્થમાંજ વ્યવહાર થયો છે.
શિષ્ય:–આ દેશના લેકે એ ધર્મની જે વ્યાખ્યા કરી છે, તે નીતિની અથવા પુણ્યની વ્યાખ્યા છે, તે રિલિજીઅન ની વ્યાખ્યા શી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com