________________
. ધર્મતવ
શિષ્ય --પરંતુ એ “રિલિઅન” શબ્દમાં કેઈ નિત્ય વસ્તુ નથી સમાઈ જતી કે જે દરેક ધર્મમાં મળી આવે ?
ગુર --છે; પરંતુ તે નિત્ય પદાર્થને રીલીજીઅન શબ્દથી સંબેધવાની કશી જરૂર. નથી. તેને આપણે ધર્મ શબ્દથી જ વ્યવહરીશું તે તે યોગ્ય થઈ પડશે.
શિષ્ય –તે કેવી રીતે ? દેવ પણ એક ઈશ્વર જ છે, તે તેથી શું તે સઘળા ધર્મો નહિ ? શિષ્ય-ત્યારે શું ઈશ્વરમાં વિશ્વાસ એજ ધર્મ ?
ગુરુ --એવા અનેક સુંદર ધર્મો છે કે જેઓ ઈશ્વરને પણ માનતા નથી. અદસંહિતાના અત્યંત પ્રાચીન મંત્રોની સમાલોચના કરતાં સમજી શકાય છે કે તે મંત્રોની રચનાના કાળમાં અનેક દેવદેવીઓ મનાતાં હતાં, પરંતુ તે વેળા ઇશ્વ રને માનતા નહતા. વિશ્વકર્મા, પ્રજાપતિ, બ્રહ્મ, ઇત્યાદિ ઈશ્વરવાચક શબ્દો ઋગ્વદના તે પ્રાચીન મોમાં નથી, પણ જે મંત્ર પ્રાચીન મંત્રોની અપેક્ષાએ આધુનિક કહી શકાય તેમાં જ છે. પ્રાચીન સાંખ્યા પણ અનીશ્વરવાદી હતા અને તે છતાં પણ તેઓ ધર્મહીન નહેતા; કેમકે તેઓ કર્મોનાં ફલને માનતા હતા, અને નિષ્ણેયને પણ ઇચ્છતા હતા. બૌદ્ધધર્મ પણ નિરીશ્વરવાદી છે, આથી ઇશ્વરવાદ એજ ધર્મનું લક્ષણ છે એમ કેમ કહી શકાય ? માટે તારા કહેવા પ્રમાણે તે કોઈ સ્પષ્ટીકરણ થતું નથી.
શિષ્યઃ—–ત્યારે પાશ્ચાત્ય તાર્કિકાની ભાષાનું અવલંબન કરીને કહું છું કે “લેકાતીત ચૈતન્યમાં વિશ્વાસ એજ ધર્મ.”
ગુરુ:–અર્થાત તારા કહેવા પ્રમાણે તો “સુપરનેચરાલિઝમ-કુદરતથી અતીતપણું -થયું પરંતુ તેને રવીકાર કરતાં તું કયાં આવી પહોંચ્યો તે જે. પ્રતતત્તરોના સંપ્રદાયસિવાય આધુનિક વિજ્ઞાનેતાઓના મતમાં “લકાતીત ચૈતન્ય” નું કઈ પણ પ્રમાણ નથી; આમ તારી રીતે તે ધર્મ પણ નથી અને ધર્મનું પ્રયોજન પણ નથી, મારી માન્યતા પ્રમાણે તે હું ‘રિલિજીઅન ને ધર્મ કહું છું.
શિષ્ય ત્યારે તે રીતે પણ વિજ્ઞાનવેત્તાઓમાં પણ ધર્મ તો છેજ. જેમકે-- “રિલિજઅન ઓફ હ્યુમેનિટિ-માનવધર્મ.”
ગુર–તે પછી “લકાતીત ચૈતન્યમાં વિશ્વાસ” એ ધર્મ નહિ. શિષ્ય-નૃત્યારે આપજ કહે કે ધર્મ કેને કહેવો?
ગુસ–પ્રશ્ન અત્યંત પ્રાચીન છે “થા ધર્મનિરાલા” એ પૂર્વમીમાંસાદર્શનનું પ્રથમ સૂત્ર છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટેજ મીમાંસાદર્શનની પ્રવૃત્તિ છે, તેને સર્વગ્રાહ્ય ઉત્તર અદ્યાપિપર્યત મળી શકી નથી; હું પણ તેનો યથાર્થ ઉત્તર આપવા માટે સમર્થ થઈશ એવો સંભવ નથી; તોપણ પ્રાચીન પંડિતને અભિપ્રાય તને સંભળાવી શકીશ. પ્રથમ મીમાંસાકારનો ઉત્તર સાંભળો. તેમણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com