________________
૧૨
ધર્મતત્તવ
ગુર–– નહિ તે ધર્મનું ફળ શું દુઃખરૂપ હોત? જે તેમ હેત તે હું પિતે જગતનાં સર્વ મનુષ્યોને ધર્મનો પરિત્યાગ કરવાનીજ ભલામણ કરત.
શિષ્ય:--ધર્મનું ફળ પરકાળે સુખ હોઈ શકે, પરંતુ આ કાળે પણ શું સુખ સંભવે ?
ગુરુ-ત્યારે અત્યાર સુધી મેં શું સમજાવ્યું? ધર્મનું ફળ આ કાળે તે સુખ છે જ, પરંતુ જે પરકાળ હોય તો પરકાળે પણ સુખજ હોય. “ધમ એજ સુખને એક માત્ર અદ્વિતીય ઉપાય છે. આ કાળે કે પરકાળે ધર્મ સિવાય સુખને બીજે એકકે ઉપાય નથી.
શિષ્ય:--તથાપિ કાંઈ સમાધાન થતું નથી. આપણે જેને ક્રિશ્ચિયન ધર્મ, શ્રદ્ધ ધર્મ અને વૈષ્ણવધર્મ કહીએ છીએ તેને બદલે તેમને ક્રિશ્ચિયન અનુશીલન, શૈદ્ધ અનુશીલન અને વૈષ્ણવ અનુશીલન એમ કહી શકાય ખરું?
ગુર–ધર્મ શબ્દનો અર્થ જ તેં અહીં તો ઉલટાવી નાખ્યો. ધર્મ શબ્દ વિવિધ અર્થોમાં વપરાય છે. પણ આપણે તે સર્વ અર્થો સાથે આજે કાંઈ સંબંધ નથી. * હું અત્યારે ધર્મ શબ્દનો જે અર્થ કર્યો તે અંગ્રેજી રિલિજીઅન’ શબ્દને તરજુમો માત્ર છે. અને એ શબ્દ વિદેશી હોઈ તેમાં આપણો દેશીય ભાવ નથી. - * ધર્મ શબ્દના આધુનિક વ્યવહારથી ઉદ્દભવેલા કેટલાક ભિન્ન ભિન્ન અર્થે તેના અંગ્રેજી પ્રતિશદ્વારા બંકિમ બાબુના “ધર્મજજ્ઞાસા” ગ્રંથમાંથી નીચે આપ્યા છે.
૧ અંગ્રેજીમાં જેને “રિલિજીઅન” કહે છે, તેને આપણે ધર્મ કહીએ છીએ. -જેમક-હિંદુધર્મ” “બૈદ્ધધર્મ અને ખ્રિસ્તી ધર્મ.’ ૨ જેને “મરેલીટી' કહે છે, તેને પણ આપણે ધર્મ કહીએ છીએ. જેમકે અમુક કાર્ય “ધર્મ-વિરુદ્ધ' “માનવધર્મશાસ્ત્ર' “ધર્મસૂત્ર' ત્યાદિ. વળી, નીતિ, આ શબ્દ પણ ધર્મ” શબ્દને ઠેકાણે કેટલીકવાર વપરાય છે. ૩ “ધર્મ' શબ્દથી “વરસ્યુરને બોધ પણ થાય છે. “વરચ્યું એટલે સદાચાર વળી આપણે કહીએ છીએ કે અમુક વ્યકિત ધાર્મિક છે અને અમુક વ્યકિત અધાર્મિક છે. અહીં અધર્મને અંગ્રેજીમાં “વાઈસ' કહે છે. ૪ રિલિજઅન અથવા નીતિને અનુકૂળજે કાર્ય, તેને પણ ધર્મ કહે છે, અને તેનાથી વિપરીતને અધર્મ કહે છે. જેમકે - દાન પરમ ધર્મ છે.” “અહિંસા પરમધર્મ છે.” “ગુરુનિંદા મહાન અધર્મ છે.” આનેજ સર્વ કેાઈ પાપ પુણ્ય પણ કહે છે. અંગ્રેજીમાં આ અધર્મનું નામ “સી” કહેવામાં આવે છે. એક જ વાતમાં પુણ્ય શબ્દનો વ્યવહાર પણ અનેક નામથી થાય છે. ૫ ધર્મ શબ્દવડે ગુણને પણ બંધ થાય છે. જેમકે “લેહચુંબકનો ધર્મ લેહાકર્ષણ છે.” બીજા અર્થમાં અધર્મને પણ ધર્મ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. જેમકે “પરનિંદા શુદ્ર ચિત્તવાળાઓનો ધર્મ છે. ભગવાન મનુએ પણ તે આ અર્થમાંજ પાખંડ ધર્મની વાત લખેલી છે. જેમકે, હિંસ ટુ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com