________________
અધ્યાય ૩ જે-ધમ એટલે શું ?
દુ:ખ * વાચસ્પતિ મહાશયનું ઘર સળગી ગયું અને તેથી તેમને જે દુઃખ થયું તથા એમના કરતાં પણ વધારે કમનસીબ માણસને પુત્ર મૃત્યુથી જે દુઃખ થાય તે પણ ઉકત નિયમમાંજ આવી જાય છે, એ વિષે હું તને બીજે કોઈ પ્રસંગે સમજણ પાડીશ. મારે જે કાંઈ કહેવાનું છે તે તું બરાબર લક્ષપૂર્વક સાંભળશે. - તે તે મારા કહ્યા વિના પણ તું સમજી જઈશ.
શિષ્યઃ—ધારે કે એ તે સમજી ગયો. તથાપિ મૂળ વાત તે રહી જ ગઈ.. આપણે જે વાત ચાલતી હતી તે એજ હતી કે વાચસ્પતિ મહાશય પિતે ધાર્મિક વ્યકિત છે, છતાં દુઃખી છે. આપે કહ્યું હતું કે જે મનુષ્ય દુઃખી હેય તે ધાર્મિક હાય નહિ. આપે આપની વાત સિદ્ધ કરવા સુખ એટલે શું એ વાત સમજાવી, અને સુખની સાથે દુઃખ શું એ સમજાયું. અસ્તુ. આટલી વાત ઉપરથી હું જે કાંઈ સમજી શકો છું તે માત્ર એટલું જ કે વાચસ્પતિ મહાશય વસ્તુતઃ દુ:ખી. નહેતા અથવા તેમને દુ:ખી ગણવામાં આવે તો પણ તેઓ પિતાનાજ દોષથી અર્થાત પોતાની શારીરિક અને માનસિક વૃત્તિઓનું અનુશીલન બરાબર રીતે ન કરી શક્યા તેથીજ દુખી થયા; પરંતુ એથી કરીને તેઓ અધાર્મિક છે એમ તે કહી શકાય નહિ. આપના અનુશીલન તત્વ સાથે ધર્મને શું સંબંધ છે તે કઈ બુદ્ધિમાં ઉતરતું નથી. અનુશીલન એજ ધર્મ, તે સિવાય વધુ કાંઈ મને સમજાયું નથી.
ગુજઃ–અત્યારે તો એટલું પણ બસ છે. જો કે તે સિવાય બીજી એક ગંભીર, વાત પણ સમજવા યોગ્ય છે; કારણ કે જ્યાં સુધી એ વાત તારા સમજવામાં નહિ આવે ત્યાંસુધી અનુશીલનની સાથે ધર્મને શું સંબંધ છે, એ વિષય તું બરાબર સમજી શકશે નહિ; પરંતુ એ વિષયસંબંધી ચર્ચા સૈ પછી કરીશું; કારણ કે અનુશીલન એટલે શું એજ વાત તારે પ્રથમ તે સમજવાની જરૂર છે.. જ્યાં સુધી તે સમજાય નહિ ત્યાંસુધી વધારે કહેવું નિરર્થક થાય તેમ છે. શિષ્ય --અનુશીલનને વળી ધર્મ સાથે સંબંધ ? બહુ નવાઈ જેવી વાત છે ! ગુરુ-–નવાઈ જેવું તેમાં કશું જ નથી. પ્રાચીન શાસ્ત્રોનું કહેલુંજ માત્ર સમજાવું છું.
अध्याय ३ जो-धर्म एटले शुं?
શિષ્ય:-અનુશીલનને ધર્મ કેવી રીતે કહી શકાય એ મારાથી સમજાતું નથી. અનુશીલનનું ફળ તો સુખરૂપે મળે છે પણ શું ધર્મનું ફળ પણ સુખ હેય?
* કર્મના ફળાફળસંબંધી વાતને એક બાજુએ મૂકી દઈને જ આ વાત ચર્ચવી પડે છે; કારણ કે તેમ કરવા જતાં આ વિષય બહુ ગુંચવણભર્યો થઇ પડવાને ભય રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com