________________
અધ્યાય ૨ જે–સુખ એટલે શું? તે અસંપૂર્ણ અથવા પરિણામવિનાને છે કે પછી તે સંપૂર્ણ અથવા પરિણામ રહિત છે એટલાજ માટે તે નિરીશ્વર છે; એ બેમાંથી શું કહેવું તે હું સમજી શકતો નથી. હિન્દુઓ પરમ ભકત છે, અને તેથી તેમનો અનુશીલનવાદ જગદીશ્વરના ચરણકમળમાંજ સમાપ્ત થાય છે.
શિષ્ય–સમજ્યો. પણ તેનું કારણ ખુલ્લું જ છે. આપણો ઉદેશ મુકિત મેળવવાને હોય છે, જ્યારે વિલાયતી અનુશીલનવાદીઓને સિદ્ધાંત સુખપ્રાપ્તિને હેય છે. એમજ કે નહિ ? | ગુ –સુખ અને મુકિતને પૃથફ પૃથફ શા માટે લેખવાં, એને જ આપણે પ્રથમ વિચાર કરવો જોઈએ. મુક્તિ એ શું સુખ નથી ?
શિષ્ય --પ્રથમ તો મુકિત એ સુખ નથી–મુકિતમાં સુખ દુઃખ માત્રનો અભાવ હોય છે, એમ કહીએ તો પણ ચાલી શકે. બીજી વાત એ કે મુકિતને એક પ્રકારની સુખયુક્ત અવસ્થા માનો તે પણ માત્ર સુખી થવું એને કાંઈ મુકિત કહી શકાય નહિ. મીઠાઇના એક-કડા ખાવાથી મને સુખ થાય તેથી કઈ મને મુકિત મળી ગઈ એમ કહી શકાય ?
ગુરુવાતને ગોટાળે ચડાવી દીધી. સુખ અને મુકિત એ બે વાતો સૌ પહેલાં બરાબર સમજી લે. નહિતર અનુશીલનવાદમાં તેને બરાબર સમજણ પડશે નહિ. આજે હવે વખત નથી. સાંજ પડી ગઈ છે. ચાલ, જરા આ ફૂલના રોપાઓને પાણું સીંચીએ. આવતી કાલે એ વિષે ચર્ચા કરીશું.
अध्याय २ जो-सुख एटले शुं!
શિષ્ય --કાલે આપે કહ્યું હતું કે આપણી શારીરિક અને માનસિક સર્વ શક્તિએનું બરાબર અનુશીલન ન થાય તો દુઃખ ભોગવવું પડે એ સ્વાભાવિક છે. મતલબ કે શકિતઓના અનુશીલનને અભાવ એજ આપણા દુઃખમાં કારણભૂત છે. એમજ ને ?
ગુ –ત્યાર પછી? શિષ્ય:--મેં કહ્યું હતું કે વાચસ્પતિ મહાશય દેશત્યાગ કરી ગયા તેનું એક કારણે આ પણ હતું કે તેમનું ઘર અગ્નિ લાગવાથી સળગી ગયું હતું. હવે એ આગ કિાની ભૂલથી લાગવા પામી અને કેવી રીતે લાગી તે કોઇના જાણવામાં નથી. છતાં વાચસ્પતિ મહાશયના દોષથી તે નથી જ લાગી, એ વાતની અમને સર્વને ખાત્રી છે. પ્રશ્ન એ છે કે તેમની એવી તે કયી શક્તિનું અનુશીલન નો જેથી એ આગ લાગવા પામી?'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com