________________
ધર્મતત્વ
શિષ્ય-કયા અધર્મનું એ ફળ?
ગુરુ –-ધન ઉપાર્જન કરવા માટે તેમજ અન્ન-વસ્ત્ર વિગેરે પ્રાપ્ત કરવા માટે જે કેટલીક શારીરિક તથા માનસિક શક્તિઓ આપણુમાં રહેલી છે, તેને જેઓ યથાર્થ રીતે કેળવતા નથી અથવા તે ખીલવતા નથી તેઓ દરિદ્ર રહે એ સ્વાભાવિક છે.
શિષ્ય --હું ધારું છું કે આપણે આપણું સમસ્ત શારીરિક તથા માનસિક શક્તિઓને કેળવવી તથા ખીલવવી એજ ધર્મ, અને તેનાથી વિરુદ્ધ વર્તવું એ અધર્મ, એમજ આપ કહેવા માગે છે.
ગુર –હું કહી ચૂક્યો છું કે ધર્મને વિષય બીજા સર્વ વિષયો કરતાં બહુજ ગહન અને કઠિન છે. તે આ વિષય કાંઈ એકબે વાતો ઉપરથી જ સમજી શકાય નહિ. છતાં માની લે કે મેં ધર્મ-અધર્મની જે વ્યાખ્યા કરી તેજ જે સંપૂર્ણ હોય તે તેમાં શું દેશ છે? શિષ્ય:--એ તો વિલાયતના “ડૉકટ્રીન ઑફ કલ્ચર’ (અનુશીલનવાદ) જેવું થયું !
ગુર:–અનુશીલ વસ્તુ એ કોઈ વિદેશી નથી. હિન્દુધર્મને સારાંશ પણ તેજ છે. શિષ્યવાહ! 'કલ્ચર’ શબ્દનો અર્થ દર્શાવે એ ગુજરાતી ભાષામાં પ્રતિશબ્દ જ નથી. હું ધારું છું કે આપણું દેશની કોઈ પણ ભાષામાં એના અર્થને સૂચવે એવા કોઈ શબ્દજ નહિ હોય.
ગુરુ-આપણે ખાલી વાતો જ કરીએ છીએ. મૂળ વાતની તે કઇ તપાસે કરતું નથી. એને લીધે જ આજે આપણી આટલી બધી અધોગતિ થઈ છે. આપણામાં જે ચાર આશ્રમે કહ્યા છે તેનો હેતુ તું જાણે છે? શિષ્ય - સીસ્ટમ ઑફ કલ્ચર’? (અનુશીલનવાદ?).
ગુર–એ તત્ત્વ તમારે મેયુ આરનોલ્ડ જેવા પાશ્ચાત્ય અનુશીલનવાદીઓ પણ સંપૂર્ણ રીતે સમજ્યા હોય તે વિષેજ મને તે શક છે. સધવાઓની પતિભક્તિ, વિધવાઓનું બ્રહ્મચર્ય, અને તે સિવાયનાં સમસ્ત વ્રત-નિયમોમાં માત્ર અનુશીલન તરવજ એક માત્ર સમાએલું છે. જ્યારે આ તત્વ હું તને બરાબર સમજાવીશ ત્યારે તારી ખાત્રી થશે કે શ્રીમદ્ ભગવદ્દગીતામાં જે પરમ પવિત્ર અમૃતમય ધર્મ પ્રધવામાં આવ્યો છે તે પણ આ અનુશીલનતત્ત્વ ઉપરજ નિર્ભર રહે છે.
શિષ્ય –આ૫ની આવી વાત સાંભળ્યા પછી આપની પાસેથી અનુશીલનતત્વ સંબંધી કાંઈક સાંભળવાની ઈચ્છા થાય છે. અનુશીલનવાદ એ કેવળ પાશ્ચાત્ય નાસ્તિકોને જ મત છે, એમ હું અત્યાર સુધી માનતા હતા, એટલું જ નહિ પણ કોસ્ટના સિદ્ધાંત અનુશીલનની એક પ્રકારની અનુષ્ઠાનપદ્ધતિ સિવાય બીજું કાંઈ સૂચવતા નથી એવી જ મારી માન્યતા હતી.
ગુ–એ તારી વાત ખોટી નથી. વિલાયતી અનુશીલનવાદ નિરીશ્વર હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com