________________
૩૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બંગદર્શનમાં બંકિમબાબુએ સામ્યવાદ ઉપર તેમજ વિધવાવિવાહ ઉપર જે લેખો લખ્યા હતા, તેને થોડો થોડો ભાગ અત્રે આપવામાં આવે છે.
રામ મોટો માણસ કહેવાય છે, અને જે નાનો માણસ. આમ શામાટે છે ? જેવો ચોરી નથી જાણત, છેતરપિંડી નથી જાણત, બીજાનું સર્વસ્વ ધૂતી લેવાનું નથી જાણો, તેથીજ જીવો નાનો માણસ છે ! રામે ચોરી કરીને, છેતરપંડી કરીને, ઠગબાજી કરીને પૈસા એકઠા કર્યા છે, તેથી રામ મોટો માણસ છે. અથવા રામ પોતે સ્વભાવથી જ ભલે માણસ છે, પણ તેના વડદાદા ચોરી, છેતરપિંડી વગેરેમાં અત્યંત નિપુણ હતા; તેઓ પોતાના શેઠનું સર્વસ્વ હરી લઈને જમીન અને પૈસા એકઠા કરી ગયા. છે. અર્થાત રામ જુગારી અને ચોરને પુત્ર છે. તેથી તે માટે માણસ છે; અને જવાના દાદાએ જાતે કમાઈને ખાધું છે માટે તે નાને માણસ છે. અથવા રામે કોઈ ઠગારાની કન્યા સાથે વિવાહ કર્યો છે, તેથી તે મેટો માણસ છે. બસ ! રામના માહાસ્ય ઉપર . ફૂલના વરસાદ વરસાવો.”
“વિષમતા સંસારનો નિયમ છે. જગતના સઘળા પદાર્થોમાં વિષમતા છે, પરંતુ બ્રાહ્મણ અને શુદ્રમાં તે બહુજ અસ્વાભાવિક વિષમતા દેખાય છે. જેમ કે બ્રાહ્મણનો વધ કરવો એ મહા પાપ છે, ત્યારે શકને વધ કરે એ નાનું પાપ છે; પરંતુ આ વાત કુદરતી નિયમાનુસાર બરાબર તો નથી જ. બ્રાહ્મણ શામાટે અવધ્ય છે? શૂદ્ર શામાટે વધ્ય છે? ખેત દાતા છે, તે પછી બ્રાહ્મણ શામાટે દાતા નથી ? તેને બદલે એવોજ નિયમ શા માટે ન થયો કે જેને આપવાની શક્તિ છે તેજ દાતા છે, અને જેને લેવાની જરૂર છે તે લેનાર છે ? ”
“બધાના કરતાં ધનની વિષમતા બહુ ભારે છે. એ વિષમતાના પ્રતાપે કઇ કઇ માણસોને રૂપીઆ ખુટાડયા ખુટતા નથી, ત્યારે બીજી બાજુ લાખો માણસો અન્નના અભાવે મરણ અને રોગના શિકાર થઈ પડે છે ! ”
બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુઆદિના જેવી ઈદિય- તૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. છતાં પણ શદ્ર જ્ઞાનચર્ચાને અધિકારી નથી ! બસ જ્ઞાનને તે અધિકાર માત્ર બ્રાહ્મણને જ ! અને ભારતના ઘણા ખરા લેક બ્રાહ્મણેતર જાતિના હોવાથી તે ઘણા ખરા લેકેએ તે બસ મૂર્ખ જ રહેવું જોઈએ !”
વિધવાવિવાહ”ના આ સૌથી મોટા અને વિચારણીય તથા ગહન વિષય ઉપર બંગદર્શનના ચોથા અંકમાં બંકિમચંદ્ર નીચે પ્રમાણે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો હતો:
“વિધવા-વિવાહ સારો પણ નથી ને નઠારો પણ નથી. બધી વિધવાઓના વિવાહ કરવા એ કદાપિ સારું નથી. પણ હા, વિધવાની ઈચ્છાનુસાર તેને વિવાહની છૂટ આપવી એ તો સારી જ વાત છે. જે સ્ત્રી સાધ્વી છે, જે પિતાના પ્રથમ પતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com