________________
૧૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત
બપોર પછી બંકિમ બાબુ ઘેર જવા નીકળે ત્યારે મને ખબર આપજે. શિરસ્તેદારે તે પ્રમાણે કર્યું અને બંકિમબાબુના ઘર તરફ જવાના સમયે સાહેબ તેમની પાસે પહોંચી ગયા. બંકિમ સાથે તેમણે નીચે પ્રમાણે વાતચીત કરી.
બલેંડ:–બંકિમબાબુ ! તમે જાણો છો કે વાર્ષિક રિપોર્ટમાં મેં તમારે માટે શું લખ્યું છે?
બંકિમઃ-જીલ્લા મેજીસ્ટ્રેટ પિતાના રિપોર્ટમાં મારે માટે શું લખે છે તે જોવાની મને અગત્ય નથી.
બકલેંડ–મેં તમારી બહુ પ્રશંસા કરી છે. બંકિમઃ—તે જાણવાની મને પરવા નથી.
સાહેબ જરા મુંઝાયા. આવા આકરા જવાબની તેમણે આશા રાખી ન હતી. બંકિમના કહેવામાં ધન્યવાદ અથવા કમળતાને ભાવ જરા પણ તેમણે જે નહિ.
બીજો ઉપાય ન જણાવાથી સહેબે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે બંકિમબાબુ ! જજમેંટ ઉપરના મારા અભિપ્રાયથી નારાજ થઈને તમે કેસના કાગળ કમિશ્નર તરફ મેકલવાનું લખ્યું હતું; તે બાબતમાં મારું એમ કહેવું છે કે તમારો તે પત્ર તમે પાછા ખેંચી લે તે સારું
બંકિમ–તમે ક્ષમા નહિ માગો ત્યાંસુધી કદી પણ તે પત્ર ખેંચી નહિ લઉં. બલેંડ –એટલું તે તમે સ્વીકારશે જ કે જીલ્લા મેજીસ્ટ્રેટને અમુક મોભો હોય છે. બંકિમ–મે જરૂર હોય છે પરંતુ સર્વ કઈ તે જાળવવા નથી માગતા.
બકલંડ –ઠીક, બંકિમ બાબુ એક કામ કરે, હું મારો અભિપ્રાય પાછો ખેંચું અને તમે તમારો પત્ર પાછો ખેંચી લો.
બંકિમ બાબુ એથી રાજી થયા. સાહેબે પોતાના અભિપ્રાય નીચે લખ્યું કે હું ઉપર લખેલા શબ્દો માટે દીલગીર છું અને તે પાછા ખેંચી લઉં છું.
બંકિમ બાબુએ પણ પિતાને પત્ર ખેંચી લીધા. આ સમયથી બંને વચ્ચે મૈત્રી બંધાઈ. બકેલેંડ સાહેબ બંકિમ બાબુ તરફ સદા શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા, અને છેવટ સુધી તેમના હિતથી થઇ રહ્યા. તેમણે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ “બેંગોલ અંડર ધી લેફટનંટ ગવર્નસ ”માં બંકિમ બાબુનાં મુક્તકંઠે વખાણ કર્યા છે.
ઉપલા બનાવને લગતી હકીકત તે સમયના લેફટનંટ ગર્વનર સર એશલી એડનના કાન સુધી પણ પહોંચી હતી. તે ઉચ્ચ હદયના ગવર્નર એથી જરા પણ નારાજ ન થતાં ઉલટા બંકિમ બાબુ ઉપર ખુશ થયા હતા.
બકિમ બાબુના દેવતુલ્ય પિતા યાદવચંદ્ર ઈ. સ. ૧૮૮૧ માં સ્વર્ગવાસી થયા. યાદવચંદ્ર દિવસને ઘણો ભાગ પિતાની પૂજાના ઓરડામાંજ બાજઠ ઉપર બેસીને ગાળતા હતા. બંકિમ બાબુના “બંગદર્શન’ માસિકની વ્યવસ્થાનું કાર્ય પણ ત્યાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com